Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 158
________________ જૈન ની તિશાસ્ત્ર ૧૪૯ સ્થાન આપે છે. મોક્ષ શંકાતીતપણે બૌદ્ધિક અને પ્રત્યયાત્મક ખ્યાલ છે અને સામાન્ય દષ્ટિબિંદુથી તેને ભૌતિકવાદી કહી શકાય. સાથે સાથે જ મોક્ષની પ્રતીતિ અર્થાત્ આત્મસાક્ષાત્કાર આત્માને પરમાત્મા સાથે એકરૂપ કરે છે અને આ પરમાત્મ-સાક્ષાત્કાર બુદ્ધિ અને સુખને સમન્વય કરે છે. ખરા-ખાટાના, ઇષ્ટ -અનિષ્ટના, બુદ્ધિ અને સુખના, વૈયક્તિક-સામાજિક કલ્યાણના દ્રોનું નિરસન મોક્ષના નૈતિક તાવિક ખ્યાલના સ્વીકાર દ્વારા કરી શકાય. આ રીતે જેને મેક્ષને એકમાત્ર આદર્શ તરીકે સ્વીકારે છે. ૪. શ્રમણાચાર અથવા પંચમહાવ્રત (Ascetic Ethics or Five Great Ethical Principles) - ભગવાન મહાવીરે તેના અનુયાયીઓ માટે પંચવ્રતો ઉપદેશ્યા છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય, અને ૫. અપરિગ્રહ. શ્રમણનાં વ્રત મહાવ્રત કહેવાય છે, જ્યારે શ્રાવકના વ્રત અણુવ્રત કહેવાય છે. શ્રમણએ આ વ્રતનું ચુસ્ત પાલન કરવાનું રહે છે, જ્યારે શ્રાવકેએ આ વ્રતનું પાલન એટલું ચુસ્તપણે કરવાનું હેતું નથી. સાધુ, શ્રમણ, ભિક્ષુ, મુનિ, નિગ્રંથ, અનગાર, સયત, વિરત વગેરે શબ્દ સમાનાથી છે; જ્યારે શ્રાવક, શ્રાદ્ધ, ગૃહસ્થ, ઉપાસક, દેશવિરત, સીગાર, અણુવ્રતી, દેશસયત વગેરે શબ્દો સમાનાથી છે. કારનોra રાવરહિત ક્રાથffજ તિ સાધુ: અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે કરે તે સાધુ છે. “શ્રાવક' શબ્દ શ્રવણ અર્થવાળા “” ધાતુ પરથી ઉદ્ભવેલ છે અને તેને અર્થ “આત્મકલ્યાણ માર્ગનું રસપૂર્વક શ્રવણ કરે તે” એવો થાય છે. શ્રમણ-સાધુજન હિંસા વગેરેને સંપૂર્ણતર ત્યાગ કરે છે. તેથી તેમના વ્રત મહાવ્રત કહેવાય છે. સાધુઓના સર્વવિરતિ અર્થાત્ સર્વત્યાગ રૂપ મહાવ્રત પાંચ છેઃ ૧. સર્વપ્રાણુતિપાત-વિરમણ વ્રત-અહિંસા વ્રત ૨. સર્વમૃષાવાદ-વિરમણ વ્રત-ન્સત્ય વ્રત, ૩. સર્વઅદત્તાદાન-વિરમણ વ્રત-અસ્તેય વ્રત, ૪. સર્વમૈથુન-વિરમણ વ્રત-બ્રહ્મચર્ય વ્રત, ૫. સર્વપરિગ્રહ-વિરમણ વ્રત -અપરિગ્રહ વ્રત. આ પાંચ મહાવ્રતોનું પાલન એ સાધુ જીવનની સાધના છે. ગૃહસ્થ આ વ્રતોનું પાલન મર્યાદિતપણે કરવાનું હોવાથી ગૃહસ્થનાં આ વ્રત અણુવ્રત કહેવાય છે અને આ મર્યાદા સૂચવવા “સર્વ'ને બદલે “સ્થળ” શબ્દ તેમની સાથે જોડવામાં આવે છે. અહિંસા સર્વ વ્રતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહિંસા જેન નીતિશાસ્ત્રનું હાઈ છે. અહિંસાનું જેટલું સૂક્ષ્મ વિવેચન અને આચરણ ન પરંપરામાં જોવા મળે છે તેટલું ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. આગળ દર્શાવ્યું છે તેમ જૈન દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202