________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગાથાઓ સાંભળીને સિંહ રાજાને કુમાર વિચાર કરવા લાગશે કે આ બને ગાથાઓ મને પ્રિય છે. પણ તે પિપટ કેણ હશે?' એ પ્રમાણે તે વિચારમાં મગ્ન થયો, તેવામાં પેલા પુરૂષે કથા આગળ ચલાવી. આ છે કુમાર! આ પ્રમાણે પોપટની વાણી સાંભળીને કેઈ સખીએ રાજકન્યાને
કે અહે બેન! તમારા દુઃખને નાશ કરનાર કોઈ આ યુવાને પણ પૃથ્વી પર છે ખરો.” પિપટ ભ્રાંતિથી કામદેવને હે કુમારરાજ! એવું સંબોધન આપી બે ગાથાઓ છે, અને ત્યાર પછી તેના રૂપ, કુળ, વય, શીળ અને ગુણેનું વર્ણન કર્યું. તે સાંભળીને રાજપુત્રીએ તે પિપટને હાથમાં લઈને પૂછયું કે હે પિપટ ! તું કયા કુમારનું વર્ણન કરે છે? તે ખરી વાત કહે, કે જેથી હું તને મનહર ફળે ખાવા આપું. પોપટ તેને ઉત્તર ન આપતાં વારંવાર માત્ર અને મૃત જેવા મધુર સુભાષિતજ બોલવા લાગ્યો. પછી “તિર્યાની પણ કેવી ચતરાઈ હોય છે?” એમ વિચારતી તે રાજકન્યા કાંઈક કામદેવથી વ્યાણ થઈ, અને ચિત્ત વિના (વ્યાક્ષિત ચિત્ત)જ પિતાને ઘેર ગઈ. પછી તે કન્યા શામાં, સખીનાં વચ
માં, ઉદ્યાનમાં, હર્પમાં, જળમાં કે સ્થળમાં કઈ પણ સ્થાને નિવૃત્તિ પામી નહિ. અહે તેના હૃદયમાં પ્રજવલિત થયેલા સૂર્યના પ્રચંડ તેજની જેવા વિરહ નિદ્રાને દૂર કરવા માટે કામદેવરૂપ સૂર્યને ઉદય કર્યો. “હે પિપટ! તે કુમાર કયાં છે?” એ પ્રમાણે વારંવાર બોલતી તે કયાએ કામદેવથી ઉત્પન્ન થયેલી વ્યગ્રતાવડે, ઉન્મત્ત થયેલા મનને ધારણ કર્યું. અને અનુક્રમે કામદેવરૂપી ભૂપતિના દુસહ પ્ર‘તાપની જેવા અને જેમાં અગ્નિની કાંતિ ગુપ્ત રહેલી છે એવા વિરહ વિરહ વેદનાએ) તેણીને આકુળ વ્યાકુળ કરી દીધી. તેણની વ્યથાનું શમન કરવા માટે સખીઓએ તેણીનાં અંગે ઉપર જે જે શત વસ્તુઓનું સિંચન કર્યું, તે તે તેને ઉષ્ણુતારૂપ થઈને આપત્તિને જ આપવા લાગ્યું. કેમે કરીને તે રાજકન્યા રૂદન કરતી અને મુછથી પડી જતી આવી રીતે અનેક પ્રકારના પ્રલાપ કરવા લાગી—“હું ધારું છું કે તાપ આખા જગતમાં નહિ માવાથી મારા શરીરમાં વ્યાપી ગયેલ છે. જે એમ ન હોય તે ચંદ્રવિકાસી કમળના પત્રની માળા કેમ ઉષ્ણુ થઈ જાય? હે રજનીપતિ ચંદ્ર! તું પતે તે રાત્રિથી રહિત હોય છે, ત્યારે દીન થઈ જાય છે, છતાં કેમ તે બીજા વિયેગીઓને બાળે છે? અથવા તે પુરૂ સ્વભાવથી જ કઠોર હોય છે. સખીઓ ! મને તાપ કરનારે ચંદ્ર કુમુદિનીના પ્રેમે કરીને સાક્ષાત જળમાં આવેલે જણાય છે, માટે તેને પકડીને તમે હાથ વતી પ્રહાર કરો. તે પદિની (કમલિની)! તારા પતિ ચંદ્રના વિયોગની પીડા તું જાણે છે, છતાં મને કેમ બાળે છે? અરે! આ
૧ ફામદેવરૂપી સૂર્ય ઉદય થવાથી નિદ્રા દૂર થઈ.
For Private And Personal Use Only