Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 115
________________ -જૈન કથાનકોમાં સબ્રોધના સ્પંદનો -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો અહો ! ચારિત્રનું પારસ લોખંડ સમા કંઈક આત્માઓને સુવર્ણસમાન મૂલ્યવાન અને શુદ્ધ બનાવી દે છે. હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. મુનિવરની તપશ્ચર્યા, ઈર્ષા, ભાષા, એષણા, આદાન, ભંડ નિક્ષેપ અને ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંઘાણ પારિઠાવણીયા - એમ પાંચે સમિતિઓમાં સંયમી તથા સુસમાધિપૂર્વક યત્નોવાળા, સહનશીલતા, દયાવાન, ક્ષમા, ચારિત્રવાન વગેરે ગુણો આપણને પ્રેરણારૂપ છે. જે આપણને વિશિષ્ટ બોધ આપે છે કે “જો કરે તો પામ.’ ધન્ય છે તે મુનિવરને ! અને વંદન તેના ચારિત્ર પાલનને ! તેમના જેવા સદ્ગુણો આપણામાં પણ પ્રગટે તે શુભેચ્છા સાથે વિરમું છું. ૨૯ લોભ કષાય સામે સજાગ કરતી કપિલ કેવળીની કથા - રમેશ ક. ગાંધી (ડૉ. ઉત્પલાબહેને M.A.Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સોમાની ભવન્સ કોલેજના ફિલોસોફીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. તેઓનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.) ઉત્તરાધ્યયન સૂત્ર એ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામીની અંતિમ દેશના રૂપ છે. પ્રભુએ નિર્વાણપ્રાપ્તિ પૂર્વે વિપાકસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના અનુક્રમે દુ:ખવિપાકે અને સુખવિપાકના ૫૫ અધ્યયન (પ્રત્યેકના) દેશના રૂપે ફરમાવી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ૩૨ આગમોનું વિભાગીકરણ ૫ ભેદથી થયેલ છે : (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ (૪) છેદ અને (૫) આવશ્યક. ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ સૂત્રના ૪ આગમો પૈકી એક છે. આ સૂત્રના ૩૬ અધ્યયનોની અપૃષ્ટ વ્યાકરણ એટલે કે પૂછ્યા વગર કથન કરાયેલા શાસ્ત્રરૂપ ગણના કરવામાં આવી છે. પ્રભુની આ દેશના, પાવાપુરી નગરીમાં, દીપાવલીના બે દિવસ અગાઉ સમવસરણ જે દેવતાઓએ રચેલ, ત્યાં થઈ. ૯ મલ્લિ અને ૯ લિચ્છવી એમ ૧૮ દેશના રાજાઓ પણ છઠ્ઠ પૌષધવ્રત ગ્રહણ ૨૨૨૦ - ૨૨૬

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145