Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० માન વિચાર. હું ચેતન ! આશ્રવ દ્વાર સેવીશ નહિ. મનુષ્ય જન્મ પામી સવર કરણી કર ! તેથી મેાક્ષ સુખ પામી શકાય છે. ૮ આઠમી સંવર ભાવના. આશ્રવના નિરાધ ( રાકવું) તેને સ ંવર કહે છે. સંવરના એ પ્રકાર છે. એક દેશ સંવર, અને ખીજો સર્વ સંવર, તે અયાગી કેવલીમાં હાય છે, અને દેશ સવર એક એ ઇત્યાદિ ભેદે છે તે આશ્રવને ત્યાગ કરનારમાં હોય છે, વળી સંવરના બીજા બે પ્રકાર છે. એક દ્રવ્ય સવર અને બીજો ભાવ સવર. તેમાં જે કર્મ પુદ્ગલ આશ્રવને જીવ ગ્રહણ કરે છે, તેને દેશથી અગર સર્વથી આવતા રોકવા તેને દ્રવ્યસ વર કહે છે, અને સંસારકારણીભૂતક્રિયાના ત્યાગ કરવા જે આત્માના અધ્યવસાય ઉપજે છે તે ભાવ સવર છે. આત્માથી પુરૂષ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચાગ પ્રમુખના ત્યાગ કરે છે અને આ ધ્યાન અને રીદ્રધ્યાન તજી ધર્મ ધ્યાન અને શુકલધ્યાન ધ્યાવે છે. ક્રોધ ને ક્ષમાથી જીતે છે. માનને મૃદુતાથી જીતે છે. માયાને સરલપણાથી જીતે છે અને લાભને સાષથી જીતે છે, પાંચ ઇંદ્વિચાના ત્રેવીશ વિષયાને જીતે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત રહે છે, ખાવીશ પરિસહુને જીતે છે. દશપ્રકારના યતિષ મમાં લીન રહે છે. ષડદ્રવ્યના ગુણુપર્યાયનું સ્વરૂપ વિચારે છે, આત્મ ઉપયાગમાં વર્તે છે, એવાને મેાક્ષની લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. ૯ નવમી નિર્જરા ભાવના. સંસારની કારણીભૂત જે કર્મની સંતિત તેના અતિશયથી જે નાશ કરે તેને નિર્જરા કહે છે, નિર્જરા બે પ્રકારની છે, એક સકામ નિર્જરા અને ખીજી અકામ નિજ રા; તેમાંથી સકામ નિર્જરા તે સમકિત-ધારી સાધુ શ્રાવકને હાય છે, બાકીના ચેાગી સન્યાસી ફકીર વગેરેને અકામ નિર્જરા હૈાય છે. અમારા કર્મની નિર્જરા થાય અને અમને માક્ષ મળે એવા આશયથી જે પુરૂષષ તપ પ્રમુખ કરે છે, તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86