Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 79
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. ઇંદ્રિયનિગ્રહ સુભટે અસંયમ રને હ. ધર્મધ્યાન ને શુકલધ્યાન એ બે સુભટેએ આર્તધ્યાન અને રેદ્રધ્યાન એ બે સુભટને હણ્યા. ક્ષપશદ્ધાએ દર્શનાવરણ શત્રુને હ. વળી અશાતારૂપ મેહરાજાનું સૈન્ય તે પુણ્યઉદયદ્ધાના બળથી નાડું. હવે આવી દશા દેખીને દ્રવ્ય સ્વરૂપ હાથી ઉપર બેસી, રાગરૂપ પુત્રે કરી સહિત મહારાજા લડાઈ કરવા પિતે આવ્યા, ત્યારે ધર્મરાજા, શ્રદ્ધારૂપ અષ્ટાપદવાહન ઉપર બેસીને જ્ઞાનરૂપપુત્ર સહિત ચો, અને મહારાજાને સહેજમાં હયે, મેહરાજાના સર્વ સૈન્યનું નિકંદન કર્યું. તેવારે મુનિ મહારાજે મહા આનંદને પ્રાપ્ત કર્યો. ધર્મરાજાના પસાયથી પિતાનું ઈષ્ટ કાર્ય સર્યું. તે વારે તે મુનીશ્વર મહા વ્યવસાયી થયા. કોઈ રીતને તેમને ભય રહ્યો નહીં, અને ચારે દિશાએ વેપાર કરવા લાગ્યા. એવી રીતે પોતાના મનની અંદર બન્ને સૈન્યનું સ્વરૂપ વિચારવું. અત્ર બહારને કોઈ ચોર નથી, તેમ રાજા પણ કોઈ નથી. સ્વસ્વરૂપાનુયાયીપણે પ્રવતે તો ધર્મરાજાના પક્ષની છત સમજવી, અને પરાનુયાયીપણે પ્રવર્તે તે મહારાજાના પક્ષની છત સમજવી; એમ પિતાના અંતરમાં બન્ને સ્વરૂપ વિચારવાનાં છે. એ ધર્મધ્યાન ચોથા ગુણ ઠાણાથી તે સાતમાં ગુણઠાણા સુધી હોય છે. જે થે ગુણ ઠાણે ધર્મધ્યાન ન હોય તો સમકિત રહે નહીં. આઠમાં ગુણ ઠાણાથી શુકલધ્યાનને પ્રારંભ થાય છે. એ ધર્મધ્યાનની ભાવનાઓ ચાર છે. ૧ મૈત્રી ભાવના ૨ પ્રદ ભાવના, ૩ કારૂણ્ય ભાવના, ૪ અને માધ્યઐભાવના. એ ચાર ભાવના છે. મૈત્રી ભાવના–એટલે સર્વ જીવ સાથે મિત્રતા ચિતવવી તેને મૈત્રી ભાવના કહે છે. મિત્ર પોતાના મિત્રનું જેમ ભલું કરવા ચાહે છે, તેમ સર્વ જીવનું ભલું ચિંતવવું. સત્તાએ સર્વજ સરખા છે, સજાતીય છે, કે આપણે શત્રુનથી, અને કેઈ મિત્ર નથી. કમ એજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86