________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. [ સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત્ ૨૪૩૫ ] જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હેય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય,
તે મંડળ તરફથી પ્રગટ થયેલ – શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે.
મજકુર ગ્રન્થમાળામાં પ્રગટ થયેલ ગ્રન્થને વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે–આચાર્યશ્રીની લેખનશૈલી–મધ્યસ્થ દષ્ટિવાળી રહેવાથી, દરેક ધર્માવલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન મુખ્ય છે.
વૈરાગ્ય, ઉપદેશક અને બેધક, પદે–ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદનો સાર વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પચ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થની સહાય વડે (કેઈ પણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં) ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે ઓછી કીંમત છતાં છપાઈ–કાગળબંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્દ ઉપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાથીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પૈકી, કેઈપણ ગ્રન્થ પોતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર-મુંબાઈ-ચંપાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તથા પાદરા ( ગુજરાત) વકીલ મોહનલાલ હીમચંદ, એ સરનામે કર.
For Private And Personal Use Only