Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર, ઠગી મનમાં આનંદ માને. ઈત્યાદિ મૃષાનુબંધી રદ્રસ્થાન છે. આવા વખતે જૂઠું બોલતાં મનુષ્ય વિચાર કરે નથી. પરભવમાં જૂઠું બોલવાથી જીભ પામવી પણ મુશ્કેલ થશે અને મુંગાપણું પ્રાપ્ત થશે. નરકનાં દુઃખે ભેગવવાં પડશે, તે વખતે આકંદ કર્યા કરશે તેની જીભ પરમાધામી દેવતાઓ તાણી નાંખશે. મહા રૌરવ દુઃખ ભેગવવાં પડશે માટે ભવ્ય પ્રાણીઓએ એ ધ્યાનથી દૂર રહેવું. હવે ત્રીજું તેયાનુબંધી રદ્રધ્યાન કહે છે. અનેક પ્રકારના છળકપટ, દગાબાજી, પ્રપંચ, વિશ્વાસઘાત કરી ભદ્રક જીવેની બહુમૂલ્યવાળી વસ્તુ લેડી કિંમત આપી લઈ લે, અને મનમાં ખુશી થાય. વળી શેરી, રસ્તાની લુંટ, તાળાં ભાંગવા, ખાતર પાડવું, ત્રીજોરી લુંટવી ઇત્યાદિ કામે કરી પરધન મેળવી મનમાં ખુશી થાય. તેવા ચોર, લુંટારા, ગંઠીયા પાસેથી મિલકત લેવામાં અને તેમને મદદ કરવામાં બહુજ હિં. મતથી પ્રવર્તે, અને લાભ મેળવી આનંદ માને. પોતે વેપારી હાય અને ઘરાકે વસ્તુ ખરીદવા આવ્યા હોય, તે પ્રસંગે વિશ્વાસ બેસાડી નમુને કાંઈક બતાવી માલ અન્ય તરેહને આપે અને પિતાને સે કરવામાં કરામતવાળે માને. ભરવામાં, તળવામાં ઓછું આપવાની દાનત રાખે, વસ્તુની કિંમત ઠરાવતી વેળાએ જે ભાવ કો હોય તેનાથી વધારે ભાવ લખે, ઘી, ખાંડ, રૂ, તેલ પ્રમુખ માલ વેચવામાં સેળભેળ કરી લેનારને છેતરી મનમાં આનંદ પામે. નેકરીને ધ કરતે છતે ઉઘરાણી લાવી ખાઈ જાય તથા અમલદારની જગ્યા મળી હોય તે વખતે લેકે પાસેથી લાંચ વગેરે લેઈ પિતાનું ખીરું ભરી હર્ષવંત થાય, ઉઘરાણી ઉઘરાવી પોતે ખાઈ જાય, નોકર હોય તે પિતાના શેઠને છળ કપટ કરી છેતરે અને પૈસા ખાઈ રાજી થાય. દગાબાજીથી ભેળા લોકોને છેતરે, પૈસા ભેગા કરી મનમાં વિચારે જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86