Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
१५
પાંચ અસ્તિકાયા માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યાની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ, આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાયં હતું. આ રીતે પાંચ અસ્તિકાયને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર વ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યાના પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે.
હવે સાત તત્ત્વ અને નવ તત્ત્વ વિશે થે ું સ્પષ્ટીકરણ કરી લઈ એ. જૈન દર્શનમાં તત્ત્વવિચાર એ રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મેાક્ષમાગ માં ઉપયોગી થાય એ રીતે તāાની ગણતરી કરવાના છે. આમાં જીવ, અજીવ, આસવ, સવર, અધ, નિર્જરા અને મેાક્ષ–એ સાત તત્ત્વાને ગણવાને એક પ્રકાર અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તત્ત્વાને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુતઃ જીવ અને અજીવના વિસ્તારરૂપે જ સાત અને નવ તત્ત્વા ગણાવ્યાં છે, કારણ કે મોક્ષમાગ ના વનમાં એવું પૃથક્કરણ ઉપયોગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનુ સ્પષ્ટીકરણ તે ઉપર કર્યું જ છે. અંશતઃ અજીવ-કસ ́સ્કાર– અંધન—નું જીવથી પૃથક થવું એ નિર્જરા છે અને સર્વીશે પૃથક થવું એ મેક્ષ છે. ક જે કારણેાએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણેા આસ્રવ છે અને એને નિરાધ તે સંવર છે. જીવ અને અજીવ -કનુ એક જેવા થઈ જવુ તે બધ છે.
સાર એ છે કે જીવમાં રાગ-દ્વેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે. ત્યાં સુધી ખંધનાં કારણેા મેાદ હાઈ સંસારવૃદ્ઘિ થયા કરે છે. એ કારણોને નિરાધ કરવામાં આવે તે સંસાર મટી જીવ સિદ્ધિ કે નિર્વાણ અવસ્થાને પામે છે. નિરાધની પ્રક્રિયા સવર છે, એટલે કે જીવની મુક્ત થવાની સાધના–વિરતિ આદિ, એ સંવર છે; અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં જીવ થી છૂટવા તપસ્યાદિ આકરાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org