Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 236
________________ સમાજ ઉત્થાન અને પૂ. ગુરુદેવશ્રી (પૂ. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) (પૂ. સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) પરમ - જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અંનત. સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. (૧) રે દેહ છતાં જેની દશા, વર્ષે દહાનીન, Au *$$$ તે જ્ઞાનીના ચરણમાં, 1 નંદન અગલિત. (૨) ૪. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (૩) આપણા ત્રિસ્તુતિક સમાજના ગચ્છાધિપતિ વર્તમાન યુગનાં સાહિત્યમનિષી, પ્રેરણાસ્ત્રોથી, તીર્થોદ્વારક, ૫.પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્વિજય જયન્તસેનસૂરીશ્વરજી મ.સા. સત્યમાર્ગનું દ્રષ્ટિબિંદુ પ્રદર્શક કરતાં ફરમાવે છે કે સ્વપ્ન જોનારો પોતાનાં સ્વરૂપને ભૂલી જાય છે. ખોટું સ્વપ્ન દુઃખ આપે છે. જે સૂતેલાં છે તેને સ્વપ્ન દેખાય છે. જાગનારને પરમામાં દેખાય છે, અને સત્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. માટે કે મહાનુભાવો મોહનદ્રામાં સનેલાં એવા તમે જા મોહનેહાની કાંટાળી શય્યા પર સૂતેલાં આપણને સંપમનાં સુંવાળા માર્ગ તરફ દોરતાં અને જૈનશાસનની મહત્તા સમજાવતાં પ.પૂ. મહાપ્રતાપી ગુરુદેવ કહી રહ્યા છે કે જૈન શાસન હરહંમેશ ત્યાગને પ્રધાનતા આપતું આવ્યું છે. રાગ સાથે એને મેળ નથી. વિરાગ સાથે એને સૌ સૌ જુગનું સગપણ છે, જૈનશાસનની કોઈપણ ક્રિયા, કોઈપણ અનુષ્ઠાન, રાગની સાથે સગપણ તોડી વિરાગ સાથે પ્રીત જોડી વૈરાગ્યનું માધ્યમ જ વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે. **** જૈનશાસનના પ્રીતીયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ કે બધાય યોગો આત્માને સંસારમાંથી ખેંચી કાઢી અસંસારી અવસ્થામાં માટે જ છે. મૂકવા મહાન ઉપકારી એવા પૂ. ગુરુદેવ એમની અમૃતવાણીમાં સમજાવતાં કહી રહ્યા છે કે, આધુનિક શિક્ષણથી મગજનો ખાં બનેલો નવો ફાલ મા-બાપની બધી સમજાવટ પર પગ મૂકી ઘરે મિશનની પ પ્રેમ આધુનિક સાધનો વસાવવાની ધુનમાં જ રમતો નજરે ચડે છે. આ બધી અનર્થની પરંપરાના મૂળમાં ધર્મ મહોત્સવો પણ ભાગ ભજવી જાય છે એ ખરેખર ખૂબ જ દુઃખની વાત છે, ધર્મના મહોત્સવો અને અનુષ્ઠાનોને, ધર્મના સ્થાનોને અધર્મના સાધનોથી જેટલાં આપણે વેગળા રાખશે. એટલી ધર્મસ્થાનોની તાકાત વધશે. કોઈ પણ ધર્મસ્થાન એ ઉંટ-મટોડીનું કે સીમેન્ટ સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજ કોક્રેટનું ઊભું કરેલું એક મકાન છે. . P શ્રીમક ોનો યુજરાતી વિભાગ Ab Jain Education International એ આપણી ભૂલ છે. ધર્મસ્થાનો તો પ્રત્યેક ધર્મ-પ્રેમી આત્માઓને આદર્શો અને ઉપદેશોના સંદેશા પહોંચાડનારી પાર્લમેન્ટો છે. ધર્મસ્થાન એ તરવાના સ્થાન છે. તરવાનાં સ્થાનોમાંથી આપણે તારક શક્તિ જ લૂંટી લેશું તો એ સ્થાનો માત્ર દેખાવના જ ધર્મસ્થાનો રહેશે. આ લક્ષ્ય જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી બધા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવે એ શક્ય લાગતું નથી. આ રીતે પ.પૂ. વર્તમાનાચાર્ય પોતાની મધુરભાષી વ્યાખ્યાનશૈલી દ્વારા ગામ નગરે વિચરતા સત્ય વસ્તુનો બોધ પાડી રહ્યા છે. જેમની વ્યાખ્યાન શૈલીનાં પ્રભાવે જૈનેત્તરો પણ તેમનાં સંસર્ગમાં આવ્યા. પૂ. ગુરુદેવે પ્રબળ પુરુષાર્થ કરી ઘણા જૈનેત્તરોને જૈન બનાવ્યા. આમ આજે પણ પૂ. ગુરુદેવ શાસન અને સમાજનાં મહાન કાર્યો. કરી રહ્યા છે. એવા પૂ. ગુરુદેવનાં જીવનચરિત્ર દ્વારા મને તેમનામાં રહેલા ગુણો, તીનદ્ધિ અને એમનાં કાર્યો જોતાં મને એમ જ થાય છે કે હું ક્યા ગુણોનું વર્ણન કરૂં ? જો કે તેમનાં ગુણો વાણી દ્વારા અવર્ણનીય છે લખવું તે મારી શક્તિ બહારની વાત છે, છતાં પણ પૂ. ગુરુદેવનાં ગુણનું વર્ણન કરવા ઉત્સુક બનેલી એવી હું યથાશક્તિ વર્ણન કરૂં છું. પૂ. વર્તમાનાચાર્ય, ગંભીર ગચ્છાપતિ પ.પૂ. પતિન્દ્રસૂરીશ્વરજ મ.સા.ની નિશ્રામાં રહી શાનાભ્યાસ કરતાં હતા. પૂ. વર્તમાનાચાર્થમાં વિનયનો અજોડ ગુણ હોવાનાં કારણે સમુદાયમાં સર્વેને પ્રિય બન્યા. ગુરુદેવની આજ્ઞા, ગુરુદેવની સેવા, અને તેમનો વિનય એ જ તેમનાં જીવનનો શ્વાસ છે. તેઓ કદી ગુરુદેવથી દૂર બેસતાં ન હતા. જ્યાં ગુરુદેવની દ્રષ્ટિ પડે ત્યાં જ બેસતા હતા. વિનયની મહત્તા અને અર્પણતાનો મહિમા અજોડ છે. જીવનમાં સર્વ સિદ્ધિઓ હસ્તગત કરવાની અને ગુરુભગવંતોના હ્રદય ખજાનો ખોલી રત્નત્રય પ્રાપ્ત કરવાની ચાવી હોય તો તે વિનય છે. વિનય એ સમસ્ત ગુણોનો શણગાર છે. સમસ્તગુણો વિનયને આધીન છે. સરળતા નમતા નિરાભિમાનતા, અને ભક્તિભાવ, સહનશીલતા, સેવ, શાસન અને સમાજ ઉત્થાન કરવાની ભાવના વિ. સર્વ ગુણો વિનયમાંથી ઉદ્ભવે છે. વિનય જેવી બીજો ગુષ્ઠ અર્પણના છે. પૂ. વર્તમાનાચાર્યનાં જીવનમાં સમર્પિતભાવ અને વિનયણ અણુએ અણુમાં વ્યાપી ગયો છે. જેનાથી પૂ. ગુરુદેવનું જીવન આવી અર્પણનાના અત્તરની સૌરભથી મહેકતું રહ્યું છે, અને વિનયની અદ્ભુત પ્રભાથી પ્રકાશિત છે. પૂ.ગુરુદેવ યતિન્દ્રસુરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં રહી તેમણે સંસ્કૃત,પ્રાકૃત, ન્યાયશાસ્ત્રોનું અજોડ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. ક્યારે પણ ગુવિજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ નથી. ૫.પૂ.વર્તમાનાચાર્ય પોતાનાં સ્વાનુભવથી કહે છે કે, વિનયનાં આસન વિના જ્ઞાનનાં બેસણા ન હોય !” આવા છે અમારા શાસનોધ્ધારક પરમ નાકે સંયમ ના.પ.પૂ. ગુરુદેવ ! - પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્વિજય જયંતસેનસૂરીશ્વરજીના વ્યાખ્યાનના અંશો ૨૮ For Private & Personal Use Only इच्छाओं का जगत में, कभी न होता अन्त । जयन्तसेन अनादि से, कहते ज्ञानी सन्त ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344