Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૬
भार्गवोऽप्यददात्सर्वं धनुर्वेदं महात्मने । कर्णाय पुरुषव्याघ्र ! सुप्रीतेनान्तरात्मना ॥ वृजिनं हि भवेत्किंचिद्यदि कर्णस्य पार्थिव । नामै स्त्राणि दिव्यानि प्रादास्यद्भृगुनन्दनः ॥
દ્રૌપદીસ્વયં વર
—ńવર્ષ, ન. ૨૪. રોષ-૧૭, ૧૮ આમ નાટકકારને મહાભારતના અભ્યાસ એમના વસ્તુગ્રથનમાં જણાઈ
આવે છે.
૪. દ્રૌપદીસ્વયં વર’ના નાટ્યપ્રકાર :
સંસ્કૃત સાહિત્યમાં દ્વિઅંકી' રૂપકો વિરલ છે. દ્રૌપદીસ્વયં વર' દ્વિઅંકી રૂપક છે, અને સ ંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ એવા સ કે બાર પ્રકારોમાંથી કોઈપણ એક પ્રકારને તે સર્વથા મળતું આવતું નથી. આમ છતાં ‘હામૃગ' પ્રકારનાં મોટાભાગનાં લક્ષણા એમાંથી પ્રાપ્ત થાય છે તેથી એને ‘છામૃગ’' તરીકે ઓળખવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય.
હામૃગનાં લક્ષણા લગભગ બધા જ નાટ્યશાસ્ત્રીઓએ દર્શાવ્યાં છે. અભિનવ, નાવણુકાર અને રૂપકકાર હામૃગની વ્યુત્પત્તિ દર્શાવતાં સમજાવે છે કે આ રૂપકમાં બધી જ ક્રિયાઓ કોઈક અલભ્ય કન્યાની પ્રાપ્તિ માટે હાય છે. નાયક આવી નાયિકાને અે છે માટે તે હામૃગ કહેવાય છે,
ईहा चेष्टा मृगस्येव स्त्रीमात्रार्था अत्र इति ईहामृगः || અભિનવભારતી: નાટયશાસ્ત્ર, પૃ. ૪૪ર નાટયદપ ણુ, વિવેકક્કર, પૃ. ૨૩૯
मृगवदभ्यां नायिकां नायकोऽस्मिन्नहते इति ईहामृगः । તાવ, ગધ્યાય—૨, २४१
‘હામૃગ’ની આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્રૌપદીસ્વય‘વર'માં દુષ્કર લક્ષ્યવેધતે કારણે દુલ`ભ બનેલી, અનન્ય સૌં` ધરાવતી દ્રૌપદીને સ્વયંવરમાં આવેલા બધા રાજા અને નાટકના નાયક અજુ ન ઇચ્છે છે માટે આ વ્યુત્પત્તિજન્ય અર્થ આ રૂપકને પણ બરાબર બંધ બેસે છે.