________________
ગેટર, નેલોર વિ. સ્થળોએ અનેક ભાવિકજનો હતા. જેમણે પૂ. મુનિરાજશ્રીનાં પદાર્પણ તેમના ગામે કરાવ્યા હતા. પરંતુ ચાતુમાસ કરાવી શકયા ન હતા તે બધા ધર્મ ક્રિયાઓ ક૨વા વિજયવાડામાં ઉભરાવા લાગ્યા અને ચાતુર્માંસ દરમ્યાન વિજયવાડામાં અનેક પ્રકારે ધર્મક્રિયાઓ કરાવી આંધ્રવાસીઓના જીવન ધન્ય બનાવ્યા અને વિજયવાડા સ્થિત સિયાણા નિવાસી શ્રેષ્ઠી શ્રી કપુરચંદજી જેઠમલાને સદુપદેશ આપી વિજયવાડાથી શ્રી સમેતિશખરજ મહાતીર્થ અને ત્યાંથી ભાંડવાજી સુધીનો અતિ લાંબો છ'રી પાળતો સંઘ કઢાવ્યો જે છ'રી પાળતા સંઘના ઈતિહાસમાં સૌથી લાંબો (વધુ કીલોમીટરનો) સંઘ હતો. અને યાત્રિકોની સંખ્યા પણ ઘણી હતી. પરંતુ પૂ. મુનિરાજશ્રીના આશીર્વાદ અને શ્રી સંપતિની અનેરી વ્યવસ્થાના કારણે આનંદ પૂર્વક પૂર્ણ થયો. સ. ૨૦૩૭ મદ્રાસ શહેરમાં ધોબીપેટમાં શ્રી જિન મંદિરની પ્રતિષ્ઠા એજનશાળ કરાવી અને મદ્રાસમાંજ (અગ્રામ)માં પણ શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા અંજનશલાકા કરાવી સં. ર૩૮માં નેલોરમાં પણ મળ પ્રતિષ્ઠા અંજનશલાકા કરાવી. દક્ષિણને ત્રણ ત્રણ નૂતન જિનાલયોની ભેટ ધરી. અને એ રીતે પૂ. મુનિરાજશ્રી ફરી પાછા છ'રી પાલિત સંઘ સાથે રાજસ્થાન પધાર્યા. શ્રી માંડવાળ તીર્થમાં અતિ ઉલ્લાસપૂર્વક શ્રી સંઘપતિને સંઘમાળ પહેરાવી પ.પૂ. મુનિરાજશ્રી સિયાણા પધાર્યાં. ત્યાં પોષ વદ ૧૧ ના પવિત્ર દિવસે કચનારા નિવાસી શ્રી. અશોકકુમારને ભાગવતી દથા આપી તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી પદ્મરત્ન વિજયજી નામે ઘોષિત કર્યા અને તેજ દિવસે સિયાણા નિવાસી કે, કમલાકુમારી અને કુ. મંજુલાબેન ને દીક્ષિત કરી અનુક્રમે પૂ. સાધ્વી શ્રી પૂણ્યપ્રભાશ્રીજી અને પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણદર્શનાશ્રીજી નામે ઘોષિત કર્યા. જે બંને અનુક્રમે પૂ. સાધ્વીજી શ્રી સૂર્યકિરણાશ્રીજીનાં અને પૂ. સાધ્વીજી શ્રી મહાપ્રભાશ્રીના શિષ્યા તરીકે જાહેર થયા. અને હવે આવ્યું સં. ૨૦૪૦નું એક અતિ યાદગાર વસ- શ્રી ભાંડવાજી તીર્થ કે જ્યાં પૂ. મુનિરાજશ્રી જયંત વિજયજીને આચાર્ય પદવી અર્પત થઈ જેનો આંખે દેખ્યો અહેવાલ આ રહ્યો - આચાર્ય પદવીદાન સમારંભ
૫.પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ વિજય વિદ્યાચંદ્રસૂરી૨જી મહારાજ કાળધર્મ પામતાં સમાજમાં ઉત્પન્ન થયેલા શૂન્યાવકાશને દૂર કરવા કોઈ પણ મુનિરાજશ્રીને આચાર્ય પદવી આપવી જ પડે, અને એ માટે શ્રી સમસ્ત ત્રિસ્તુતિક સંઘના પ્રમુખશ્રી ગગલદાસ હાલચંદભાઈ સંઘવીના પ્રમુખ પદે અમદાવાદમાં શ્રી સૌધર્મ બૃહતપાગલ્ક્યિ અખિલ ભારતીય સંમેલન બોલાવવામાં આવ્યું. જે સમયે શાંતમૂર્તિ મુનિરાજશ્રી શાંતિવિજય પણ અમદાવાદ હતા. આ સંમેલન બોલાવવા માટે તેમની પણ શુભ પ્રેરણા હતી. તા. ૧૦-૧૦-૮૧ અને ૧૧-૧૦-૮૧ ના બે દિવસના આ સંમેલનમાં ઠરાવવામાં આવ્યુ કે વર્તમાનમાં આચાર્ય પદવી માટે ચાલી રહેલા વિવાદ ને દૂર કરવા સર્વાનુમતે આચાર્ય પદવી કોને આપવી તેનો નિર્ણય લેવા એક સમિતિની રચના કરવી અને આ માટે એક સમિતિ બનાવવામાં આવી આ સમિતિની પ્રથમ બેઠક નિમ્બાહેડા રાજસ્થાનમાં થઈ
મુદ્ ાવનારોના >
Jain Education International
મહત્ત્વન એક ગુજરાતી વિભાગ are fro
૧૪
અને તો પણ નક્કર પરિામ ન આવ્યું પરંતુ કાર્યને વેગ જરૂર મળ્યો. આ સમય દરમ્યાન પૂ. મુનિરાજશ્રી નો દક્ષિણમાં ડંકી વગાડતા હતા. એટલે દક્ષિણ ભારતીય ત્રિસ્તુતિક સંઘના અધ્યક્ષશ્રી પન્નાલાલજી રામાણીના આમંત્રણથી અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહતપાગચ્છિપ ત્રિસ્તુતિક શ્રી સંઘનું સંમેલન તા ૨૬-૨૭ નવેમ્બર ૧૯૮૨માં પરમ પાવક તીર્થ કુલપાકમાં રાખવામાં આવ્યું. આ સંમેલનમાં ૧૩૦ ગામના શ્રી સંઘોએ ભાગ લીધો અને આ સંમેલનમાં સર્વાનુમતે એકી અવાજે પ.પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજીને આચાર્ય પદવી. આપવાનુ નક્કી કરવામાં આવ્યું. શ્રી પન્નાલાલજી રામાણી દ્વારા ઠરાવ મુકવામાં આવ્યો. અને શ્રી જે. કે. સંઘવી અને શ્રી પ્રેમસિંહજી રાઠોડ દ્વારા આ ઠરાવને અનુમોદન આપવામાં આવ્યું. આ સમયે પ.પૂ. મુનિરાજશ્રી વિજયવાડામાં હતા. કરાવ પસાર થતાં ટેલીફોનની ઘંટડીઓ રણકી ઉઠી. અને અનેક ગામ નગરે ફોન કરી આ ઠરાવની જાણ કરવામાં આવી. પ.પૂ. મુનિરાજશ્રી જયંત વિજયજીને પણ શ્રી સંઘ દ્વારા થયેલ આ ઠરાવની જાણ કરવામાં આવી અને વિસ્તૃતિક સંધમાં આચાર્ય પદવીની અવનવી આગાહીનો અંત આવ્યો અને એ રીતે કાવતી (અમદાવાદ) માં શરૂ થયેલ ચર્ચા વિચારણાએ કુલપાકજીમાં નક્કર સ્વરૂપ પકડ્યું અને સમસ્ત શ્રી ત્રિસ્તુતિક સંઘમાં આનંદની લહેર છવાઈ ગઈ અને પછી અનેક પ્રકારે વિચારવિમર્શ પછી પ.પૂ. મુનિરાજશ્રીને જેમ બને એમ જલ્દી ગુજરાત રાજસ્થાન તરફ પધારવા વિનંતી કરવામાં આવી અને પૂ. મુનિરાજશ્રી ઉંચ વિહાર કરી વિજયવાડા - સમેતિશખરજી થઈ ભાંડવા નીર્વ પધા ત્યારે તો આચાર્ય પદવીદાન સમારંભ માટેની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો હતો એ પ્રારંભ-મધ્યાહન અને પૂર્ણાહુતિનો હવે આવે છે સુવર્ણ અવસર. વિજયવાડા - સમેતશિખરજી અને સિયાણા ભાંડવાજી છ'રી પાલિત સંઘની આનંદપૂર્વક સફળતા પ્રાપ્ત કરી પૂ. મુનિરાજશ્રી એ સ. ૨૦૪૦ નું ચાતુર્માસ રેવતડા કર્યું. એમની મુનિ અવસ્થાનું છેલ્લું ચાર્મિંસ હતું અને તે ચાતુમાસ પૂર્ણ થતાં પૂ. મુનિશજશ્રી ભાંડનપુર તીર્થ પધાર્યા. સં. ૨૦૪૦ માસ ૧૩ બુધવાર તા ૧૫૨-૧૯૮૪ની દિવસ ઈતિહાસના પાને વક્ષરે લખાયો. જે દિવસે પ.પૂ. મુનિરાજશ્રીને ભાંડવાજી તીર્થ મુકામે સમસ્ત ત્રિસ્તુતિક શ્રી સંઘે આચાર્ય પદવીથી વિભૂષિત કરી પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી નામે ઘોષિત કર્યા. obje આંખે દેખ્યો સંક્ષિપ્ત અહેવાલ
આચાર્ય પદવી દાન સમારંભ એ કોઈ નાની સુની વાત નથી સમસ્ત ત્રિસ્તુતિક સંઘના નાયક તરીકે એક વ્યક્તિની નિયુક્તિ થાય ત્યારે સંઘમાં ચારે તરફ આનંદ ઉલ્લાસનું વાતાવરણ પેદા થાય જ અને આ પ્રસંગે મોટો માનવ મહેરામસ. ઉપસ્થિત થશે એ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈને આ મહોત્સવનું આયોજન ઘણી અને વસ્થિત મહેનત માગી લે છે અને એટલેજ એ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશના હિન્દુસ્તાનને ખૂણે ખૂણે વસતા ત્રિસ્તુતિક સમાજના અગ્રણીઓની મીટીંગ બોલાવી મહોત્સવના આયોજન માટે
For Private & Personal Use Only
अंजलि जल ज्यों जा रहा, क्षण क्षण जीवन काल । जयन्तसेन सुपथ चलो, पग पग पर सम्भाल ॥ www.jainelibrary.org