Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 18
________________ વિન્યાલોક ધ્વન્યાલોક' પછી આનંદવર્ધન, બૌદ્ધાર્થ ધર્મકીર્તિના ગ્રંથ પ્રમાણ વિનિશ્ચય” પર ધર્મોત્તમા ટીકા લખશે અને તેમાં એ વિષયનું નિરૂપણ કરશે એમ ધ્વન્યાલોક' માં તેમણે પોતે નિર્દેશ્ય છે.' એવી કોઈ ટીકા સંસ્કૃતમાં હાલ મળતી નથી. દેવીશતક' પર, (ઈ.સ. ૯૭૭) આશરે થઈ ગયેલા રાજા ભીમગુપ્તના સમયે કેટે ટીકા લખી હતી. ૪. “વન્યાલોક'નું ગ્રંથકર્તુત્વ ચાલોક'ના કર્તૃત્વ અંગે નીચેની ટીકા દ્વારા ડૉ. બુલરે સંસ્કૃતના પંડિતોની આંખો ખોલી. “અભિનવગુણની ટીકાથી એ દેખાય છે કે કારિકાઓ કોઈ જૂના લેખકની રચના છે, જેનું નામ આપવામાં આવ્યું નથી. પણ એ નોંધપાત્ર છે કે તેના (કારિકાના) આરંભમાં મંગલાચરણ નથી.” બુલરના આ સંક્ષિપ્ત નિવેદન બાદ અત્યાર સુધી, “ધ્વન્યાલોકના કારિકાભાગ અને વૃત્તિભાગના લેખકની બાબતમાં ગરમાગરમ વિવાદ ચાલ્યો છે, જે વિવાદ હજુ પણ ચાલુ જ છે. જ્યાં સુધી કોઈ નિશ્ચિત સર્વગ્રાહ્ય પુરાવો ન મળે ત્યાં સુધી તે ચર્ચા સમાપ્ત થાય તેવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. અલંકારશાસ્ત્રના કેટલાક અન્યગ્રંથોની જેમ “ધ્વન્યાલોક'નાં ત્રણ અંગ છે. કારિકા, વૃત્તિ અને ઉદાહરણ. તેમાં આવતાં ઉદાહરણો તો વૃત્તિના લેખકે, પ્રાચીન પુરોગામી કવિઓની કૃતિઓમાંથી કે પોતાની કૃતિઓમાંથી આપ્યાં છે એ નિઃશંક છે. ખરી મુસીબત કારિકાઓ અને વૃત્તિના લેખક અંગેની છે. સુશીલકુમાર છે. મુજબ, “બીજા સંપ્રદાયોની જેમ ધ્વનિસંપ્રદાયનું મૂળ અસ્પષ્ટતામાં ખોવાયેલું છે. પણ ધ્વનિ સિદ્ધાન્તનું પ્રથમ સ્પષ્ટ સૂત્રીકરણ, ધ્વનિકારના યાદગાર શ્લોકોમાં (કારિકાઓમાં) થયેલું છે. તેમનો સમય અજ્ઞાત છે १. यत्त्वनिर्देश्यत्वं सर्वलक्षणविषये बौद्धानां प्रसिद्धं तत्तन्मतपरीक्षायां ग्रन्थान्तरे निरूपयिष्यामः ।" ધ્વન્યાલોક ૩/૪૭ની વૃત્તિમાં. 2. From italya's start it appears that verses are the composition of some older writer, whose name is not given. But it is remarkable that they contain no HIFRUT." (Dr. Buhler. In Kashmir Report page. 65) 3. "The origin of the Dhvani school, like that of the other schools of poetics, is lost in obscurity, but the first clear formulation of its theory of Dhvani as a whole is to he found in the memorial verses of the Dhvanikāra, whose date is unknown, but who could not have been very far removed from the time of his commentator Anandavardhana. It is possible, however, that the Dhvanikara himself is following a much older tradition.” S. K. De. The Hist. of SK. Poetics. p. 139.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 428