Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. પટ વર્ગણ થાય છે, મનની વર્ગણાથી પણ આઠગી કર્મ વગણ અનંત ગુણાધિક પરમાણુત્કંધવાળી જાણવી. એ રીતે જીવને અકેકે પ્રદેશ રાગ દ્વેષની ચિકાશે કરી કર્મની અનંતીવર્ગણાઓ લાગી રહી છે. આઠે વર્ગણાઓ છે તે જીવને અનાદિ કાળથી લાગી રહી છે. દારિક, વૈક્રિય, આહારક, અને તેજસ એ ચાર વર્ગણ બાદર છે. તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શ એ વીશ ગુણ જાણવા, અને બાકીની ચાર વર્ગણ સૂક્ષમ છે, તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ મળી સેળ ગુણ છે. એક પરમાણમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ મળી પાંચ ગુણ છે, તે પરમાણુઓ સદા શાશ્વત અનંતાનંત છે, બાળ્યા બળે નહી, છેદ્યા છેદાય નહી. જેટલા છે તેટલાને તેટલા છે. વૈદરાજલક વ્યાપી છે. અકેક પરમાણુ એકેક વસ્તુમાં અનંતી અનંતીવાર પરિણમી ચૂક્યું, ત્યાં જે વસ્તુને પરિણમીને તે વસ્તુથી છુટયો તે વખતે તે વસ્તુના પર્યાયને વ્યય થયે અને બીજી વસ્તુમાં જઈ પરિણમે તેથી તે વસ્તુના પર્યાયને ઉત્પાદ છે, એમ અકેક પરમાણુ ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાયપણે પલટયે તેમાં અનંતે કાલ ગમે છે. અને હજી અનંત કાળ જશે; પણ પરમાણુ તેમાં તેજ ધ્રુવપણે છે. એમ પાંચે દ્રવ્યમાં ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે. તે દ્રવ્ય દ્રવ્યપણે ધ્રુવ છે, ચાદ રાજલોકના આકાશના સર્વપ્રદેશે આ જીવે અનંતવાર અનંતરૂપે જન્મ મરણ કર્યા, વૈદરાજલક પણ તેને તેજ છે, અને જીવો પણ તેના તેજ છે. ઉલેક, અધોલેક અને તોછલાકમાં જીવ, અનંતીવાર જઈ આવ્યું પણ જ્યાં સુધી કર્મ છે, ત્યાં સુધી ભમવાનું છે. જ્યારે કર્મને નાશ થશે, ત્યારે સિદ્ધશિલા ઉપર જે સિદ્ધક્ષેત્ર છે, ત્યાં જીવને રહેવાનું થશે, એ ચોથે સંસ્થાના વિચય નામને પાય જાણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86