Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra કર www.kobatirth.org ધ્યાન વિચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સસારમાં કઈ સાર દેખાતા નથી. મરૂદેવી માતા, રૂષભદેવ સ્વામીએ દીક્ષા લીધી, તેથી સ્નેહના વશથી મારેા રૂષભ શુ કરતા હશે, એમ રૂદન કરવા લાગ્યાં. માંખે પડલ આવી ગયાં. જે વારે ભગવંત કેવળજ્ઞાન પામ્યા, તેવારે ભરત વાંદવા ગયા, માતાને પણ સાથે તેડી ગયા. દેવદુંદુભિના નાદ વગેરે અત્યંત ઋદ્ધિ સંપદા દેખીને સ્નેહ ત્રુટી ગયા, અને વિચાર્યુ કે “ હું રૂષભ-રૂષભ કરતી આંધળી થઇ, ને રૂપભ તે માટલી ઋદ્ધિને ભોગવે છે, ને માતાને સંભારતા પણ નથી. અહા કાઇ કોઇનુ નથી. કેાના રૂષભ અને કેની માતા ! સહુ સહુના આત્માનું કલ્યાણ કરે છે. ” એમ અનન્ય ભાવના ભાવતાં અંતગઢ કેવલી થઈ માક્ષે ગયાં. શ્રી ગીતમસ્વામી ત્રીશ વર્ષ સુધી મહાવીરસ્વામીની સેવામાં રહ્યા. તેમને મહાવીરસ્વામી ઉપર ઘણે! સ્નેહ હતા. જે વારે ભગવાન્ નિર્વાણું પદ પામ્યા, તે વારે એવી ભાવના થઈ કે “ કાના વીર ! મારે માટલા રાગ છતાં પણ તેમણે મને પાસે રાખ્યા નહીં, ” એમ બહુ વિલાપ કરવા લાગ્યા. ત્યારે આખરે મનમાં વિચાર આળ્યે કે વીતરાગ એ તા કાઇની સાથે સ્નેહ રાખતા નથી. વીરતા વીરના આત્માનું કલ્યાણ કરી ગયા, અને તુ “ વીર વીર ” પાકારે છે. તેમાં તારૂ શુ વળ્યું. તું તારા સ્માત્માનું કલ્યાણ કાર્ય કર, એમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામ્યા. એમ અન્યત્વ ભાવના ભાવતાં આત્માનું હિત થાય છે. ઘણા ભવ્ય પ્રાણીએ અન્યત્ર ભાવના ભાવતા સિદ્ધિ પદ્મને પામ્યા છે. ૬ અચિ ભાવના. જેમ લુણની ખાણમાં જે જે પદા પડે છે તે તે લુણુ થઇ જાય છે. તેમ આ કાયામાં જે જે આહાર પ્રમુખ પડે છે, તે મળ રૂપ થઇ જાય છે. એવી આ કાયા અપવિત્ર છે, તથા રૂધિર અને શુક્ર એ બન્નેના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86