Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ તેથી-રત્નત્રયી (સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ના સાધક કોઈ પણ કાર્યમાં લગાડેલી મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ અને શુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે. તેથી હિંસા, અસત્ય વગેરે પણ જો પરંપરાએ-રત્નત્રયીનાં સાધક હોય, તો પણ તે ધર્મકૃત્ય હોય છે. ગુરુવંદન કરવા જનાર ભક્ત પગે ચાલીને જાય તેથી હિંસા વગેરે દોષ અનિવાર્ય રીતે પાપ થતાં દેખાતાં હોય છે પરંતુ તે રત્નત્રયીનાં સાધક હોવાથી હિંસારૂપ નહીં પણ અહિંસા-ધર્મ-રૂપ બની રહે છે. આ રહસ્ય સમજવા જેવું છે. એ જ કામો રાગદ્વેષપૂર્વક કરવામાં આવે, તો બહારથી હિંસારૂપ ન જણાવા છતાં, હિંસા વગેરે રૂપે ફળ આપતાં હોય છે. આ વિવેક જો સમજ પૂર્વક અથવા ગુરુ આજ્ઞાથી ન કરવામાં આવે, તો જૈન શાસનની પ્રાપ્તિ સફળ થતી નથી. આ કારણે-આજ્ઞા, વિધિ, યાતના, ભક્તિ, વગેરે પૂર્વક આત્મવીર્ય ફોરવીને કરવામાં આવે, તો અશુભના આશ્રવ રૂપ ન બનતાં, અનાશ્રવરૂપ, શુભ આશ્રવરૂપ, કર્મોના સંવરરૂપ, કર્મોની નિર્જરારૂપ, કર્મોની મહાનિર્જરારૂપ બની રહે છે. અને એ રીતે એ શ્રી તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ તથા મોક્ષના કારણરૂપ બની રહે છે. જો આમ ન હોય તો અનુમોદવા લાયક મોક્ષની કોઈ ક્રિયા મળી શકશે નહી. ૬. ગ્રંથકર્તાની વિશિષ્ટ યોગ્યતા : આ ગ્રંથના કર્તા-વાચક શ્રી લાવણ્યવિજયજીએ વિ૦ નં૦ ૧૭૪૪માં આ ગ્રંથની રચના કરી છે. દેવાદિકનાં દ્રવ્યો વિશેની સમજ આપવાનો વાયોલ્લાસ જણાઈ આવે છે, જેથી “તે બાબતમાં અવ્યવસ્થા ન પ્રવર્તે, અથવા અટકે.” આ પ્રબળ ભાવના જણાઈ આવે છે. ખૂબી એ છે, કે આમાં સ્વરચિત બહુ જ થોડી ગાથાઓ હશે. મોટે ભાગે શ્રી આગમો, પંચાંગી, તથા પૂર્વના સુવિહિત આચાર્ય-મહારાજાઓના ગ્રંથો વગેરેની ગાથાઓનો સંગ્રહ કરીને ૭૧ ગાથામાં ગ્રંથની રચના કરી સપ્તતિકા નામ સાર્થક રાખ્યું છે. આ ઉપરથી સમજી શકાશે કે ગ્રંથરચના ભલે ૧૭૪૪માં થઈ છે, પરંતુ તેમાંનો વિષય પ્રાચીન છે. ગાથાઓનું મૂળ સ્થાન ક્યાં ક્યાં છે ? તે ઘણે ભાગે ગ્રંથકારશ્રીએ જ ઠામ ઠામ બતાવેલ છે. તેથી “આ દેવ-દ્રવ્યાદિકને લગતો વિચાર હાલમાં ૨૫૦-૩૦૦-૪૦૦ વર્ષો પૂરતો જ જૂનો છે” એમ ન સમજવું. અજ્ઞાન ભાવ ધરાવતા જીવો ગમે તેમ સમજે એ જુદી વાત છે. ખરી વાત એ પ્રમાણે નથી. તેથી અજ્ઞાન ભાવ ધરાવતા સામાન્ય સમજના લોકો ગમે તેમ સમજે કે બોલે, તે અપ્રામાણિક વાતો તરફ લક્ષ્ય આપી શકાય નહીં. ૭. વિષયની ગંભીરતા: ગ્રંથકારશ્રીએ આ વિષયનો અભ્યાસ ઘણો વખત ગાળીને કરેલો હોય એમ જણાઈ આવે છે અને દરેકે દરેક બાબતોની બહુ જ ચોકસાઈથી યોગ્ય નોંધ લીધી છે. આ ગ્રંથનો વિષય ધાર્મિક મિલકતોને લગતો છે. કથા-વાર્તા કે તત્ત્વચર્ચાને ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 326