Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારે પ્રવાસ, ૧૯૭ ૪ થી મુંબઈ ઝવેરી મંડળ તરફથી રૂ.૧૨૫) ની માસિક મદદ પાંચ વાં માટે અપવાનું મુકરર થવાથી તે મંડળનો આભાર માનવાનું ઠરાવિવમાં આવ્યું. ૫ નવા વિદ્યાર્થીઓને બનાસ મોકલતાં પહેલાં તેના શરીર સંબંધી, 11 ક સંબંધી અને બુદ્ધિ સંબંધી ખાત્રી થવા માટે ત્રણથી છ માસ સુધી મેસાણ પાઠશાળામાં અથવા અન્ય અનુકુળ સ્થાને રાખવા અને પછી ત્રણ પ્રકારની એગતા જણાયે બનારસ મેકલવા. ઉપર જણાવેલા કાર્યો કર્યા બાદ મીટીંગ બરખાસ્ત થઈ હતી. ત્યાર બાદ શ્રી મુંબઈમાં મળેલી બીજી જૈન કોન્ફરન્સમાં થયેલા ફેડે પૈકી કેળવણી સંબંધી ફંડમાંથી આ ખાતાને સારી રકમ મદદ તરિકે મળવાની આ રમકતા જણાવાથી જેન કોન્ફરન્સના જનરલ સેક્રેટરી સાહેબે તરફ મોકલવાની એક અરજી તૈયાર કરીને તેમાં બધા મેમ્બરોની સહીઓ મંગાવવામાં આવી હતી, તેની અંદર શેઠ વીરચંદભાઇ દીપચંદની સહી થઈને આવતાં તે અરજી જનરલ સેક્રેટરીઓની મુખ્ય ઓફીસ તરફ (મુંબઈ) રવાને કરવામાં આવી હતી. વિરમગામથી વેણીચંદ સુરચદ સાથે શ્રી મેસાણા જવું થયું. ત્યાં મુનિરાજશ્રી કર્પરવિજયજી જેઓ પૂરા આત્માર્થી છે અને જેઓ મુનિમંડ ળને એકત્ર કરવાના ઉત્તમ પ્રયત્નમાં મચેલા છે તેમના દર્શનનો લાભ મળે. મેસાણા. આ પણ યાત્રા કરવા લાયક શહેર છે. ત્યાં ૧૦ જન મંદિર છે. તેમાં સ્ટેશનના માર્ગમાં આવેલ બે જૈન મંદીરો કે જે એક કંપાઉન્ડમાં ભેળ છે તે તો ખરેખરા અપ્રતિમ અને ભવ્ય છે. તે મંદિરે માંહેની મૂર્તિઓના દર્શનથી પરમ આહાદ થાય તેવું છે. અહીં વેણીચંદભાઈના પ્રયાસથી મુનિ રવીસાગરજી જૈન પાઠશાળાનું સ્થાપન ત્રણ વર્ષ થયા કરવામાં આવેલું છે. તેને માટે એક વ્યવસ્થાપક કમીટી, તેને લગતા મુખ્ય મુખ્ય ધારાઓ તથા તે સંબંધમાં બીજી કેટલીક જનાઓ ઘડી દેવામાં આવી અને તે ત્યાંના જે જે મેમ્બરો હતા તેમની તથા બહારગામના બે ત્રણ મેમ્બરોની સમક્ષ પસાર કરાવવામાં આવી. મસાણાથી ભયણ તરફ જવું થયું. (માગશર સુદિ ૧૫) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52