Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. મૂકીએ અને મધ્યે આઠમેં જનમથે આઠ વ્યંતર નિકાયના દેવે રહે છે. તથા ઉપરના સે જ રહ્યા તેમાં દશ યોજના નીચે મુકીએ અને દશ એજન ઉપર મુકીએ, બાકીના મધ્યના એંશી એજનમાં આઠ જાતિના વાનવ્યંતર દે રહે છે. ભુવનપતિ તથા વ્યંતરજાતિના દેવને રહેવાને રત્નમય આવાસ છે. પહેલી નરકના તેર પાથડા છે તેના સર્વે મળીને ૩૦ ત્રીશ લાખ નરકાવાસ છે, તે નરક પૃથ્વી નીચે એક રાજ ખાલી છે, ત્યારબાદ બીજી નરક પૃથ્વી આવે છે, બીજી નરકમાં અગીયાર પાથડા છે, ત્યાંથી એક રાજ ગએ છતે ત્રીજી પૃથ્વી વાલુકાપ્રભા નામે આવે છે, તેમાં નવ પાથડા છે. ત્યાંથી એક રાજલક ગએ છતેથી પૃથ્વી પંકપ્રભા નામે આવે છે. તે મધ્યે સાત પાથડા છે. ત્યાંથી એક રાજ ગએ છતે પાંચમી ધૂમ્રપ્રભા નામે આવે છે તે મધ્યે પાંચ પાથડા છે. ત્યાંથી એક રાજ ગએ છત છઠ્ઠી પૃથ્વી તમ:પ્રભા નામે આવે છે ત્યાં ત્રણ પાથડા છે. ત્યાં થકી એકરાજ ઝાઝેરી સાતમી તમસ્તમ:પ્રભા નામે પૃથ્વી આવે છે ત્યાં અત્યંત અંધકાર છે, તે સાતમી પૃથ્વીના નારકીએને ઘણું વેદના છે, ત્યાંથી એક રાજ ગએ છતે અલક આવે છે. હવે સાતે પૃથ્વીનું પહેળાપણું કહે છે–પહેલી પૃથ્વી એક રાજ લાંબી પહેળી છે, બીજી પૃથ્વી બેરાજ લાંબી પહેળી છે, ત્રીજી પૃથ્વી ત્રણ રાજ લાંબી પહોળી છે. જેથી પૃથ્વી ચાર રાજ લાંબી પહોળી છે. પાંચમી પૃથ્વી પાંચ રાજ લાંબી પહેલી છે. છઠ્ઠી પૃથ્વી છ રાજ લાંબી પાળી છે, સાતમી પૃથ્વી સાત રાજ લાંબી પહેલી છે. પહેલી નરકના કરતાં બીજી નરકમાં અનંતગણું વેદના છે, એમ ઉત્તરોત્તર સાતમી નરકમાં અનંત ગુણ વેદના વધારે જાણવી. એને ઘણો વિસ્તાર પન્નવણા અને જીવાભિગમમાં છે. હવે તીવ્હાલેકનું સ્વરૂપ કહે છે. પ્રથમ નંબુદ્વીપ એક લાખ યોજનને લાંબે પહેળો છે અને તેને સર્વ દ્વિીપ સમુદ્ર વીંટી રહ્યો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86