Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ધ્યાન વિચાર. અન તકાળ આવ્યું, તેમજ પૃથ્વીકાય, સુમબાદર અકાય, સૂક્ષમ તથા બાદર ઈત્યાદિક ચાર ગતિમાં તું ભટકે છે. સર્વ પુગળ પરમાણુઓને અનંતીવાર તું દેહાદિપણે પરિણુમાવી ચૂક્ય. લોકાકાશને એક એ પ્રદેશ નથી કે જ્યાં તું અનંતીવાર કર્યા વિના રહ્યો હેય, એમ અનંત પુદ્ગલ પરાવર્તન કાળ તું ભમે, તે પણ હે ચેતન ! તને સંસારને ભય લાગતો નથી. આ સંસારમાં કેઈ સુખી થયે નથી. જેણે આ સંસારને ત્યાગ કર્યો તે સુખીયા થયા. જુઓ ! થાવસ્થાપુત્ર, મહાદ્ધિને ધણી અને વળી જેને બત્રીશ સ્ત્રીઓ હતી, તેણે પણ નેમિનાથ ભગવાનની દેશના સાંભળી સંસાર અસાર જાણી દીક્ષા ગ્રહણ કરી, અને શુકુલધ્યાન ધ્યાઈને મુક્તિ પામ્યા. અનાથી મુનિ પહેલાં રાજાના પુત્ર હતા, તેમને શરીરે દાહવર ઉત્પન્ન થયે, ઘણું ઉપચાર કર્યો પણ શાંતિ થઈ નહીં, પછી મનમાં વિચાર આવ્યું કે અહે સંસારમાં રોગનું કારણ કર્મ છે. મેં પાછલા ભવમાં જે જે કર્મ કર્યા છે તે હાલ ઉદયે આવ્યાં છે. એમ વૈરાગ ભાવ લાવી વિચાર કર્યો કે જે આ રોગ ઉપશમે તે હું દીક્ષા લઉં. અનુક્રમે રોગ મટ્યા બાદ સાધુ થયા. અનાથી મુનિ વિચરતા વિચરતા પૃથ્વીતળમાં રાજગૃહી ઉદ્યાનને પાવન કરવા લાગ્યા. તેમને શ્રેણિક રાજાએ દીઠા અને સંસારમાં પાડવા સારૂ લલચાવ્યા, પણ જરા માત્ર ડગ્યા નહીં, અને શ્રેણિક રાજાને બેધ પમાડ્યો તેવા ધણ સુખી થયા. એક જીવની સાથે આ જીવે અનંત સગપણ કર્યા છે. તેના સંબંધી વિશેષ જેવું હોય તે ભુવનભાનુ ચરિત્ર જેવું. તથા યશેધર ચરિત્ર તથા સમરાદિત્ય ચરિત્ર વાંચવું, કે જેથી સંસારની અનિત્યતા ભાસે. ભવ્ય જીવોએ આ સંસારને ત્યાગ કરી પંચ મહાવ્રત ધારણ કરી, આત્મ કલ્યાણ કરવું તેજ સાર છે. ૪ એકત્વ ભાવના–જીવ એકલા જ ઉત્પન્ન થાય છે, અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86