Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 174
________________ ચિર-સંચિઅ-પાવ-પણાસણીઇ, ભવ-સચ-સહસ્સ-મહણીએ 1 ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઇ, વોલંતુ મે દિઅહા || ૪૬ || ચિરસંચિઅ =લાંબા કાળનાં બાંધેલા, પાવપણાસણીઇ–પાપોનો નાશ કરનારી ભવસયસહસ્સ = લાખો ભવોનું, મહણીએ =મથન કરનારી, કાપનારી ચઉવીસજિણ–ચોવીસ જિનેશ્વર પ્રભુના, વિણિગ્ગયકહાઇ =મુખથી નીકળેલી ધર્મકથા વોલંતુ =પસાર થજો મે=મારા દિઅહા=દિવસો લાંબા કાળનાં બંધાયેલાં પાપોનો નાશ કરનારી, લાખો ભવોનું મથન કરનારી,ચોવીસ જિનેશ્વરભગવન્તોના મુખથી નીકળેલી ધર્મકથાઓ કરતાં કરતાં મારા દિવસો પસાર થજો. ॥ ૪૬ ॥ “મમ મંગલ મરિહંતા, સિદ્ધા સાહૂ સુબં ચ ધર્મો અ। સમ્મÉિટ્ઠિ દેવા, દિંતુ સમાહિં ચ બોહિં ચ || ૪૭ || (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ પરમાત્મા, (૩) સાધુભગવન્તો, (૪) શ્રુતધર્મ આ ચારે મને મંગલભૂત હોજો, તથા સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ અને બોધિબીજ આપજો. ૫૪૭ || “પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણ મકરણે પડિક્કમણં 1 અસદહણે અ તહા, વિવરીય પરૂવણાએ અ II ૪૮ ॥ આ ગાથામાં પ્રતિક્રમણ શા માટે કરાય છે તેનાં ચાર કારણો બતાવેલ છે. તે આ પ્રમાણે છે : (૧) પડિસિદ્ધાણં કરણે =શાસ્ત્રોમાં પ્રતિષેધ કરેલાં અશુભ કામો આપણે કર્યાં હોય, (૨) કિચ્ચાણમકરણે =કરવા લાયક ધર્મકાર્યો ન કર્યા હોય, (૩) અસદૃહણે =શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ મેં અશ્રદ્ધા કરી હોય, (૪) વિપરીત પ્રરૂપણા=શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય; એમ આ ચાર કારણોસર મેં જે કંઈ પણ ૧ સમાધિ = સમતાભાવ. ૨ બોધિબીજ = સમ્યક્ત્વ. 190-34 Jain Education International For Private & Personal Use Only શ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252