Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 183
________________ જૈનન સાતમાનાં ૨, અને આમાનાં ૪ પેટાપ્રકાશ છે. જૈન ગ્રંથામાં ઉપરાસ્ત પેટાપ્રકારાનુ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ૧૭૪ (૧૦) કર્મી અને પુનર્જન્મ કર્મો અને પુનર્જન્મ વચ્ચે અવિભાજ્ય સબંધ છે. કર્મની સત્તાને સ્વીકાર તેના ફળસ્વરૂપ સ્વર્ગ કે પરલેાક કે પુનર્જન્મની સત્તાના પણ સ્વીકાર સૂચવે છે. જે કર્માનુ ફળ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયું ન હોય તે કર્માના ભાગ માટે પુનર્જન્મની માન્યતા અનિવાર્ય બની રહે છે. પુનર્જન્મ કે પૂર્વભવના અભાવમાં કૃત કર્મના નિહેતુક વિનાશમાં અને અકૃત કર્મના ભાગમાં માનવું પડે. આ સ્થિતિમાં કર્મ-વ્યવસ્થાનું માળખું દૂષિત બને. આ દોષથી મુક્ત રહેવા માટે, કવાદ પુનર્જન્મની સત્તા સ્વીકારે છે. આથી હિન્દુ, બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં ક મૂલક પુનર્જન્મની સત્તાના સ્વીકાર કરવામાં આવ્યા છે. પૂર્વજન્મના કર્મીસંસ્કાર મુજબ વર્તમાન જીવન અને વિશિષ્ટ પરિસ્થિતિનું અને વમાન જીવન મુજબ ભાવિ જીવનનુ નિર્માણ થાય છે. જૈન મંતવ્ય મુજબ, આનુપૂર્વી નામક જીવને મૃત્યુ બાદ તેના નવા ઉત્પત્તિ-સ્થાન પંત પહોંચાડે છે. આ સમયે જીવ સાથે તૈજસ અને કાણુ એવા બે પ્રકારના શરીર રહે છે, જ્યારે ઔદારિક કૌયિ પ્રકારના શરીરનુ નિર્માણ તેના ઉત્પત્તિ-સ્થાને પહોંચ્યા બાદ શરૂ થાય છે. (૧૧) જૈન કમ વાદ જૈન કમ વાદ શુદ્ધ સ્વરૂપે વ્યક્તિવાદી છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આત્મા સ્વ-દેહપરિમાણુયુક્ત છે તેમ તેના કર્મવાદમાં કેમ સ્વ-શરીરપરિમાણુયુક્ત છે અને તેથી કર્મ વ્યક્તિપર્યંત સીમિત છે. જેવી રીતે જીવ પોતાના શરીરમાં બુદ્ધ રહીને જ પોતાનુ કાર્ય કરે છે તેવી જ રીતે ક પણ પેાતાના શરીરની સીમામાં રહીને જ પેાતાનુ કાર્ય કરે છે, આત્માની જેમ જ, કર્મ પણ સવ્યાપક નથી. આત્મા અને કર્માંના કાર્ય કે ગુણુ શરીરની સીમાપ ત જ મર્યાદિત છે. ક ભૌતિક (જડ) સ્વરૂપ હોવા છતાં જીવ (ચેતના)ના દ્વિશિષ્ટ સસથી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે અને તેથી તે સારાં-માઠાં પરિણામે નિયત સમયે પ્રકટ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202