Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. શત્રુ છે. પણ પ્રતિ શરીર ભિન્ન એવા છે તે શત્રુ નથી. તેઓ બીચારા કર્મના વશ પડ્યા છે તેથી બીજાનું ભંડું કરવા ચાહે છે, પણ કર્મ રહિત નિર્મળ હોત તે કદિ કેઈનું ભૂંડું કરવા ઈચ્છતા નહીં. જેમ સિદ્ધના જીવે કર્મ રહિત છે, તેથી તેઓ કોઈનું ભૂંડું કરવા તે સમર્થ થતા નથી, તેમ સર્વ છે કેઈનું ભૂંડું કરવા સમર્થ નથી. સુખ દુઃખ કરનાર કર્મ છે, કર્મ એ મહાવેરી છે. સર્વજી જ્ઞાન દર્શન અને ચારિત્રે કરી એક સરખા છે, માટે સર્વજીનું હિત થાય તેમ ચિંતવવું. સર્વ જી ધર્મ પામે તે સારૂં, એવી જે ચિંતવના તે મૈત્રી ભાવના જાણવી. ૨ પ્રમોદભાવના-ગુણન્યાયી ધમીઓને દેખી મહા હર્ષ પામે, ગુણવંતને દેખીને ગુણદષ્ટિધારક વિચારે કે તે મહાજ્ઞાની ગુણ છે, જે જે ધમી જી હોય તેને દેખી તેને આનંદાશ્ર આવે, વળી મહામુનિના મેળાપથી હર્ષ પામે અને મનમાં વિચારે કે, અહીં મારાં ધન્ય ભાગ્ય કે કૃપા સમુદ્ર, ક્ષમાભંડાર, મહામુનીશ્વરનાં દર્શન થયાં. અહા ! હું તેમની સેવા કરીશ. મારાં સર્વ પાપ જશે, વળી તે ગુરૂ અનંત ગુણના ધણું છે, મોક્ષ સુખના દાતાર છે, મોક્ષ માર્ગના સાર્થવાહ છે. તત્વ ભેગી છે, પરભાવ ત્યાગી છે, સ્વભાવ પ્રમાણે છે. અજ્ઞાની છોને જ્ઞાનરૂપ ચક્ષુના દેનાર, દુર્ગતિ પડતા પ્રાણીને વારનાર, સુગતિ પહોંચાડનાર, જ્ઞાની, દયાની, મૈની, વૈરાગી અને ત્યાગી એવા મુનીશ્વર મહારાજાનાં દર્શન થયાં તે મારૂં મેટું ભાગ્ય જાણવું. વળી ગુરૂ મહારાજાના ઉપકારનું ઓશીંગણ કોઈપણ રીતે થઈ શકાય નહીં, તેવા ગુરૂ છે. અહે! ધન્ય ઘડી આજ, ધન્ય દિવસ આજન, આજ હું કૃતાર્થ થયો, આજ મને સ્યાદ્વાદધર્મ સાંભળવાનો વેગ મળે એમ ચિંતવે. જ્યાં આત્મ સ્વરૂપની વાતો થઈ રહી છે, ત્યાં પણ ઘણે આનંદ માને, વળી ગુરૂ આદિકના મળવાથકી વિચારે જે આજ મને ચિંતામણિ રત કેટકેટી મળ્યાં. સાધમી ભાઈને પણ દેખી મિરાજી ખડી થાય. એ રીતે બીજી પ્રમોદ ભાવના કહી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86