________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
મેળાપથી આ કાયા ઉત્પન્ન થાય છે. આ કાયાને પાણીના સે ઘડાથી નવરાવીએ, તેમજ કસ્તુરી પ્રમુખ સુગંધી દ્રવ્યને કાયાપર ચોપડીએ તે પણ અંદર રહેલ અશુચિને કોઠે પવિત્ર થતું નથી.
ચંદન, કસ્તુરી, અગર, કપુર, પ્રમુખ સુગંધી વસ્તુઓ સાથે પણ આ શરીર સંબંધ થાય છે, ત્યારે અન્ય કાળમાં દુર્ગધરૂપ થઈ જાય છે. તે પછી વિચારે કે, આ કાયાને કહ્યું બુદ્ધિમાન પવિત્ર માને ? નગરના ઘડનાળાની પેઠે આ કાયામાંથી મળ, મૂત્ર નીકળ્યા કરે છે, કાચના કટકા જેવી આ કાયા ઉપર શી માયા કરવા જેવી છે? પુરૂષના નવદ્વારમાંથી અને સ્ત્રીના બારદ્વારમાંથી અશુચિ વહ્યા કરે છે. હે! જીવ! તું દુર્ગધિને દૂરથી દેખી મુખ મચકડે છે, પણ જાણતા નથી કે તારૂં શરીર પણ દુર્ગધિથી ભર્યું છે. મલ્લિકુમારીએ આ ભાવનાથી છ મિત્રને પ્રતિબંધ પમાડ્યો.
ગર્ભાવાસમાં તે આ જીવ અશુચિમાં રાત્રી દિવસ લપટાઈને રહો. તેનું સ્વરૂપ સંક્ષેપથકી કહે છે –
સ્ત્રીની નાભિની નીચે બે નાડી છે; તે બે નાડી ફુલને આકારે છે. તેની નીચે આંબાના માંજરના આકારે માંસની પેશી છે. તે જે વારે સ્ત્રીને ઋતુ કાલ હોય તે વારે તે માંસની માંજર કુટે છે ને માંહેથી રક્ત વહે છે. જીવની ઉત્પત્તિ વિષે જે અધોમુખ કુલને આકારે યોનિ છે. ત્યાં પુરૂષનું વીર્ય પ્રાપ્ત થાય છે, અને જે વારે
નિ મિશ્રિત હોય તે વારે જીવ ઉપજવા ગ્ય થાય છે, અને વીર્ય પ્રાપ્ત થયા પછી બાર મુહૂર્ત સુધી જીવનું ઉપજવું થાય છે, એક જીવ પણ ઉપજે, બે તથા ત્રણ તથા ઉત્કૃષ્ટ નવ લાખ જીવ ઉપજે. કહ્યું છે કે–
તે પણ છે इथिए जोणी संभवंति, बेइंदियाउ जे जीवा, उकोसनवलखा, जायंतिएगवेलाए ॥ १॥
For Private And Personal Use Only