________________
એવા. મુંબઈમાં પરમ પૂજ્ય પ્રભુ શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વર મહારાજની નામના ચોમેર પ્રસરેલી તો હતી જ. રાજસ્થાન, મ.પ્ર. કે ગુજરાત થરાદના કોઈ પણ જૈનની દુકાને કે ઓફિસે જાવ ત્યાં પ્રભુ શ્રીમદ્દ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનો ફોટો તો હોય જ અને દરેક જૈન પહેલાં આ ફોટામાં પૂ. ગુરુદેવને પ્રત્યક્ષ સમજી દર્શન કરી પછી જ ધંધાની શરૂઆત કરે. આજ પર્યંતના આપણા પૂર્વિચાર્યો સુરત સુધી જ આવેલા અને થોડાંક વરસો પહેલાં પ.પૂ શ્રી મદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજશ્રી ન્યાયવિજય પહેલા જ મુંબઈ આવ્યા હતા. અને પાયધુની શ્રી આદિશ્વરની ધર્મશાળામાં ચાનુમિસ કર્યું હતું. તે પછી ઘણાં વરસો બાદ આપણા વિદ્વાન મુનિરાજ શ્રી જયંતવિજયજીનાં પદાર્પણ મુંબઈ થતાં મુંબઈમાં વસતા ત્રિસ્તુતિક શ્રી સંઘના અનુયાયીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપ્યો અને પૂ. મુનિરાજશ્રીએ સં. ૨૦૩૬ નું ચાતુર્માસ મુંબઈ કર્યુ. જ્યાં ધાર્મિક શિબિરો, જાહેર ધાર્મિક વ્યાખ્યાનો દ્વારા મુંબઈના સમસ્ત જૈન સમાજનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું અને ચાનુસિ પૂર્વ સં. ૨૦૩૬ ના મહાસુદ ૧૫ ના દિવસે ધાનેરા નિવાસી શ્રી કનૈયાલાલન નામના ગૃહસ્થને વૈરાગ્ય પંથે વાળી ધામધૂમપૂર્વક દીક્ષા આપી પોતાના શિષ્ય તરીકે મુનિરાજશ્રી હેમરત્નવિજયજી નામે પોષિત કર્યા. અને મુંબઈ અને મુંબઈ ના ઉપનગરો ભીવન્ડી, કલ્યાણ, થાણા, ભાયંદર, મલાડ, અંધેરી, બોરીવલી, વિ. સ્થળોએ વિચરના અને ઉપદેશ આપી ભાવિકજનોને ધર્મના રંગે રંગના પૂ. મુનિરાજશ્રી મહારાષ્ટ્રમાં વિહરવા લાગ્યા અને તે દરમ્યાન સં. ૨૦૩૭ માં પંચગીની વસતા આકોલી નિવાસી શ્રેષ્ઠી શ્રી હજારીમલજી રૂપાજીને ઉપદેશ આપી પંચગીનીથી શ્રી કુોજગીરી તીર્થનો છરી પાળતો સંઘ કઢાવ્યો. અને સંઘપતિને ધન્ય બનાવ્યા. અને પૂ. મુનિરાજશ્રીએ મહારાષ્ટ્રમાંથી મદ્રાસ તરફ ઉંચ વિાર આવ્યો અને સ. ૨૦૩૭નું ચાતુર્માસ મદ્રાસમાં કર્યુ. મદ્રાસમાં ખાસ કરીને આપણા સંપ્રદાયના રાજસ્થાન નિવાસી જૈનોનાં ઘણાં ઘર છે અને બીજા અન્ય પણ જૈનોની સારી એવી વસતી છે. દરેક જૈનોએ પૂ. મૂનિરાજશ્રીના ચાતુર્માસમાં ઉલ્લાસભેર ભાગ લઈ મુનિરાજશ્રીની અમૃતવાણી રૂપી પવિત્ર પાણી પી ધર્મની પ્યાસ બુઝાવી. તે દરમ્યાન મુંબઈ પદાર્પણ કરતાં પહેલાં પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજના દિને હચમચાવી મૂકે તેવો આંચકો આપતા સમાચાર મળ્યા કે શ્રી મોહનબૈડા તીર્થમાં બિરાજમાન પ.પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ વિજય વિદ્યાચંદ્રસૂરીશ્વરજીનો કાળધર્મ થયો અને શ્રી સંઘના શિરેથી શિરછત્ર છિનવાઈ ગયું છે જેમના આદેશથી દક્ષિણ તરફ વિહાર કર્યો અને દક્ષિણમાં પહોંચતા પહેલાં તો તેમણે દેહત્યાગ કરી પોતાને દૂર રાખ્યા એવી શ્રી ગૌતમસ્વામી જેવી લાગણી આપણા મુનિરાજશ્રીનાં મનમાં થઈ. પૂ. વર્તમાનાચાર્યશ્રીની છેલ્લી અવસ્થાની સેવા કરવાનો પોતાને લાભ ન મળ્યો તેનો એમને મન હતો અફસોસ. પરંતુ થયેલ વસ્તુ મિથ્યા થતી નથી. જન્મ જરા અને મૃત્યુ તો નિર્માણ થયેલાં જ હોય છે. એટલે આ બીજા આંચકાને પચાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. પરંતુ વાત આટલેથી પતી ન્હોતી જતી. ત્રિસ્તુતિક શ્રી સંઘને માથેનું શિર છત્ર છીનવાઈ જતાં અન્ય
વૃતથી સંકળ વચાર કય
પાલિત ય વિભાગ
GITA
Jain Education International
૧૩
મુનિરાજશ્રીને આચાર્યપદે સ્થાપિત કરવાનું જરૂરી હતું અને તે માટે આપણા પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજીની ભાવના તેમના મોટા ગુરુભાઈ વિદ્વાન મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી તરફ હતી. પરંતુ પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી રાજસ્થાન હતા. અને પૂ. મુનિરાજશ્રી જયંત વિજયા બઈ નજીક હતા. જે કાર્યો જે થવાનું હશે તે થશે.' એવી ભાવના સાથે પૂ. મુનિરાજશ્રી નો પ. પૂ. સ્વ. આચાર્યદેવશ્રીમવિજય વિધાદ્રસૂરીશ્વરના અંતિમ આદેશને માન આપી દક્ષિણમાં આગળ વધ્યા અને એ દક્ષિણના વિહાર દરમ્યાન જ એમને ત્રીજા આઘાત જનક સમાચાર મળ્યા કે તેમના વડીલ ગુરુબંધુ મુનિરાજશ્રી દેવેન્દ્રવિજય રાણી (રાજસ્થાન) પાસે વિહાર કરતાં કરતાં અચાનક આવેલા હાર્ટએટેકથી કાળધર્મ પામ્યા. કુદરતની ગતિ ન્યારી છે. જેમને શિરે આચાર્ય પદવી આરોપણ કરવાની ઈચ્છા-ભાવના હતી તે નવયુવાન ગુરુબંધનો વિયોગ પ.પૂ. મુનિરાજશ્રીથી સહન ન થયો તેઓશ્રી ઘણા અસ્વસ્થ થયા અને હવે તો પાછા વળી ગુજરાત રાજસ્થાન જવું જોઈએ એવી ઈચ્છા પણ થઈ પરંતુ સ્વ. આચાર્યદેવ શ્રીમદવજય વિદ્યાચંદ્રસૂરીજીની અંતિમ આજ્ઞાનું પરિપૂર્ણ પાલન કરવાની તીવ્ર ઈચ્છાને વશ દક્ષિણનો પ્રવાસ પૂરો કરવાની ઈચ્છાથી આગળ વધ્યા. તે દરમ્યાન આંધ્રના કુલપાકજી તીર્થમાં સમસ્ત ત્રિસ્તુતિક શ્રી સંઘ ભેગો થયો અને શ્રી સંઘ ઉ૫૨થી છિનવાઈ ગયેલ શિરછત્રને ધારણ કરવા માટે શ્રી સંઘે સર્વાનુમતે ઠરાવ કરી પ.પૂ. જયંતવિજયજી મહારાજને આચાર્ય પદવી માટેની કામળી ઓઢાડી અને શુભ મુહુર્વે યોગ્ય સ્થળે સ્વતિ આચાર્ય પદવી આપવાનું નક્કી થયું (જે પાછળ થી પ.પૂ. સંયમ સ્થવિર મુનિજથી શાંતિવિજય મહારાજની ઈચ્છા મુજબ શ્રી ભાંડવાજી તીર્થમાં આચાર્ય પદવી અર્પણ સમારોહ થયો તે આપણે આગળ જોઈશું.) સં. ૨૦૩૬ના મહાસુદ ૧૦ ના પવિત્ર દિવસે રોહી.ડા(રાજસ્થાન) નિવાસી શ્રી ભરતકુમારને પૂ. મુનિરાજશ્રીના ઉપદેશ દ્વારા અસાર સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમને અતિ ધામધૂમપૂર્વક દીક્ષા આપી મુનિરાજશ્રી વિશ્વરત્ન વિજયજી નામે પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં. અને તે પછી પૂ. મુનિરાજશ્રીએ કર્ણાટક તરફ વિહાર કર્યો. કર્ણાટક રાજ્યનું મુખ્ય શહેર બેંગલોર - ત્યાં પણ આપણા રાજસ્થાન નિવાસી અનુયાયીઓ મોટા પ્રમાણમાં વસે છે. ત્યાં સં. ૨૦૩૮નું ચાતુર્માંસ કરી પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીના નામનો ડંકો વગડાવી ધર્મ ધજા લહેરાવી. દક્ષિણના રાજ્યોમાં મહારાષ્ટ્ર - મદ્રાસ અને કર્ણાટક પછી બાકી રહ્યું આંધ. ૫. મુનિરાજશ્રી જયંત વિજયા દક્ષિણમાં પધાર્યાં છે તેની જાણ થતાં જ વિજયવાડા ગુંટુર નેલોર વિ. સ્થળોએ વસતા રાજસ્થાનના ત્રિસ્તુતિક ભાઈઓને પોતપોતાના સ્થળે પૂ. મુનિરાજશ્રીને લાવવાની તાલાવેલી લાગી અને ચાતુમાસ કરાવવાની ભાવનાની લગની લાગી પરંતુ ગુજરાત છોડે ત્રણ ત્રણ વરસ થવાથી પૂ. મુનિરાજશ્રી ગુજરાત રાજસ્થાન તરફ વિહાર કરવા ઈચ્છતા હોવા છતાં આંધવાળા એમને આંધ્રમાં લઈ ગયા. અને આંધ્રના અનેક નાના-મોટા શહેર તથા ગામોમાં ધર્મદેશનાનો લાભ આપી સં. ૨૦૩૯ નું ચાનુસિ વિજયવાડા કર્યું અને આજુબાજુના શહેર રાજમહેન્દ્રી, તેનાલી, કેટલ
For Private & Personal Use Only
राष्ट्र भक्ति का भाव हो, नहीं बदले का भाव । जयन्तसेन सत्य कथन, राजनीति सद्भाव ॥
www.jairelitrary.org