Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ જેને તવ વિચાર સમ્યગદર્શન, જન ઇતિહાસ, જૈન સાહિત્ય સંશોધક અંક–એ ગ્રન્થમાંથી અવતરણે લઈ ગ્ય આકારે લેખ તૈયાર કરી મૂકવામાં આવેલ છે, જેથી તે તે ગ્રન્થકાર વિદ્વાનો ઉપકાર માનું છું. “પરમાર્થસૂચક વસ્તુ વિચાર સંગ્રહ એ મથાળાવાળા લેખ જૂદા જૂદા મથાળા નીચે ઉપર્યુક્ત બને માસિકમાં પ્રગટ થયેલ, જે ઉપરના એક જ નામથી બધે સંગ્રહ એકત્ર કરી યથામતિ–ોગ્ય રીતે કરી મૂકવામાં આવેલ છે. મજકુર લેખસંગ્રહ મેં સ્વતંત્ર લખેલ નથી જેમ તેમાં મારા વિચારો છે, તેમ બીજા ગ્રન્થકર્તાને પણ વિચારો છે; છતાં તે મને મારા વિચારને અનુકૂળ લાગવાથી સંખ્યાબંધ ગ્રન્થોમાંથી સારરૂપે લઈ યોગ્ય આકારે મૂકવામાં આવેલ છે. એમાંથી વિવિધ વસ્તુઓ સમજવાને સાધનભૂત બાબતો જિજ્ઞાસુવર્ગને જાણવા યેચું માની શકાય. આ સર્વ કાંઈ એક યા બીજા રૂપે શ્રી જિનવાણીને જ વિભાગ છે. સુજ્ઞ વાચકવર્ગ તેમાંથી સમજવા યોગ્ય ઉપાદેય વસ્તુને પ્રાપ્ત કરી સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુને ગષી વિચારે. સાહિત્ય નજરે કે અન્ય રીતે ટીકા કરવા યોગ્ય નથી. એમાં સમજવા લાયક તત્વ જણાય તે જીવવા લાયક છે, એ દૃષ્ટિને સન્મુખ રાખી લેખો વાંચવા વિજ્ઞપ્તિ છે. સદર લેખનું વાંચન તથા પ્રકારના જિજ્ઞાસુ સુજ્ઞવર્ગને રેગ્ય રીતે લક્ષગત થવા સંભવ; જેથી તેના અધિકારી તથા વિધ જીવો સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 374