Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 247
________________ IT IS પૂ. આ. જયન્તસેનસૂરીશ્વરજી મારી નજરે (ડૉ. શ્રી પ્રહલાદ પટેલ, વડનગર) સતાં સંદભ સગઃ કથમપિ હિ પુજ્યેન ભવતિ સાનોનો સર્જનો સાથેનો સંગ કોઈક પુષ્પ યોગે જ થાય છે. – ભવભૂતિ એક ધરી. આવી ઘડી આવી મેં ભી આધ તુલસી સંગત સંત કી, કટે કોટિ અપરાધ પૂ. આચાર્ય શ્રી જયસેનસૂરીશ્વરને વાંદવાનો મળવાનો સુયોગ મારા જીવનની અવિસ્મરણીય ઘડીઓમાંની એક ઘડી છે. સંસારની ઘણી ઓછી વ્યક્તિઓની આંતરિક તેજસ્વિનાથી હું આકર્ષાયો છું, પણ જેની આત્મિક આભા મને સ્પર્શી ગઈ એ પરમ આધ્યાત્મિક સંત છે - પૂ. આચાર્ય જયન્તસેનસૂરીશ્વરજી મ પ્રાયઃ વિ. સં. ૨૦૪૦ના ચાતુર્માસમાં મારા પરમોપકારક પૂ. પં. અભયસાગરજી મહારાજશ્રી પાટણમાં સાગરના ઉપાશ્રયે બિરાજતા હતા. એક દિવસ તેમનો આદેશ મળ્યો કે “પાટણ આવો, ‘તીર્થંકર’ના સંપાદક ડૉ. શ્રી નેમીચંદ્ર જૈન સાથે આચાર્યશ્રી જયન્તસેનસૂરી ને મળવા નેનાવા જવાનું છે”. મારે મન તીર્થ ભૂતા હિ સાધવઃ' સાધુ વંદનાનો મોહ તો હતો જ. ઉપરાંત એક સમર્થ વિદ્વાન સાથેનો સહવાસ ! પાટણથી નેનાવા ૧૧૦ કિલો મિટર દૂર, સાંજના સમયે નીકળ્યા તેથી નેનાવા પહોંચવામાં મોડું થયું. પ્રતિક્રમણનો સમય હતો, અંધકારભયિ ઉપાશ્રયમાં પૂજશ્રીને સ્પષ્ટ નિયળી શકાય તેમ ન હતું. આમ પણ અજ્ઞાન અંધકાર ભર્યા સંસારમાં આપણે સાચા સંતોને ક્યાં ઓળખી શકીએ છીએ ? પરંતુ આ અંધકારમાં ૫ એક અલૌકિ વાતાવરણની અાસાર હતો, અંધકારથી પેલે પારનું કંઈક વિશેષ અનુભવાતું હતું. ડૉ. નેમીચંદ્રજીને ‘તીર્થંક૨’ હિન્દી સામયિકના “પૂજા વિશેષાંક” માં પૂજયશ્રીનું “અષ્ટ પ્રકારી પૂજા” ઉપરનું વક્તવ્ય ટેપ કરવાનું હતું હું તો માત્ર શ્રોતા જ હતો. પરંતુ પરમ સામીને લીધે એ અંધકારમાં પણ વક્તવ્યમાંથી આંદોલિત થતી તેમના આત્માની દિત્યનાની સ્પર્ધા થતો હતો. વક્તવ્ય પ્રશ્નોત્તર રૂપે હતું. ડાઁ નેમીચંદ્રજીના બુદ્ધિ અને તત્વજ્ઞાનને સ્પર્શતા પ્રશ્નો અને એવા જ શાસ્ત્રીય-જ્ઞાનની અનુભવની અગાધતા દર્શાવનારા પૂજયશ્રીના ઉત્તરો મારે મન આ બધું એક અણજાણ્યા જ્ઞાન પ્રદેશની યાત્રા રૂપ હું પરમ તૃપ્તિ નો અનુભવ થયો. વક્તવ્યને અંતે મારા પરિચય પછી મારી સાથેના મિતાક્ષરી વાર્તાલાપમાં જાણે પુરાણી આત્મિકતાનો રણકો હતો. તેમણે મને કહ્યું: “તમે અને હું (સ્થૂળ રૂપે) ઉત્તર ગુજરાતન અને આપણી મુલાકાત ન થાય એ કેમ ચાલે ? ફરી એક વાર જરૂર આવી". બસ, આ ઈજનથી કે તેમના આંતરિક સૌંદર્યથી ખેંચાવી અને સદાનો ડૉ. શ્રી પ્રહ્લાદ પટેલ શ્રીમદ્દ બનીનસૂરિ અભિનદનગ્રંથગુજરાતી વિભાગ = h Jain Education International ૩૯ This F ગુણાનુરાગી બની ગયો. -Sha ત્યાર પછી તો ડીસા, થરાદ સર્વત્ર વંદનાર્થે કંઈક પામવાના ભાવે જવાનું થતું રહ્યું. માર્ગદર્શન તથા સાહિત્યિક કાર્યો માટે પત્રવ્યવહાર થતો રહ્યો અને આત્મીયતા વધતી ગઈ. ગરવા શાનોપાસક ઉપાધ્યાય યશોવિજયજી એ શાન-મહિમા ગાતાં કહ્યું છે કે– પીયુષમસમુદ્રોદ્ઘ રસાયનમનૌષધમ્ । અનન્યાપેક્ષમૈશ્વર્યં જ્ઞાનમાહુર્મનીષિણઃ (જ્ઞાનસાર.) શાન તો સમુદ્ર વગર ઉત્પન્ન થયેલું અમૃત, ઔષધ નહીં તેવું રસાયણ, અપેક્ષા રહિત મહાન ઐશ્વર્ય છે. એક અજૈન તરીકે કહી શકું કે પૂજયશ્રીની નોંધપાત્ર લાક્ષણિકતા તે જ્ઞાન-પીયૂષની એમની અદમ્ય ઝંખના. એક સાંપ્રદાયિક સંત તરીકે પોતાના સાંપ્રદાયિક મહા-ગ્રંથોનું અધ્યયન તો તેમણે કર્યું જ છે; પણ એથી અદ-કેરી વાત એ છે કે આ સંતને જ્ઞાનના ક્ષેત્રમાં સાંપ્રદાયિકતાના સીમાડા નહ્યા નથી. ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્ર મિહ વિદ્યતે ।' ના દ્રષ્ટિકોણથી તેઓશ્રી પોતાનાં પ્રવચનોમાં, સાહિત્ય સર્જનમાં, ધાર્મિક ઉપદેશમાં, નવયુવકોની શિબિરોમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ગ્રંથોમાંથી તેમજ અન્ય સંપ્રદાયમાંથી દ્રષ્ટાંતો સહજતાથી ઉષ્કૃત કરે છે. આ માટે તેમના બે સંગ્રહો વિશેષ નોંધપાત્ર છે. રાજેન્દ્ર કોષ મેં “અ” અને “જીવન હો તો ઐસા આ બંને સંગ્રહોમાં પૂજયશ્રીએ જૈનેતર એવી વૈદિક અને બૌદ્ધ પરંપરાઓમાંથી ઉદ્ભવળ જ્ઞાન ધરીને આત્મસાત્ કરીને દ્રષ્ટાંતો સ્વરૂપે સ્વીકારી છે એ એમના હૃદયની વિશાળતાની સૂચક છે. તેમજ જ્ઞાન માટેની સનતાના પ્રતીકરૂપ છે. ‘આન્ને ભદ્રાકત્વો’ યનું વિશ્વતઃ (ગ્વેદ) સર્વ દિશાઓમાંથી અમને સારા વિચારી પ્રાપ્ત થાઓનું વૈચારિક સ્વાતંત્ર્ય પૂજયશ્રીના જીવનમાં પ્રતિબિંબિત થયું છે. ઉપરોકત બંને સંગ્રહો ઉપરાંત અન્ય પ્રવચન સંગ્રહો પ્રતિ દ્રષ્ટિપાત કરતાં એમાં પ્રાપ્ત થતાં પ્રસંગ વિરૂપો, શ્લોકો, કેશિકાઓ ભારતીય સાહિત્યની વિશાળતામાં કરેલા અવગાહનના સાક્ષીરૂપ છે. પરિણામે એમનાં પ્રવચનો સર્જનો જૈનેતરી માટે પણ આવકાર્ય અને આસ્વાદ્ય રહ્યા છે. પ્રસન્નતા. ગાંભીર્ય અને સૌમ્યતા-સોમા સંત પૂજયશ્રીના સંતત્વમાં સાંપ્રદાયિક સંકુચિતતા નથી પણ એક આધ્યાત્મિક સંતની અખિલાઈન દર્શન થાય છે. એક વાર્વિલાપમાં તેમણે કહેલું કે : “મારા હિન્દી ભાષી પ્રવચનોથી લોકો પ્રશ્ન કરે છે કે આપ ક્યાના ?” તો તેમને જવાબમાં કહેલું કે– “અમને સંતોને તો આખું વિશ્વ અમારું છે. સુીય તુમ્ I' સર્વ પ્રદેશોની ભાષાકીય તેમજ હવારિક લાથમિકતાઓને આત્મસાત્ કરનાર પામી જનાર આ સંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ ભારત સર્વ પ્રદેશોમાં શ્રદ્ધેય બન્યા છે. અને સૌ પ્રદેશોને-સમાજોને આત્મીય લાગ્યા છે. સમભાવયુક્ત સંતની જેમ, પોતાની ભવ્યોવલ ગુરુ પરંપરા For Private & Personal Use Only मैं मैं करना छोड़ दे, मत कर नर अभिमान । जयन्तसेन बडे बडे, छोड़ चले निज प्राण www.jairtelitrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344