Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર, હવે ત્રીજી કાર્યભાવના કહે છે. સર્વ જીવ ઉપર દયા રાખવી. અહે ! આ જીવ કયારે ધર્મ પામશે. દયા બે પ્રકારની છે. દ્રવ્યદયા અને બીજી ભાવદયા. તેમાં જીવના દશ પ્રાણનું રક્ષણ કરવું તે દ્રવ્ય દયા છે અને તે જીવને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરાવવી, ધર્મની ઓળખાણ કરાવવી તે ભાવ દયા છે. વીતરાગ ભગવંતે આઠ પ્રકારની જીઉપર દયા ચિંતવવાની કહી છે. પણ આ ઠેકાણે ગ્રંથ ગારવ થાય માટે લખી નથી, - હવે ચેથી મધ્યસ્થભાવના કહે છે. મધ્યસ્થ દૃષ્ટિથી સર્વ જીવોને દેખવા તથા મધ્યસ્થ દૃષ્ટિથી તવા દિકની તથા ધર્મની પરીક્ષા કરવી. મિથ્યાત્વી, અને જીવઘાતી પ્રાણું એને દેખી તેમના ઉપર કોધ કરે નહિ, મનમાં ચિંતવવું કે, એ બીચારાજીવ કર્મના ગે એવા થયા છે, પણ કર્મને નાશ થયે છતે એ જીવ શુદ્ધ સ્વરૂ ૫ રમણ થશે. કોના ઉપર ઠેષ કરે? અને કેના ઉપર રાગ કરવો ? ઈત્યાદિ ચિંતવવું તેને માધ્યસ્થ ભાવના કહે છે. માધ્યસ્થ ભાવથી રાગ દ્વેષની પરિણતિ મન્દ પડે છે, અને સર્વત્ર ન્યાયષ્ટિથી સત્ય દેખી શકાય છે. હવે શુકલધ્યાનનું સ્વરૂપ કહે છે. શુકલ ધ્યાનના ચાર પાયા છે, ૧ પૃથકત્વ વિતક સપ્રવિચાર, ૨ એકત્વવિતર્ક અપ્રવિચાર, ૩ સૂક્ષ્મકિયા અપ્રતિપાતિક ઉચ્છિન્ન કિયા અનિવૃત્તિ. આ ચાર પાયાનું તત્વાર્થસૂત્ર, સમ્મતિતર્ક અને ગશાસ્ત્ર વગેરેમાં વિશેષતઃ સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. ૧ પ્રથમ પાયામાં પૃથકપણે દ્રવ્ય ગુણ અને પર્યાયનું કૃત જ્ઞાનના આલંબનવડે એક ચિંતવ્યા પછી અન્ય એમ વિકલ્પ સહિત ધ્યાન કરવામાં આવે છે. ૨ બીજા પાયામાં દ્રવ્ય ગુણ પર્યાયની એકતા કરી શ્રુત જ્ઞાનના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86