Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 14
________________ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો જીવી શકે છે અને આસપાસના વાતાવરણને પણ શાંત બનાવી શકે છે. આ રીતે ધન્ય સાર્થવાહ અને ભદ્રા સાર્થવાહીનો જીવનવ્યવહાર વાચકોને શાંત અને સુરક્ષિત જીવન જીવતા શીખવે છે. - જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો ત્યારે તે યથાર્થ હોતું નથી, જેમકે ભદ્રા સાર્થવાહીને કારાગૃહમાં રહેલા પોતાના પતિ પુત્રઘાતક ચોરને આહાર આપે છે, તે સમાચાર મળ્યા. તુરંત તેને પતિ પ્રતિ અત્યંત અભાવ, રોષ અને નારાજગીના ભાવો પ્રગટ કર્યા. પતિ કેવા સંયોગોમાં કેવી રીતે આહાર આપે છે તે જાણવાનો પ્રયત્ન કર્યા વિના જ પતિની ઉપેક્ષા કરવા લાગી. જયારે પતિ પાસેથી સર્વ હકીકત જાણી અર્થાત્ એકાંતદૃષ્ટિ છોડીને અનેકાંત દૃષ્ટિ અપનાવી, ત્યારે તેનો રોષ ઉતરી ગયો. આમ કોઈપણ સમસ્યાના સમાધાન માટે અનેકાંત દૃષ્ટિ એક ઔષધનું કામ કરે એકાંત દૃષ્ટિકોણ સમસ્યા છે, અનેકાંત દૃષ્ટિકોણ સમાધાન છે. એકાંત દૃષ્ટિકોણ રાગ-દ્વેષજનક છે, અનેકાંત દૃષ્ટિકોણ વીતરાગતા તરફનું ગમન છે. એકાંત દૃષ્ટિકોણ અજ્ઞાન છે, અનેકાંત દૃષ્ટિકોણ સમ્યગુજ્ઞાન છે. એકાંત દૃષ્ટિકોણ કર્મબંધનું કારણ છે, અનેકાંત દૃષ્ટિકોણ કર્મમુક્તિનો માર્ગ છે. આજના યુગમાં પ્રાયઃ વ્યક્તિના માનસ સંકુચિત, શુદ્ર અને સ્વાર્થબહુલ થઈ ગયા છે. અન્ય વ્યક્તિના એકાદ વ્યવહારને જોઈને સામી વ્યક્તિ માટે અભિપ્રાયો આપે છે, અનુમાનો બાંધે છે. પોતાની ઇચ્છાથી આંશિક પણ વિરુદ્ધ વ્યવહારને જોઈને તેનો ઉશ્કેરાટ પ્રગટ થાય છે. ક્ષણવારમાં તે સંબંધોને બગાડી નાંખે છે, પરંતુ જો ભદ્રસાર્થવાહીએ પતિની સાંભળીને પોતાનો અભિપ્રાય બદલી નાંખ્યો અને શાંતિથી જીવન વ્યતીત કરવા લાગી, તે જ રીતે એક વ્યક્તિ પોતાની વિશાળ દૃષ્ટિથી બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે તો આવેશ કે ઉશ્કેરાટને અવકાશ રહેતો નથી. તે સ્વયં શાંતિથી સંબંધોની વિચિત્રતામાં સમભાવઃ સંસારના સંબંધો વિચિત્ર છે. જેના વિના એક ક્ષણ પણ જીવી શકીશ નહીં, તે પ્રમાણે જીવની માન્યતા હોવા છતાં તેના વિના અનંતકાળ વ્યતીત કરવો પડે છે અને જેનું મુખ ક્યારેય જોઈશ નહીં તેવો દ્વેષભાવ રાખતા જીવને તે વ્યક્તિને ત્યાં જ પુત્ર રૂપે ઉત્પન્ન થવું પડે છે, તેની સાથે રહેવું પડે છે. જેમ ધન્ય સાર્થવાહને પુત્રઘાતક વિજયચોરની સાથે જ એક બેડીમાં બંધાઈને કારાગૃહમાં રહેવું પડ્યું, કુદરતી હાજતના નિવારણ માટે વિજયચોરની જ અધીનતા સ્વીકારવી પડી. સંસારના સંબંધોની આ જ વિચિત્રતા છે. વ્યક્તિ જો આ વાસ્તવિકતાને સ્વીકારે, તો સંબંધીજન્ય રાગ-દ્વેષના ભાવોને ઘટાડી શકે છે. આ રીતે કથાનક ટૂંકું હોવા છતાં જીવન વ્યવહારમાં તે અત્યંત બોધપ્રદાયક છે. | (સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપરિવારના તપસમ્રાટ પૂ. રતિલાલજી મહારાજના આજ્ઞાનુવર્તી પૂજ્ય મૂક્ત-લીલમના શિષ્યરત્નાવિરલ પ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મ.સ.નાશિષ્યા આરતીબાઈ મ.સ. પ્રાણ આગમ બત્રીસીના સહસંપાદિકા છે અને તેઓએ ખતરગચ્છના પૂ. દેવચંદ્રજી સ્વામી પર શોધ પ્રબંધ લખી પી.એચ.ડી. કરેલ છે. પૂજ્યશ્રી જૈન વિશ્વકોશના પરામર્શ દાતા છે.) ૨૪ - ૨૫ -

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 145