Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૨ (૨) શ્રુતજ્ઞાન : (Scriptural or Verbal Knowledge) : કાઈ આપ્તવચન શ્રવણથી કે આપ્ત વાકચ-વાંચનથી થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન આગમ જ્ઞાન કે શબ્દજ્ઞાન પણ કહેવાય છે. આપ્તજન દ્વારા પ્રણીત આગમ કે અન્ય શાસ્ત્રો દ્વારા મળતુ જ્ઞાન શ્રુત જ્ઞાન છે. શ્રુતજ્ઞાન પરાક્ષ જ્ઞાનના એક પ્રકાર છે, કારણ કે આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરાક્ષ રીતે-આગમા દ્વારા કે આત્મજનના વિશ્વસનીય શબ્દો દ્વારાપ્રાપ્ત થાય છે. પરંપરાગત જૈન પરિભાષા અને તેના સભાન ઉપયાગ શ્રુતજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે. જૈન પરંપરામાં શ્રુતજ્ઞાનના મૂળ અર્થ આગમામાં સમાવિષ્ટ જ્ઞાન' એવા. થતા હતા, પરંતુ સમય જતાં તેના અર્થ ‘આગમેાનુ જ્ઞાન' એવા થયે. જૈનદર્શન. જૈન શ્રુત-સિદ્ધાંતનું વિશિષ્ટ લક્ષણુ એ છે કે તે શ્રુતજ્ઞાન માટે મતિજ્ઞાન આવશ્યક માને છે. અલબત્ત, મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. શ્રુતજ્ઞાન થવા માટે શબ્દ શ્રવણ આવશ્યક છે, કારણ કે શાસ્ત્ર-આગમ શબ્દાત્મક છે. શબ્દ-શ્રવણ મતિની અંતર્ગત છે, કારણ કે તે શ્રવણના વિષય છે. જ્યારે શબ્દ સ ંભળાય છે ત્યારે તેના અર્થનું સ્મરણ થાય છે-તેનું શ્રુતજ્ઞાન થાય છે. શબ્દ શ્રવણુરૂપ પ્રવૃત્તિ મતિજ્ઞાન છે. ત્યારબાદ ઉત્પન્ન થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુત,ન પરિણામ છે. મતિજ્ઞાનના અભાવમાં શ્રુતજ્ઞાન શકય નથી. પરંતુ મતિન શ્રુતજ્ઞાન પૂર્વે હોવાથી મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. શ્રુતજ્ઞાનનુ વાસ્તવિક કારણ શ્રુતજ્ઞાનાવરણના ક્ષયેાપશમ છે. મતિજ્ઞાન તા તેનુ બાહ્ય કારણ છે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમ ન થાય તો શ્રુતજ્ઞાન થતું નથી. અન્યથા જે કાઈ શાસ્ત્રવચન સાંભળે, તે સર્વેને શ્રુતજ્ઞાન થઈ જાય. શબ્દ શ્રુતાનના આધારસ્તંભ છે. હસ્તસ ત વગેરે અન્ય સાધના દ્વારા પણ આ જ્ઞાન થાય છે. શબ્દાની જેમ તેમનું ગ્રહણ કાન દ્વારા થતું નથી. તેમ છતાં તેમન! દ્વારા થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. સંકેત-સ્મરણની જરૂર રહે નહી તેટલુ શ્રુતજ્ઞાન સ્વાભાવિક બની જાય ત્યારે તે મતિજ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જાય છે. શ્રુતજ્ઞાન માટે ચિંતન અને સતસ્મરણુ અત્યંત આવશ્યક છે. અભ્યાસકાળ દરમિયાન આવુ ન હોતાં આ જ્ઞાન શ્રુતિજ્ઞન અને છે. જીવમાત્રમાં એછામાં ઓછાં મતિજ્ઞાન અને શ્રુતિજ્ઞાન એમ બે પ્રકારનાં જ્ઞાન હોય છે. આ દૃષ્ટિએ એમ કહેવામાં આવે છે કે જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ બંને જ્ઞાન જીવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202