________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન ધમ પ્રકાશ. પમાળા ફેરવે છે, કોઈ વાર પિસાજ સર્વસ્વ ગણે છે, કઈ વાર પિગલિક સુખમાં રંગાઈ જઈ હસે છે, કોઈ વાર તેમાં આનંદ પામે છે, કોઈ વાર તેના વિયોગથી દુઃખ પામે છે, કઈ વાર સગા નેહીનાં મરણથી શેક કરે છે, કોઈ વાર વ્યાધિની પીડાથી હાથ કરી મૂકે છે, કોઈ વાર મરણથી ભય પામે છે, કોઈ વાર ખરાબ વસ્તુ જોઈને મોં મરડે છે, કોઈ વાર ની સેવનમાં સુખ માને છે. આવી અનેક રીતે કષાય અને તેના સહચારી નેકષાયમાં રાખ ની તેમાં પણ રહે છે પણ મુનિ મહારાજાઓ સમજે છે કે તે સર્વ આમિક દશા પ્રાપ્ત કરાવનારા ભાવે નથી, અધઃપાત કરાવનારા છે. આવા સદજ્ઞાનના યોગે તેનું મન કપાયથી ન્યાત રહેતું નથી.
તેવીજ રીતે સાધુ મહાશય જાણે છે કે વિષય અને કષાયને જન્મ આપનાર, મારા તારાપણાને વહિવટ કરાવનાર અને જીવને સંસારમાં ધકેલી પાડનાર રાગ અને ષ છે. એ બને મહારથી દ્ધાએ આ જીવને કદિ પણ શુદ્વ દશા તરફ પ્રયાણ કરવા દેતા નથી. આ દુનિયાનો સર્વ પ્રપંચ ફેલાવનાર તે બને છે એમાં જરા પણ શક નથી, કારણકે વિષય અને કષાય તેથીજ ઉત્પન્ન થાય છે. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા મહાત્મા શ્રી સિદ્ધર્ષિ ગણિ રાગકેશરીને રાજાનું પદ આપે છે, વિષયાભિલાષને તેને મંત્રી બનાવે છે અને પાંચ ઈદ્રિયોને તેના છોકરા બનાવે છે ત્યાર પછી ચોથા પ્રસ્તાવમાં તેઓને આ વ્યવહાર તારા ગિતરી ભવ પ્રપંગ તેઓ કેવી રીતે જમાવે છે તેને બરાબર ચિતાર આપે છે. શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે “રાગકેશરી છે વડરાજા, વિષયાભિલાષ તે મંત્રી તાજારે, તેહનાં છોરૂ ઈદ્રિય પંચરે, તેને કીધે આ સકળ પ્રપંચેશે.” એ રાગકેશરીથી બચવાના ઉપાય પણ તેઓ બતાવે છે. રાગકેશરીના નગરની હદ બ હાર વિવેક પર્વતના અપ્રમત્તતા શિખર ઉપર સદા ગમી ગતમાં જઈ ગરધર્મ નામના રાજાની સાથે વસવાટ કરે તેને રાગ વળગી રાક નથી. મતલબ સદાનને ચિંગે અપ્રમત્ત અવસ્થામાં રહી વર્તન કરવામાં આવે તો તેને પર રાગને દોર ચાલી શકતે નથી જેવી સ્થિતિ રાગની છે તેવી જ બની છે. સંસાર વ્યવહારના પ્રસંગે ને ત્યાગ કરેલું હોવાને લીધે, સાધ્યનું સામિપ્ય હોવાને લીધે અને આદર્શ પરમ વિશુદ્ધ હવાને લીધે મુનિજીવનમાં આવી ઉજત દશા પ્રાપ્ત થાય છે અને તેથી જ મુનિજીવન શુભ ભાવનામય ગણાય છે.
અપૂર્ણ
For Private And Personal Use Only