________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
દુહા.
પ્રથમ ઇષ્ટ વિગ છે, અનિષ્ટ સંયોગ તેમ. રેગની ચિંતા અશૌચ, આધ્યાનના એમ. કે ૬ .
અર્થ–પ્રથમ ઈષ્ટવિયેગ આર્તધ્યાન–પિતાને પ્રાપ્ત થએલા ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણ, કૂપ, દ્વિપદ, અને ચતુષ્પદને રખેને વિગ થાય. એવું ચિંતવન મનમાં ક્ય કરે. માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, સ્ત્રી, અને મિત્ર પ્રમુખનો વિયેગ રખે મારે થાય, અને કદાચિત્ તેને વિયેગ થયે તે મનમાં ઘણે
ખેદ કરે. અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે, વિલાપ કરે, રૂદન કરે, પિતાના પ્રિયપુત્રના મૃત્યુથી હાય હાય કરે, રૂવે, માથું કૂટે, દેવને ઠપકે આપે, અરે ! મારૂં કેમ તેના પહેલાં મરણ થયું નહીં. હું હવે કોને પુત્ર કહી બેલાવીશ. અરે ! આ હૃદય કેમ ફાટી જતું નથી, એમ શેક કરે તથા હાલી સ્ત્રીને વિયોગ એટલે તેનું પોતાનાથી દૂર જવું વા તેનું મરણ થાય તે બાવરા જે થઈ જાય, વારંવાર તેને યાદ કરી રૂદન કરે, અરે ! એ મારી સ્ત્રી, તારા જેવી દુનિયામાં થોડી સ્ત્રીઓ થશે, તારી વાણું તથા તારે પ્યાર હું કેમ વિસરીશ. મનની છાની વાતો તાર વિના હું કોને કહીશ. ઘરની ચિંતા તથા સાર સંભાળ કેણું કરશે. મારું દુ:ખ દેખી દુ:ખી કેણ થશે. હાય હાય હવે કેમ કરૂં. અરે હાલી સ્ત્રી ! મારું હૃદય તારા વિના શૂન્ય જેવું થઈ ગયું છે. એમ સંકલ્પ વિક૯૫ મનમાં કરે-વે. વારંવાર તેને યાદ કરી રૂદન કરે, શેક કરે તથા માતા પિતાને વિગ થયે છતે રૂવે, શેક કરે, વિલાપ કરે, તે પણ દુ:ખનું કારણ છે. કોઈ સ્ત્રીને પિતાના પતિને વિયેગ થાય ત્યારે કલ્પાંત રૂદન કરે, રડે, કૂટે અને અનેક પ્રકારના વિલાપ કરે, અરે મારા પ્રાણનાથ ! મારૂં હવે તમારા વિના કેણ શરણ થશે. તમારા વિના મારા દિવસો કેમ જશે.
For Private And Personal Use Only