Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 164
________________ જૈન નીતિશાસ્ત્ર ૧૫૫ ૨. ચક્ષુરિન્દ્રિયના વિષય રૂપ પ્રતિ અનાસક્ત ભાવ. ૩. ધ્રાણેન્દ્રિયના વિષય ગંધ પ્રતિ અનાસક્ત ભાવ. ૪. રસેન્દ્રિયના વિષય રસ પ્રતિ અનાસક્ત ભાવ. ૫. સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શ પ્રતિ અનાસક્ત ભાવ. સાધુજનનું આચરણ સંપૂર્ણ રીતે અહિંસક હોવું ઘટે. સર્વ શ્રમણે ઉપક્ત. પાંચ મહાવતો, ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતિઓનું પાલન કરે છે. ગુપ્તિમાં અસજ્યિારે નિષેધ મુખ્ય છે, જ્યારે સમિતિમાં સન્ક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે.. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ચારિત્ર્યાચાર પ્રવચનમાતા' કહેવાય છે, કારણ કે આ આથી સંવરધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે અને તેનું પાલનપોષણ થાય છે. જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તે તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠ વસ્તુઓ સાધુજીવનની કલ્યાણકારિણી હોવાથી શ્રમણની માતાઓ કહેવાય છે. પાંચ મહાવ્રતો પર ચારિત્ર્યનો આધાર છે તેથી તે “મૂળ ગુણ કહેવાય છે; જ્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ “ઉત્તર ગુણ કહેવાય છે. ૫. શ્રાવકાચાર અથવા પાંચ અણુવતે (Ethics for Householders) જૈન શાસ્ત્રોમાં ગૃહસ્થધર્મ શ્રાવકધર્મ પણ કહેવાય છે. ગૃહસ્થધર્મને પાળનાર પુરુષ અને સ્ત્રી અનુક્રમે શ્રાવક અને શ્રાવિકા તરીકે ઓળખાય છે. “શ્ર' (શ્રવણ કરવું) ધાતુ પરથી “શ્રાવક” શબ્દ ઉદ્ભવ્યો છે. આત્મકલ્યાણમાર્ગનું રસપૂર્વક શ્રવણ કરનાર શ્રાવક-શ્રાવિકા કહેવાય છે. જૈન દર્શનમાં મુમુક્ષુ માટે ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના તબક્કાઓમાંથી પસાર થવું આવશ્યક નથી, પરંતુ મોક્ષપ્રાપ્તિ અર્થે સંન્યસ્ત જીવનના સીધા સ્વીકારની અહીં હિમાયત થાય છે. આમ છતાં જૈન દર્શન માને છે કે ગૃહસ્થ ત્યાગમય જીવન વીતાવી શકે છે અને પોતાની જાતને સંન્યાસ-વૈરાગ્ય માટે પાંચ મહાવ્રતને આંશિક રીતે અનુસરીને તૈયારી કરી શકે છે. સર્વ જૈન પંથે –સંપ્રદાયો સ્વીકારે છે કે ત્યાગમય જીવનના આચરણ માટે શ્રાવકેએ અણુવ્રતાનું પાલન કરવું જોઈએ. અણુવતે શ્રાવકના મૂળગુણ કહેવાય છે. અણુવ્રતનું આચરણ વાસ્તવમાં શ્રાવકે માટે સંન્યાસી જીવન માટેની તાલીમ છે. અણુવ્રત એટલે મહાવ્રતને સૂક્ષ્મતમ અંશ. બીજા શબ્દોમાં, અણુવ્રત મહાવ્રત પર આધારિત સરળ સિદ્ધાંત છે. વ્રતની મર્યાદિતતા સૂચવવા માટે તેમની સાથે “સ્કૂલ” શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. શ્રાવકે માટેના આ પાંચ અણુવ્રત નીચે મુજબ છે : Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202