Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ શ્રી જેનધન પ્રકાશ તાને અનુકૂળ અનુભાગ- રસ વધારે જથામાં કેળવી શકે છે તેવી જ રીતે આત્મપ્રદ સાથે લાગેલાં કમીને ક્ષય કરવામાં તે ઉત્કૃષ્ટ વીર્ય પણું ફોરવી શકે છે. દુનિયાના સામાન્ય વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે જે દઢતા અને ચાલાકીથી સમજુ પ્રાણ કાર્ય કરે છે તેવી ચાલાકી ભૂખમાં હોતી નથી. અપૂણ. वर्तमान चर्चा. મનિ માવજ્યજીને પન્યાસ પદવી–માગશર વદ ત્રીજને દિવસે શ્રી વળા ગામમાં મુનિ નેમવિજયજીને પન્યાસપદવી પન્યાસ ગંભીર વિજયજીએ આપી છે. આ પ્રસંગે પરદેશના શ્રાવકે પણ સારી સંખ્યામાં હાજર થયા હતા. પ્રસંગાનુસાર અઠ્ઠાઈ મહેસવ, સ્વામી વાત્સલ્ય પણ થયા હતા મુનિ નેમવિજયજી બહુ વિધાન છે. તેઓએ સંસ્કૃત ભાપાપર સારે કાબુ મેળવ્યો છે. અને ન્યાયના વિષયમાં મરમ પ્રખ્યાત મુનિ દાનવિજયજી પછી તેઓ પ્રથમ પંકિત ધરાવે છે. આ ઉપરાંત તેઓની ઉપદેશ દેવાની શકિત અને જ્ઞાન બહુ ઉંચા પ્રકારનું છે. આવા જ્ઞાનવાળા મુનિ પન્યાસ પદવીને પૂરી રીતે લાયક છે. પન્યાસ પદવી એ પંડીતનીજ પદવી છે. અને તેઓ આ પદવીને માટે પૂરે પૂરા લાયક છે. “ લાયકને લાયક ' માન મળ્યું છે. જો આવા રત્નાધિકને તે પદવી આપવામાં આવતી હોય તો અત્યારે કેટલાક સ્થાનકે બન્યું છે તેમ તે પદવી અપવાદમાં ન આવી પડે. ** * જનવિધિ પ્રમાણે લગ્ન– આ સવાલે શ્રી મુંબઈના માંગરોલ નિવાસી દશા શ્રીમાળી શ્રાવકોમાં આકરૂં રૂપ ધારણ કર્યું હતું. અને કાંઈક મત ભેદ પડી જવાથી તે સવાલને નિર્ણય જોઈએ તે સંતોષકારક થાય એમ લાગતું નહતું. જનવિધિ પ્રમાણે લગ્ન કરવાનો ઠરાવ સૂચનારૂપમાં છેલ્લી જૈન કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. આ સવાલે ઉકતજ્ઞાતિમાં કાંઈક આકરૂં રૂપ લીધું હતું. જ્ઞાતિમાં કેટલેક વૈશ્રવ પક્ષ હોવાથી તે સવાલ ગંભીર ગણાયો હતો. છેવટે એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે લગ્ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52