Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 273
________________ સ્થિર થાય જેથી મનને જ્યાં-ત્યાં રખડવાની કુટેવ હોય છે તે દૂર થઈ જાય ધીરે ધીરે એકાગ્ર થવા માંડે છે અને ધર્મની માંત્તર પ્રવૃત્તિ કરતી હોય છે. તત્ત્વબોધઃ- તારાની પ્રભા જેવો હોય છે. સ્વભાવથી 19151 આ દૃષ્ટિમાં વર્તનારા જીવો સ્વભાવથી જ નિરતિચાર ચારિત્રવંત હોય છે તેઓનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે . પ્રમાદ રહિત વર્તન હોય છે છે આત્માનો શુભ વસ્તુમાં વિનિયોગ હોય છે. આશય-ઉદાર અને ગંભીર હોય છે. ગુણ :- મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે. સદ્વિચાર શ્રેણીને બહુ જે સારી રીતે પ્રાપ્ત કરે છે. આત્મીય બાબતની જ ચિંતવના થયા કરે છે. શ્રુતધર્મ પર એને તન્મય વિશેષ રાગ હોય છે. દેશિવરતિ તથા સર્વવિરતિપણાની પ્રાપ્તિ થાય છે. પૌદગલિક સુખો પ્રત્યેની ઘણી બધી લાગણી ચાલી ગઈ હોય છે. તેમજ નિરતિચાર ચારિત્રનું પાલન કરતો હોય છે. દોષઃ- આ દૃષ્ટિથી અન્યમુદ્ નામનો છઠ્ઠો દોષ દૂર થઈ જાય છે. દેશવિરતિ યા "પ્રમત્ત, સંપત” ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાન કષાયની ઉપાદિ થવાથી દેશવિરતિ વાને શ્રાવકની દશા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પ્રગટે છે. પણ સાથે સાથે પ્રત્યાખ્યાની કષાયનો ઉદય છતાં સાધુના પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની મહા ઈચ્છા પ્રગટી શકે છે તે ભાવનાના યોગથી પાંચ મહાવ્રત ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રગટે છે અને તે કારણથી પ્રત્યાખ્યાની કષાયના ક્ષયોપશમથી સાધુ જીવન રૂપ પાંચ મહાવ્રત ગ્રહણ પણ કરી શકાય છે. સાધુના વેશ માત્રથી છ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. પરંતુ સર્વ આરંભોથી નિવૃત થવાના આત્મ પરિણામ પ્રકટ થાય તો જ આ ગુણ સ્થાનક પ્રાપ્ત થઈ શકે છે. મઘ-વિષય-કષાય-વિકથા અને નિદ્રા આ પાંચ પ્રમાદ છે તેમાંથી કોઈપણ એક પ્રમાદ આ સ્થાને પર્વતનો હોય પરંતુ તે અંતમૂતિથી ઓછા ટાઈમ સુધી. જો તે અંતમુહર્તથી વધારે વાર રહ્યો તો આ છઠ્ઠ ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય. બીજું આ સ્થાનમાં સવલન કષાયોની ઉદય પ્રવર્તતો હોવાથી પ્રાયઃ મુનિયાથી નીચે જતા નથી. અર્થના નિપણું જતું નથી. (૭) પ્રભા દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં ધ્યાન નામનું સાતમા યોગનું અંગ પ્રાપ્ત થાય છે. તત્ત્વબોધ :- સૂર્યની પ્રભા જેવો બોધ થાય છે. ગુણ :- “પ્રતિપત્તિ” સ્થાન પ્રાપ્ત થાય છે. દોષ : આ દૃષ્ટિ થી રજા નામનો દોષ ચાલ્યો જાય છે. ધ્યેય વસ્તુમાં પદાર્થમાં એકાકાર બની જવું તેનું નામ ધ્યાન કહેવાય છે. કોઈ એક વસ્તુમાં ચિત્તને સ્થિર કરવું તેનું નામ "ધારણા" ત્યાર બાદ તે વસ્તુમાં ચિત્તની એકાકાર વૃત્તિ થતી આનું નામ ધ્યાન” તે પછી તે વસ્તુનું ધ્યાન કરતાં તંદુરૂપ બની જવું શ્રીમદ જયસેનસૂરિ અસ્તિત્વને ગ્રંથગુજરાતી વિભાગ In ord Jain Education International ૫ તેનું નામ “સમાધિ” ધાર ધારણામાં વૃત્તિનું એક દેશમાં ભાગમાં સ્થાપન કરી ધ્યેય વસ્તુનું સ્વરુપ રચવામાં આવે છે, અને તે સિદ્ધ થવાથી તે વસ્તુમાં જે વૃત્તિનો એકાકાર પ્રવાહ ચાલે તે ‘ધ્યાન’ આ ધ્યાનમાં જે પ્રવાહ ચાર્લે છે તે સતત ધારારૂપ હોતો નથી પણ મધ્યે ટો પડી જાય છે. વિચ્છેદવાળો હોય છે તે જો વિચ્છેદ પણું દૂર થઈ જાય એટલે અવિચ્છિન્ન પ્રવાહ સતત રૂપે ચાલ્યા કરે ત્યારે સમાધિ કહેવાય છે. ધારારૂપ હોતો નથ છઠ્ઠી દૃષ્ટિમાં તત્ત્વની વિચારણા થઈ, જ્યારે આ દૃષ્ટિમાં આદરણીય રૂપે થાય છે. યોગમાં વૃદ્ધિ થાય છે. બાહ્ય અત્યંતર આધિ, વ્યાધિ કે ઉપાધિ થતી નથી. ચિત્તની સ્થિરતા અપૂર્વ હોય છે. ધ્યાનને પરિણામે સમભાવ ઉદ્ભવે છે, સામર્થ્ય યોગનો પ્રથમભેદ ધર્મ સંન્યાસ પ્રાપ્ત થાય છે. છત્રે અને સાતમે ગુણસ્થાનકે રહે છે. અર્થાત પ્રમત્તમાંથી અસંખ્યાતવાર અપ્રમતમાં અને મનમાંથી પ્રમનમાં આવ-જાવ કરે છે. અપ્રમત્ત અવસ્થામાં લગીરે પ્રમાદનો ઉદય નથી હોતો ધર્મધ્યાન ઉત્કૃષ્ટ પરિણામી ધ્યેય છે. શુકલ ધ્યાનની ઝાંખીનો અહૃદય પ્રગટે છે. આ ગુણસ્થાનકે જો આતમને ઊંચામાં ઊંચી શુદ્ધોપયોગની લગન લાગે તો ત્યાંથી આગળ વધે છે. એટલે આઠમે ગુણ સ્થાનો જાય છે. ત્યાંથી શુક્લ ધ્યાનમાં અપાકશ્રેણી શરુ કરે છે અને વધતાં વધતાં છેક તેરમો સયોગી કેવલી ગુણસ્થાનકે પહોંચી જાય છે ત્યારે ચાર ઘાતિ કર્મોને ખપાવે છે અગર ન જાય ત્યાં તો, દશમા સુધી જઈને સંજ્વલનના લોભને બંધમાંથી દૂર કરે છે. ત્યાંથી અગ્યારમે ગુણસ્થાનકે જઈ થોડા ટાઈમ રહી ત્યાંથી પાછો નીચે પડે છે. આખા ભવચક્રમાં ક્ષપકશ્રેણીની પ્રાપ્તી એકવાર થાય છે અને ઉપશમ શ્રેણી પાંચ વાર પ્રાપ્ત થાય છે હાલમાં સાતમા અપ્રમત્તથી આગળ વધી શકાતું નથી. ત્યાં પણ સરાગ સંયમ ચારિત્ર છે. વળી ઘેષોને દૂર કરવાની બુદ્ધિવાળા અને ઉત્સાહ પુરુષાર્થવાન પરિણામી હોવાથી આરાધક છે. (૮) પરા દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં સમાધિ નામના યોગનું આઠમું અંગ પ્રાપ્ત થાય છે. તત્ત્વબોધઃ- ચન્દ્રાની ચન્દ્રિકા જેવો સુક્ષ્મમાં સુક્ષ્મ બોધ થાય છે અને તે બોધ સતત પ્રવૃત્તિ-શિલ હોય છે. ગુ :- "પ્રવૃત્તિ" ગુણ પ્રાપ્ત થાય છે તેથી આત્મા ગુણમાં સંપૂર્ણ પણે પ્રવર્તત કરે છે, દોષ- આસંગ નામનો આઠમો દોષ ચાલ્યો જાય છે. જે આગળની દૃષ્ટિમાં આઇસ્ત્રીય તત્ત્વબોધ હતો તે અત્રે પ્રવૃત્તિમાં પરિપૂર્ણતાને પામે છે. તે કારણથી એ પ્રાણીની ક્રિયા દુષણ રહિતની હોય છે. આ દૃષ્ટિમાં વિહરતો આત્મા તેના વચનનો વિલાસ (અનુસંધાન પાના ક્ર. ૪૯ ઉ૫૨) For Private & Personal Use Only भोगी मत बन मनुज तू, मत कर जीवन नाश । जयन्तसेन समझ बिना, मानवता की लाश ॥ www.jairnelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344