________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
કરી મનમાં બહુ આનંદ માને તથા કીડી, મંકેડ, માખી, ભમરી, વીંછી, બકરાં, તથા માછલાંની હિંસા કરીને આનંદ માને તથા વાઘને મારીને વિચારે જે અહે! કેવા જબરાને ગળીએ વા એક તરવારના ઘાએ મારી નાંખે, વળી બંદુકની એક ગોળીએ કરીને પંખીને મારીને મનમાં આનંદ માને કે અહિ ! કેવી કળા કરી માર્યું !! લડાઈમાં હજારો જીના પ્રાણને નાશ કરી હર્ષાયમાન થાય, મૃગ મારી હષયમાન થાય, બહુ પાપયુક્ત કામ કરી વાડી, ઘર, દુકાન પ્રમુખ બનાવે; જલચર જીને મારી તેનાં માંસથી તૃપ્તિ માને, રાઈ કરી અનેક પ્રકારના શાક બનાવી ખાઈ આનંદ માને, રસોઈને વખાણી અગર કમખેડીને ખાય, જીવહિંસા થતી દેખીને ખુશી થાય તથા સંગ્રામ થતો દેખીને વખાણ કરે. અહો ! ભાઈ તમેએ એક તરવારના ઘાએ આટલા વીર પુરૂષોને મારી નાંખ્યા, તમારું બળ અજુનના જેવું છે, તમારી છાતી તે લડવામાં ભીમસેનના જેવી છે, તમે યુદ્ધમાં શત્રુને નાશ કરવામાં બાકી મૂકતા નથી, તથા લડાઈ કરનાર પુરૂષને શૂર ચઢે તેવા કડવા તથા છંદો બી. દાવલી બોલી શૂર ચઢાવે, અનેક લડાઈ કરવાના શસ્ત્ર કરાવી આપે. જમણવારના દિવસ પ્રસંગે તીવ્ર માનના ઉદયથી પિતાની વાહવાહ કહેવરાવવાની વાતે અનેક આરંભના કામ કરે, યંત્ર પીલણ દવ દેવા, તળાવ ફેલાવવાના-વિષના—ઝાડે કપાવવાના-હાથીઓના દાંતના આદિ વેપાર કરે–તથા કુંભારના ખેતીના વેપાર કે જેમાં ઘણાં ત્રસ જીવને સત્યાનાશ નીકળી જાય છે એ વેપાર કરે, દુશ્મનને મારા મનમાં ઘણે આનંદ માને અને મુછ મરડી બીજા આગળ કહેતે ફરે કે જુઓ મારા શત્રુના મેં કેવા હવાલ કર્યા?!! બીજા કોઈ છનું માઠું થાય તેમાં આનંદ માને.
પાંચ પાંડ અને કોરએ લડાઈ કરી, તેમાં ઘણું લાખ મનુષ્ય માર્યા ગયા. મહાભારતના યુદ્ધકાલમાં એક બીજાનું ખરાબ
For Private And Personal Use Only