Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 156
________________ જૈન નીતિશાસ્ત્ર તર્ક ગુમાવ્યા બાદ, માનવ તરીકે પુનઃજન્મ લેવા યુગે સુધી રાહ જોવી પડે, મહાવીર કહે છે, વૃક્ષ પરથી જેવી રીતે પીળું પાન, તેના દિવસા પુરા થતાં ખરી પડે છે તેવી રીતે માનવીનું જીવન પણ સમાપ્ત થાય છે.... કુશધાસનાં પાંદડાંની ટાચ પર ઝુલતું ઝાકળબિંદુ અલ્પકાલીન રહે છે તેમ માનવીનું જીવન પણ......'. જીવનની અનિશ્ચિતતા અને મૃત્યુની અનિવાર્યતાને લીધે ચિંતા અને તત્ત્વજ્ઞા સક્રિય સ ંસારી જીવનના ત્યાગની હિમાયત પ્રતિ ઢળે છે. શ્રી મહાવીર સક્રિય અને કડક સંયમ દ્વારા કર્મ-પુદ્ગલના ક્ષય અને સર્વ કર્મોની અટકાયત ઉપદેશે છે અને આ દ્વારા નિજ રાની સ્થિતિ, અહીં જીવનમુક્તિ અને ત્યારબાદ નિર્વાણુ પ્રાપ્ત થાય છે. પ્રબળ વ્યાધિ માટે પ્રબળ ઉપચારા જરૂરી છે. ય!તનાએ, ઈ, ભય, દુષ્કાળ, મૃત્યુ અને વિનાશ અકથિત દુઃખા ઉત્પન્ન કરે છે.અને આ નિર્વાણુ, દેહપલટા અને પુનર્જન્મમથી મુક્તિની પ્રાપ્તિ દ્વારા અટકાવી શકાય છે. શ્રી મહાવીર આવી પ્રબળ લાગણીથી પ્રેરાઈને મુમુક્ષુ માટે ત્વરિત પરિત્યાગ અને અત્યંત ઉમ-કઢાર ત્યાગી જીવનની હિમાયત કરે છે. જૈન દર્શન મેાક્ષને જીવનનું અંતિમ લક્ષ્ય માને છે અને પરિણામે અહીં કડક નીતિનિયમ અને નૈતિક શિસ્તની અપેક્ષા રખાય છે. જૈન દર્શનમાં વર્તન અને વિચાર બનેને સમાન સ્થાન છે. બંનેને સ ંતુલિત વિકાસ વ્યક્તિત્વને શુદ્ધ વિકાસ કરે છે. આ પ્રકારના વિકાસ જ્ઞાન અને ક્રિયાન સ ંયુક્ત વિકાસ છે અને તે દુ:ખમુક્તિ માટે અનિવાર્ય છે. જ્ઞાનવિહાણ વન નેત્રવિહીન વ્યક્તિની ગતિ સમાન છે, જ્યારે વનવિણું જ્ઞાન લંગડી વ્યક્તિની સ્થિતિ સમાન છે. જેવી રીતે નિશ્ચિત સ્થાન પર પહોંચવા માટે નેત્ર અને પગ અને આવશ્યક છે. તેવી રીતે આધ્યાત્મિક સિદ્ધિ અર્થે દોષમુક્ત જ્ઞ!ન અને ચારિત્ર્ય બંને અનિવાય છે. આચાર અને વિચાર અને અન્યોન્યાશ્રિત છે અને આને ખ્યાલમાં રાખીને ભારતીય ચિંતા ધર્મ અને દર્શનને સાથે સાથે પ્રતિપાતિ કરે છે. તેએ તત્ત્વજ્ઞાન સાથે જ નીતિશાસ્ત્રનુ પણ નિરૂપણ કરે છે. અહિંસામૂલક વન અને અનેકાંતમૂલક વિચારનું પ્રતિપાદન જૈન પરપરાની વિશિષ્ટતા છે. ૧૪૭ ૩. જૈન નીતિશાસમાં ત્યાગ કે સંન્યાઞ (Asceticism or Renunciation in Jaina Ethics) જૈન નીતિશાસ્ત્રનું વિશિષ્ટ લક્ષગુ તેનું અત્યંત ઉગ્ર સ્વરૂપ છે, કારણ કે તેનુ લક્ષ્ય મેાક્ષ છે. મેાક્ષ એટલે અનંત જ્ઞાન-દન-ચારિત્ર્ય-વાર્ય આવ * Ibid, X, 1-2, p. 41-42. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202