Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 49
________________ જૈન કથાનકોમાં સધ્ધોધના સ્પંદનો સગર ચક્રવર્તી - જીવનચરિત્ર - એક અધ્યયન અને કથામાં આધ્યાત્મિકનિરૂપણ - જસવંત ધનજીભાઈ શાહ -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એટલે ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળભદ્ર. એટલે આ ગ્રંથમાં વર્તમાન કાળના આ ભરતક્ષેત્રના ૬૩ શલાકા પુરુષોના જીવનચરિત્રોનું વર્ણન ઉપલબ્ધ છે. આ ગ્રંથના ગુજરાતીમાં ભાષાંતર કર્તા (4) શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ છે. પ્રકાશનકર્તા શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦૦૧. (૫ મી આવૃત્તિ – ૨OO૬) વર્તમાનકાળના ૧૨ ચક્રવર્તીમાં પ્રથમ ચક્રવર્તી – જે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી હતા. દ્વિતીય ચક્રવર્તી – સગર ચક્રવર્તી - તીર્થકર શ્રી અજિતનાથના સમયમાં થયા હતા. અત્રે એ પણ ઉલ્લેખ કરવો અનુચિત નહીં ગણાય કે મહાભારતની કથાઓમાં પણ સગર ચક્રવર્તીનો ઉલ્લેખ જોવા મળે છે. સગર ચક્રવર્તીનું જીવનચરિત્ર આ ગ્રંથમાં બીજા પર્વના સર્ગ ૪, સર્ગ ૫ અને સર્ગ ૬ માં એમ ત્રણ સર્ગમાં સંકલિત કરવામાં આવેલ છે. સર્ગ ૪ માં ચક્રવર્તીના દિગ્વિજયનું તથા તેમના અભિષેકનું વર્ણન છે. સર્ગ ૫ માં સગર ચક્રવર્તીના પુત્રોનું તીર્થરક્ષા નિમિત્તે થયેલ નિધનનું વર્ણન છે અને સર્ગ ૬ માં શ્રી અજિતનાથ સ્વામી તથા સંગર ચક્રવર્તીની દીક્ષા અને કેવળજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન છે. સગર ચક્રવર્તીનું જીવન ચરિત્ર અતિ સંક્ષેપમાં કાંઈક આ પ્રમાણે વર્ણવી શકાય: ઉપર જણાવ્યા પ્રમાણે ગ્રંથના પર્વ ૨ ના સર્ગ ૪ થી વિશેષરૂપે સગર ચક્રવર્તીના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સર્ગમાં સગર ચક્રવર્તીના છ ખંડ પરના વિજય - દિગ્વિજયનું ખૂબજ સુંદર વર્ણન કરવામાં આવેલ છે. સગર રાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. આ ચક્રનું વર્ણન પર અત્યંત આલંકારિક અને સૌમ્યભાષામાં કરવામાં આવ્યું છે. નમ: સિદ્ધભ્ય: જ્ઞાતા જ્ઞાન તથા સેયં દ્રષ્ટા દર્શનદેશ્યભુ: | કર્તા હેતુઃ ક્રિયા યસ્માત તસ્મ જ્ઞાણ્યાત્મને નમઃ // સર્વજ્ઞ વીતરાગ દેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદન આપ સર્વમાં શક્તિરૂપે વિરાજમાન આત્મા પરમાત્માને મારા પ્રણામ જૈનદર્શનમાં ત્રિષષ્ટિ શલાકા પુરુષના જીવનચરિત્રનો ઉલ્લેખ જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યલિખિત ગ્રંથ આ વિષયનો અગ્રગણ્ય ગ્રંથ છે. ત્રિષષ્ટિ એટલે ૬૩ ત્રેસઠ - શલાકા એટલે ઉત્તમ - અર્થાત્ ત્રેસઠ ઉત્તમ પુરુષોના જીવનચરિત્રોનું આલેખન કરતો આ ગ્રંથ છે. જૈનદર્શન પ્રમાણે આ ત્રેસઠ ઉત્તમ પુરુષો પ્રત્યેક અર્ધચક્રકાળમાં હોય છે. આ ત્રેસઠ પુરુષો ૯૫

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145