Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 213
________________ પાંચસો ચોરો સાથે ચોરી કરવા ગયા હતા તે પ્રભવ નામના ચોર, નવપરિણીત આઠ સ્ત્રીઓ સાથે ચાલતો જંબૂસ્વામીનો ધર્મસંવાદ સાંભળી પ્રતિબોધ પામ્યા હતા. બધા જ ચોરોએ સાથે દીક્ષા લીધી હતી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ચૌદ પૂર્વના જાણકાર હતા. (૪૦) વિષ્ણકુમાર પક્વોત્તર પિતા, વાલાદેવી માતા, શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી હતી. તપના પ્રભાવથી અપૂર્વવિદ્યાવાળા બન્યા હતા. એક વખત ધર્મષી એવા નમુચિએ દ્રષબુદ્ધિથી જૈન સાધુઓને રાજ્યની હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો, વિષ્ણુકુમારને આ વાતની ખબર પડતાં સાધુઓની મદદે આવ્યા. નમુચિને ઘણો સમજાવ્યો. છતાં ન સમજવાથી ફક્ત ત્રણ પગલાં જેટલી જમીનની માગણી કરી. નમુચિએ વિચાર્યું કે એટલી જગ્યામાં મુનિઓ ક્યાં સમાવાના હતા ? એમ સમજીને હા પાડી. અત્યન્ત ગુસ્સે થયેલા નમુચિ મુનિને વૈક્રિય લબ્ધિ હોવાથી એક લાખ યોજન ઊંચું વૈક્રિય શરીર બનાવી ૧ પગ જંબૂદ્વીપના પૂર્વ છેડે અને બીજો પગ જંબુદ્વીપના પશ્ચિમ છેડે મૂકી આખી જગ્યા વાપરવા માટે લઈ લીધી. હવે ત્રીજો પગ ક્યાં મૂકું ? એમ નમુચિને પૂછ્યું. ઉત્તર ન મળતાં તેના માથે મૂક્યો. છેવટે તે નમુચિ મરીને ધર્મષના કારણે સાતમી નરકમાં ગયો. ઘણા મનુષ્યો - દેવો અને દેવીઓએ બહુ જ સ્તુતિપ્રાર્થના કરી ત્યારે તે મુનિ શાન્ત થયા. (૪૮) આદ્રકુમાર અનાર્યદેશમાં આર્ટુિકદેશના પોતે રાજકુમાર હતા. તેમના પિતા આર્રિક અને રાજગૃહીના રાજા શ્રેણિકમહારાજાને પરસ્પર ઘણી પ્રીતિ બંધાઈ. એક વખત અભયકુમારે પોતાના મિત્રને જૈનધર્મ પમાડવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252