Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ અભિપ્રાય બાંધે તેટલા પૂરતું જ ક્રિયાનું ફળ માની બેસે છે. આ પ્રકારે બીજાને નહિં કહેવાથી કે નહિ થયેલી ક્રિયાના ફળને માટે તેઓ હંમેશાં સંદિગ્ધ રહે છે. ગુપ્તદાન જેમ વિશેષ ફળદાયી થાય છે તેવી જ રીતે બગગા નહિં કંકાએલી ધાર્મિક ક્રિયા પણ વધારે ફળદાયી થાય છે, એમ સમજવામાંજ આવતું નથી. આ રીતે માત્ર દેખાવ માટે-કિર્તિના લોભથી કરવામાં આવતી ભાવશૂન્ય ક્રિયા યોગ્ય ફળને આપવાવાળી નિવડતી નથી. ભાવિક જનેએ પ્રત્યેક ધાર્મિક ક્રિયા શુદ્ધ હૃદયથી નીર્મળ અધ્યવસાયથી કરવાની છે. શુદ્ધ જ્ઞાનવાળાઓ પ્રતિદિન જિનચંદનની આવશ્યકતા નહિં સ્વિકારવા વડે પિતાને અમૂલ્ય-મહામહેનતે લભ-અનેક ભવભ્રમ કરતાં મોટા પુદયથી સાધ્ય થયેલ આ મનુષ્ય ભવ એળે ગુમાવે છે. જ્ઞાનશિવાજ્યા છે એ સૂત્રને ભૂલી જઈ એકાંત જ્ઞાનમાર્ગની સાધના માટે પ્રયાસ કરવા જતાં ખરા જ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરી શકાતું નથી અને ક્રિયામાર્ગથી પણ ભ્રષ્ટ થવાય છે. - પરમ પૂજ્ય તીર્થકર દેવની પૂજા કરવાથી આપણા પિતાના આત્માને પૂજય સ્વભાવ પ્રગટ કરવા આપણે ભાગ્યશાળી થઈ શકીએ છીએ. શ્રી તીર્થકર ભગવાનની પૂજાનું ફળ પ્રગટ કરતાં શ્રીમદ્દ દેવચંદ્રજી બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામિના સ્તવનમાં પરમ તત્વ બધા પ્રકાશક સૂચન કરે છે કે “આ૫ અક્ત સેવાથી હરે, સેવક પૂરણ સિદ્ધિ; નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. પુજના તે કીજે રે બારમા જિનતણીરે.” આપણા પિતાના પ્રબળ પુરૂષાર્થ શિવાય-અનન્ય વીર્ય ફુરણા કર્યા શિતાય-અસાધારણ પ્રયાસ કર્યા સિવાય મોક્ષસુખ સાધ્ય થઈ શકે તેમ નથી. શુષ્ક ભકિતથી આત્મસિદ્ધિ થવાની નથી. આવી રીતની સ્થિતિ છતાં પણ શ્રી તીર્થંકર મહારાજાનું અકત્તાપણું સમજીને ભવ્ય જીવોએ તેમને આશ્રય ભાવ તજવાને નથી. તેમનું આલંબનજ આત્મિક ગુણે પ્રકટ કરવામાં મહાન કારણભૂત થઈ પડે છે, અને ખાસ કરીને આપણું પામર જનોને-બાળજીને તે જિનંદ્રપૂજા અનિર્વાચ નીય લાભ દેવાવાળી થાય છે. - આ વિષયમાં જૈન ભાઈઓની આધુનિક પ્રવૃત્તિ એટલી બધી મંદ જોવામાં આવે છે કે ઉલસિત ભાવથી વિધિસર પૂજા કરનારાઓ ભાગ્યેજ પાંચ દશ ટકા મળી આવે છે. ગામડાના લોકે આ વિષયના જ્ઞાનમાં ઘણાજ પછાત હોય છે ત્યારે રાહેરના નાગરિકો જ્ઞાનવાન છતાં પણ પ્રમાદથી, ઉત્સાહ-મંદતાથી પૂજા કરવાને અભ્યાસ રાખતા નથી. મોટા મોટા શહેરોમાં દેરાસરોમાં નહાવાના પાણીની, અમે બટીયાં કરાવવાની અનુકૂળતા હોવાથી અને પિતાના ઘરે તેવા પ્રકારની અનુકૂળતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64