________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરતજ સમજી શકે છે. માટે કઈ પણ પ્રકારે આશાતના ન થાય અને કર્તવ્ય પરાયણ રહી સાધ્ય સિદ્ધ કરાય તેવો પ્રયત્ન કરે. ઉત્તમ જનેનું રટણ નિરંતર એજ હોય છે અને તેથી જ તેઓ પોતાની ફરજ સમજી જિનેશ્વર ભગવંત કે જેઓ પરમ, ઉપગારી છે તેમના ઉપગારનું સમરણ કરી તેના અનૃણ થવા માટે બનતા પ્રયત્ન કર્યા જ કરે છે, અને તેઓ જ્યાં સુધી સાધ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અવિશ્રાંતપણે તેમાં મચ્યા રહે છે. આવા સતતું ઉદ્યમી પુરૂને ધન્ય છે. તેઓજ પિતાના અમૂલય અને દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરે છે.
કરનાર યાત્રા.
આ તીર્થની યાત્રા કરવાનો પ્રસંગ પાંચ સાત વર્ષે આવવાથી પ્રથમની સ્થિ તિ સાથે સરખામણી કરતાં અહીંના કારખાનાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણ જીના પ્રતિનિધિ સાહેબને પૂર્ણ રીતે સંપાયા બાદ વધારે સારી રીતે ચાલતે દષ્ટિએ પડ છે, ઉપજમાં વૃદ્ધિ થઈ છે, ખર્ચમાં વ્યવસ્થા થઈ છે, સારસંભાળ. વિશેષ રાખવામાં આવતી જણાય છે, સ્વછતાને સ્થાન આપવામાં આવ્યું છે, અશુચિને દૂર કરવામાં આવી છે અને મરામતનું કામ શરૂ છે કે જે વધારે મોટા પાયા પર ચલાવવાની જરૂર છે. અનેક કારણોને લઈને આ તીર્થ પરના પ્રાચીન દેરાસ રોની ઈતી મરામત બહુ વધી થયેલ નથી. ઘણી જગ્યાએ દેરાસરને રોકમાં તેમજ દીવાલમાં ઘાસ ઉગી ગયેલ છે અને લીલ જામી ગઈ છે. તેણે વર્ગને વિપર્યય કરી નાખે છે, “વેતતાને બદલે શ્યામા પ્રસરી ગયેલ છે. હાલમાં ચાલતું કામકાજ અને બંબસ્ત સંતોષકારક જણાય છે. ઉપરના નાકરે અને ગોઠીઓ સુસ્ત દેખાતા હતા અને જ્યાં જુઓ ત્યાં મલિનતા નજરે પડી હતી તે કેટલેક અંશે દૂર થઈ જાય છે. આ સંબંધમાં પ્રથમના વહીવટકરાંઓની ઓછી કાળજી સાથે રાજ્ય તરફની ઉપાધિ પણ એક કારણભૂત હતી. હાલમાં નવાળા સાહેબ નાની ઉમરના હોવાથી સરકારની દેખરેખ નીચે રાજ્યતંગ આવતાથી ગેરવાજબી અને બીન કારણસર થતી ઉપાધીઓ દુર થઈ છે. આપણે કબજા ભગવટાની જગ્યામાં પણ મરામત કરતાં અટકાવવામાં આવતા હતા તે અગવડ દૂર થઈ છે. હજુ આપણું મકાન વિગેરે જે બીન હકે જબરીથી દબાવી લેવામાં આવ્યા છે, કબજે કરી લેવામાં આવ્યો છે, આપણને ખાસ અગવડ ઉત્પન્ન કરવા માટે એક બંગલે બાંધવામાં આવ્યો છે ઈત્યાદિ બાબતે સંબંધી દાદ મેળવવાની બાકીમાં છે; પરંતુ અંગ્રેજ સરકારના ન્યાયી અમલમાં વાજબી દાદ મળવાને
For Private And Personal Use Only