Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ધર્મ પ્રત્યેને તેમને અપાર આદર અને ઇતિહાસ દષ્ટિએ તથા વિશાળ પ્રવાસ દષ્ટિએ તેમને વૈદિકાદિ ધર્મોના સંત, તી વ.ને પરિચય તેમ જ શિબિરાર્થી બહેને, ભાઈઓ વ.ના ઊંડા જાત અનુભવોનું તારણ પણ એમાં સાંપડે છે. એ જ રીતે પ્રસંગોપાત અંબુભાઇ, ફૂલજીભાઈ વગેરે ભાલનળકાંઠા કાર્યના પ્રત્યક્ષ કાર્યકરોના જાત અનુભવને પણ ફાળો રહેલો છે. આ પ્રવચન તથા ચર્ચાનું ટૂંકું તારણ (જે કદાચ આ પહેલાં સાધુ સાધ્વી શિબિર પ્રવચનોની ઝાંખી રૂપે) વિશ્વવાત્સલ્ય”ના સન ૧૮૬૧ના ભેટ પુસ્તક રૂપે-આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહોંચે તે પહેલાં બહાર પડી ચૂક્યું હશે. આ તારણનાં વાંચન પરથી શ્રી મણિભાઈ લોખંડવાળા (જેઓ ગૂર્જરવાડી જે જ્ઞાતિની છે, તેના અધ્યક્ષ છે અને આ માટુંગા ચાતુર્માસમાં જેમણે અનેક પ્રકારે હાર્દિક સેવા બજાવી છે, તેઓ)નું મન પુસ્તક છપાવવા રૂપે થયું. “એકને બદલે બીજાઓ પણ સામેલ થાય તે સારું' જે પરથી તેમણે સ્વેચ્છાએ ભાગીદારી જેટલી જે નોંધાવે તેમાં ખુશીથી સંમતિ બતાવી. સદ્દભાગ્યે તેમના જ પ્રયત્ન મદ્રાસ સ્થા. જન છાત્રાલયના ગૃહપતિ પ્રિય ભાઈશ્રી. ગુલાબચંદભાઈ જેવા ગ્ય સંપાદક પણ મળી ગયા. શિબિર સહાયક શ્રી છોટુભાઈ, મણિભાઈ મીરાંબહેન અને આ પ્રવચનોના બીજા શ્રોતા ભાઈબહેનોને હિસ્સે પણ ભૂલી ન શકાય. આ રીતે જોતાં આ પુસ્તકમાં કેટલાં બધાં પરિબળોને ફાળો છે, તેને વાચકોને ખ્યાલ આવશે. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ સંચાલિત “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નિમાયેલી તે આ પુસ્તકની નૈતિક સંપાદિકા છે, પણ બધી સગવડ જોઈ મહાવીર સાહિત્ય પ્ર. મંદિરનું પ્રકાશક તરીકે નામ રખાયું છે. શિબિર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust