________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
શ્રી જનધર્મ પ્રકાશ તેથી એવી સ્થિતિ થઈ ગઈ છે કે જે આત્માની સવભાવ દશા છે તે બદ. લાઈને તેથી વિપરીત ગ્રહણ કરેલી દશા તેજ જાણે તેની મૂળ દશા થઈ ગઈ છે. આપણને હાલ એમ લાગે છે કે જ્ઞાન બહારથી લેવા જવું પડે છે, સ્કૂલમાં શિખવા જવું પડે છે કે ચોપડીમાંથી વાંચવું પડે છે. આ પ્રમાણે લાગે છે તેનું કારણ છે અને વસ્તુતઃ તેમ નથી તેનું પણ કારણ છે.
અનાદિ કાળથી આત્મા સાથે ઉકત જ્ઞાન સ્વભાવની ઉપર પડદે કરનારા કામ લાગી રહેલા છે, લાગતા જાય છે અને જ્યારે કેટલાક પડદા ઉ• ધડતા જાય છે ત્યારે પ્રકાશ વધારે થતો જાય છે. જેને જે જે અંશે વધારે. પ્રકાશ પડે છે તેને તે તે અંશે પડદા ઓછી થયેલા હોય છે તદન અજ્ઞાન લાગતા જીવનમાં પણ અતિ સૂક્ષ્મ પ્રકાશ પડે છે. બ્રાહ્ય દષ્ટિથી તે પ્રકાશ ગમે તેટલે ઓછા અથવા નજીવો લાગે અથવા પ્રકાશ નથી એમજ લાગે તે પણ તે પ્રકાશ છે જ અને તે અતિઅલ્પ ચમકારાથી આગળ વધી શકાય છે. જે પડદાઆચ્છાદન-પ્રકાશને રોકે તે દુર કરવાનો સતત પ્રયત્ન ચાલ્યા કરે છે. આ આચ્છાદન દુર કરવાના અનેક ઉપાય છે અને તે આપ્ત પ્રણીત ગ્રંથમાં સ્થળે સ્થળે દષ્ટિ ગોચર થાય છે. અવસરચિત પુરૂષ Áથી ઉકત પડદા નાશ પામતા જાય છે અને અતિ ઉત્તમ પુરૂષાર્થ કરનારને સર્વથા પડદાને નાશ થાય છે. આ વખતે એક જ્યોતિ-અનંત ગુણ યુકત-જ્ઞાન ગુણ વિશિષ્ટ-સચ્ચિદાનંદ-પ્રગટ થાય છે, અને તે જ્યોતિમાં આખા વિશ્વના ભૂત ભવિષ્ય અને વર્તમાનને આભાસ થાય છે, આ જ્યોતિ પ્રાપ્ત કરવા માટેપ્રગટ કરવા માટે જે પ્રયત્ન ચાલે છે, જે સાધનોનું અવલંબન કરવામાં આવે છે તે સાધનને પ્રાણી ભૂલી જઈ બીજા રૂપમાં માને છે એટલે કે સાધન છે તેને બહારથી જ્ઞાન મેળવવા તુલ્ય માને છે. આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન પ્રગટ કરવાના સાધનને જ્ઞાન મેળવવાના સાધને માનવામાં આવે છે. આવી માન્યતાથી મિયારોપ થવા ઉપરાંત બીજું નુકશાન થતું નથી. પણ વસ્તુ સ્થિતિ શું છે તે જાણવાની આવશ્યકતા આ જમાનામાં એટલી બધી છે કે આટલું સ્પષ્ટીકરણ પ્રાસંગિક ગયું છે.
અખંડ પ્રત્તિમાં પડેલો આત્મા ચાલુ જમાનાના પ્રવૃત્તિમય જીવનમાં આવી પોતે કોણ છે તે સમજી શકતો નથી, સમજવા યત્ન પણ કરતા નથી, દગા ના એવા એ ધર્મદાસગણિનું સૂત્ર બહુ અર્થ સૂચક છે. આત્મા અને પુળમાં શું ફેર છે એ સમજાવવાને દાવો કરનારામાંથી પણ કોઈ વિરલ પ્રાણી પદ સમજાવી શકશે. અત્યારે પ્રસંગનુંસાર એટ
For Private And Personal Use Only