Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 150
________________ જૈન અને વિજ્ઞાન ૧૪૧. કર્મફળઉત્પાદન પુનર્જન્મમાં ઉભવે છે પરંતુ આ થશે જ એવી કઈ ખાતરી હતી નથી. ઉપરોક્ત છે ઉપરાંત બીજી બે શક્યતાઓને પણ ઉલ્લેખ જેવા મળે છેઃ (૧) વર્તમાન જીવન દરમ્યાન કરેલ દુષ્ક વર્તમાન જીવનમાં જ તેમના ફળ આપે. (૨) વર્તમાન જીવન દરમ્યાન કરેલ સત્કર્મો તેમનાં સુફળ-સારાં, પરિણામે વર્તમાન જીવનમાં જ આપે. પુનર્જન્મ વિરુદ્ધ વાંધાઓ અને તેના ઉત્તરઃ (Objections to Rebirth or Reincarnation and Their Answers) : પુનર્જન્મ વિરુદ્ધ કેટલાક વાંધાઓ ઉપસ્થિત કરવામાં આવે છે જે નીચે મુજબ છે: (૧) પૂર્વભવો-જન્મો હોય તે તેમનું સ્મરણ આપણને હેવું ઘટે, પરતુ આવું કઈ સ્મરણ આપણને નથી એ હકીકત પુનર્જન્મ કે પુનરાવતારના સિદ્ધાંતને સ્વીકારતાં આપણને રેકે છે. કર્મસિદ્ધાંતના હિમાયતીઓ આ સંદર્ભમાં સામાન્ય રીતે દર્શાવે છે કે પ્રત્યેક જીવનમાં વ્યક્તિ નવું મગજ ધરાવે છે. તદુપરાંત, કેટલીક અસામાન્ય ઘટનાઓ પૂર્વજીવનની કેટલીક ઘટનાઓના સ્મરણની શક્યતા દર્શાવે છે. વિસ્મૃત પૂર્વજીવન. (પૂર્વભવ)ના આધારે પુનર્જન્મને અસ્વીકાર એગ્ય નથી, કારણ કે આપણે આપણું વર્તમાન જીવનની કેટલીક ઘટનાઓનું પણ પુનરાવાહન (પુનઃસ્મરણ) કેટલીકવાર કરી શકતા નથી. ક્રેઈડની પરિભાષામાં આ ઘટનાઓની છાપ અજ્ઞાત મનમાં જારી રહે છે. (૨) આપણે સંપૂર્ણપણે અજ્ઞાત હોઈએ એવા કાર્યો માટે શા માટે આપણે, સહન કરવું જોઈએ ? આને ઉત્તર એ છે કે તમારા કર્મો તમને યાદ હોય કે ન હોય એ કંઈ બહુ મહત્વનું નથી. કર્મના સિદ્ધાંત મુજબ, પ્રત્યેક કર્મનાં ફળ, અવશ્ય ભોગવવાના રહે છે. કાર્યો આમા સાથે કર્મ-પુદ્ગલસ્વરૂપે સંજિત થાય છે. આથી કર્મ વિયોજન (ટકારા) માટે કઈક સ્વરૂપે તેને ભેગવટે અનિવાર્ય છે. (૩) વારસાને સિદ્ધાંત પુનર્જન્મને ગેરસાબિત કરે છે એ પણ આક્ષેપ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202