Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાને મારા વર સંબંધી ચિતા ઉત્પન્ન થઈ. અન્ય એક નિમિત્તિ આ , તેને મારા પિતાએ મારા વિષે પૂછયું, એટલે તે છે કે “આભાનગરીને રાજા તમારી પુત્રીને પતિ થશે.” આ વાત સાંભળી મારા માતાપિતાહર્ષિત થયા. હું પણ પતિનું નામ હારે જાણવાથી ખુશી થઈ. મારા પિતાએ સારી રીતે સાકાર કરીને નિમિત્તિયાને વિસર્જન કર્યો. એકદા હું નદી કિનારે જળક્રિડા કરવા સખીઓ સાથે ગઈ હતી. તેવામાં આ કુટિલ જોગી ત્યાં આવ્યો. તેણે ઈદ્રજાળ વડે મને મેહ પમાડી, સખી વર્ગની દષ્ટિ બાંધી લઈ, મને અપહરી અને આ વાવ પાસે લાવી જાળીદ્વારા અંદર ઉતારી. ત્યાર પછી તે જાપ કરવા બેઠે. હું તેની મતલબ સમજી ગઈ એટલે ભય પામીને રૂદન કરવા લાગી. ખરે વખતે આપ આવી પહોંચ્યા અને મને ઉગારી. પણ હે ગુણસાગર ! તમે પિતાની સ્ત્રીને ઉગારી તેમાં કાંઈઉપકાર કર્યો નથી. વળી હું કાંઈ યાચક નથી, જે યાચક હોત તે તમારે યશવાદ લત. કદિ તમે મને પૂછશે કે આ પને ઓળખ્યા કેમ? તેને જવાબ એટલે જ છે કે મેં આચરણથીજ આપને એ ળખી લીધા છે, કેમકે આવે કષ્ટને વખતે પતિ વિના બીજું કોણ આવી પહેરો અને પ્રાણસંકટમાંથી બીજું કેણ છેડાવે ? ” આ પ્રમાણેની તે કન્યાની હકીકત સાંભળીને વીરસેન રાજા બહુ ખુશી થયા. તેણે તેની પ્રશંસા કરી અને તેને આગળ કરી વનભૂમિ ઉદ્ભવી એ પાનપતિ ચડી જાળીદ્વારે પુષ્કરણીમાં આવ્યા. અને ત્યાંથી બહાર નીકળ્યા. તેવામાં પાછળ પડેલું લકર પણ પગલે પગલે ત્યાં આવી પહોંચ્યું. સર્વ સેનાએ રાજાને પ્રણામ કર્યા પછી અગ્રણે સુભટોએ રાજા પ્રત્યે કહ્યું કે “આપે આમ એકલા શિકાર માટે ચાલ્યા આવવું નહિ, કારણ કે જગતમાં રત્ન તો યત્નપૂર્વક જાળવી રાખવા યોગ્ય જ હોય છે. વળી સજજન કરતાં દુર્જન વધારે હોય છે, આપ તે મોટા ભાગ્યશાળી છે, તેથી આપના તે કઈ માત્ર દર જાય અને સંપત્તિ અણધારી પ્રાપ્ત થાય, પરંતુ અમે સેવકને મનને ધર્મ રહી શકે નહિં. હે સ્વામી ! આપને કુશળ શ્રેમ જેવાથી અને સહુ નવું જીવન પામ્યા છીએ. પરંતુ આપ એકલા પધાર્યા હતા, અને અત્યારે સાથે આ કોઈ સ્ત્રીરત્ન જણાય છે. તે તે કોણ છે ? તે કૃપા કરીને કહે.” રાજાએ તેના ઉત્તરમાં પિતાની વીતક વાત બધી કહી સંભળાવી. તે સાંભળીને બધા સામત બહુ ખુશી થયા. પછી તે રાજકન્યા સહિત વીરસેન રાજા પિતા નગરીમાં આવ્યા. વીરોન રાજએ તરતજ મુદ્દામ માણસે કલીને પદાબર રાજાને ખબર આપ્યા કે “તમારી પુત્રી ચંદ્રાવતી અહીં આવેલ છે, તે આપને મળવાને અત્યંત આતુર છે, માટે શિઘ તેને મળવા માટે અહીં પધારો.” આ ખબર પવાપુરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64