________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
થશે, એમ સંકલ્પ વિકલ્પ કરે, પિતા ક્રોધી હોય તે વિચારે જે આવો પિતા કેમ મળે એમ વિચારી શકાતુર થાય. માતા વ્યભિચારિણી હોય, તથા દાસ દાસીઓ ખરાબ હોય તેથી ખરાબ વિચાર કરે અને તેમના સંબંધમાં તેમનું બૂરું કરવાની ચિંતા થાય. વળી સ્ત્રી મનમાં એમ વિચાર કરે કે મારી શકય બહુજ ખરાબ છે. એ પાપીણું વારંવાર લેકેની આગળ મારી નિન્દા કરે છે અને પતિને આડું અવળું સમજાવી તેને વશ કર્યો છે તેના કહ્યા પ્રમાણે મારા ધણું ચાલે છે, મારા સામું જેતે નથી અને મને બોલાવતે પણ નથી. હાય, હાય, મારા માત પિતાએ આવા ધણ સાથે મને કેમ પરણાવી. ધણીને વશ કરવાને મન્ન, તન્ન અને કામણ કુમણુ કરે, વળી સેવક મનમાં એ વિચાર કરે છે મારા શેઠની વા ઉપરીની પાસે મારે દુશ્મન અમુક ચાડી ખાશે, અને મને નોકરીમાંથી બાતલ કરાવશે તેતેથી હું શું કરીશ ? એમ જાણી દુશ્મનને નાશ કરવા ઉપાય ચિંતવે. તે વખતે દુશ્મનો નાશ માટે મંત્ર, તંત્ર, મારણ, મૂઠ, ચાટ અને ઉચ્ચાટન, વગેરે કરે, અને શેઠના ઉપર વશીકરણ કરે, દુશ્મને ઉપર જૂઠાં કલંક થાપે, બલિદાન દેવા વાસ્તે ત્રસ જીવને મારે, મારા અમુક દુશ્મનને નાશ થશે તે હે યક્ષ! દેવી! અમુક માનતા તમને ચઢાવીશ, તથા બલિદાન દેવા વાસ્તે ત્રસ ને મારે, વળી મૂઠ મારે, તથા વીર નાંખી મારવા ચાહે, પરંતુ મૂર્ખ મનમાં વિચારતે નથી કે જો તું સાચો છે તે દુશ્મને શું કરવાના છે? વળી જ્યાં સુધી સામાનું પુણ્ય બળવાન છે ત્યાં સુધી મારણ, મંત્ર, તંત્રથી કંઈ થવાનું નથી, વળી મનમાં એ વિચાર કરે કે મારા દુ
મનના કુળમાં અમુક માણસ જોરાવર આગળ થશે, તે મને તથા મારા કુટુંબને રખે હેરાન કરે એમ ધારી તેના નાશના ઉપાયે ચિંતવે. જે એની રાજ્ય દરબારમાં આબરૂ જાય વા દંડ થાય તે બહુ સારૂં, એ સારી પાયરી ઉપર ન આવે તે
For Private And Personal Use Only