Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 15
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો ઈકોઈ રાઠોડના કર્મની કિકિયારી બતાવતી કથાનું સંવેદન - પૂ. ડૉ. વિરલબાઈ સ્વામી -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનોલોકો પાસબુક, ચેકબુક, ફેસબુક વસાવશે પણ આગમબુક વસાવવી ગમતી નથી. આત્મા અને પરમાત્મા વચ્ચેનું માધ્યમ આગમ છે. આગમ એ પરમાત્માનો પત્ર છે, પરંતુ તેણે સ્વયં નથી લખ્યો. જેમ શેઠ પોતાના મહેતાજી પાસે પત્ર લખાવે તેમ પરમાત્માએ ગણધર પાસે પત્ર લખાવ્યો અને આપણા સુધી પહોંચાડી દીધો. જે પત્રની અંદર સોનેરી શિખામણ, અનંત સુખના ખજાનાની ચાવીઓ અને જીવન જીવવાની વિશિષ્ટ કળાઓ બતાવી છે. તે પત્ર તો આપણા હાથમાં આવી ગયા પરંતુ હવે તેને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવા પડે. જેમ મોબાઈલનો રીચાર્જ કરાવવો પડે તેમ માનવજીવનને મહાન બનાવવા માટે આગમરૂપી પદ અને કથાઓ દ્વારા રીચાર્જ કરાવવો પડશે. ૩૨ આગમ પૈકી ૧૧ મું વિપાકસૂત્ર એક કર્મવેદનનું શાસ્ત્ર છે. બે પ્રકારના કર્મ છે - શુભ અને અશુભ. આ બન્ને કર્મોને સમજાવતું વિષાકસૂત્ર રસમય અને સંવેદનશીલ કથાઓથી ભરપૂર છે. કથા સાંભળતાં અંતરની વ્યથા, અંતરનો થાક અને કર્મની નિર્જરા થાય છે. જે કથા સાંભળવાથી હૈયું હચમચી જાય, મગજ મેડ થઈ, બુદ્ધિ બહેર થઈ અને હાથ હાથમાં ન રહે, તો વાંચો ઈકોઈ રાઠોડની કથાનો આસ્વાદ. ભગવાન મહાવીરના સમયમાં મૃગગ્રામ નગરમાં વિજયક્ષત્રિય રાજા અને મૃગાવતી રાણી રાજ્ય કરતા હતા. સમય પસાર થતાં મૃગાવતી રાણીએ એક બાળકને જન્મ આપ્યો તેનું નામ મૃગાલોઢિયા રાખું; જે જન્મથી જ હાડપિંજર હતો. તેને આંખ, કાન, નાક, હાથ, પગ આદિ અવયવ ન હતા. તે દરેક અંગોના સ્થાને ફક્ત નિશાની જ હતી. જન્મ પહેલાં ગર્ભમાં જ તેને ભસ્મક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરે કે તરત જ તેના શરીરમાંથી વાંચો વિચારો અને જાણો કર્મરાજાની અનોખી ભાત, વિપાકસૂત્રમાં ઈકોઈ રાઠોડે સત્તાથી બરબાદ કર્યા દિન રાત; ભ. મહાવીરને ગૌતમ સ્વામીના સંવાદથી જાણવા મળી કર્મની વાત. કથાનો સબોધ વાંચી જનજન સુધારી લેજો પોતાની જાત. વીતરાગ પ્રભુએ આત્મકલ્યાણ માટે આગમભાવનો અપૂર્વ રાજમાર્ગ બતાવ્યો. મહાપુરુષના વિષાદથી જગતને અમૂલ્ય પ્રસાદ મળે છે. મહર્ષિ વાલ્મિકીના અંતરમાં વિષાદ ન થયો હોત તો જગતને રામાયણનો પ્રસાદ ન મળત. મહર્ષિ વ્યાસ અને મહારથી અર્જુનના અંતરમાં વિષાદ ન થયો હોત તો જગતને ભાગવત અને ગીતાનો પ્રસાદ ન મળત, એમ ગૌતમસ્વામીના અંતરમાં વિષાદ ન જાગ્યો હોત તો ભગવાન મહાવીરના આગમનો પ્રસાદ ન મળત. મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે આગમ માઈલસ્ટોન છે. આજે - ૨૬. - ૨૦

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145