Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 43
________________ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૮ ભાવાર્થ:(૧૮) આક્રોશ કરાયેલ કે હણાયેલ કે છેડાયેલ, પ્રતિકારનો અભાવ હોવાને કારણે પૃથ્વી સમાન ભાવભિક્ષુ - જે મુનિઓ વચનાનુષ્ઠાન સેવીને અસંગ ભૂમિકામાં વર્તે છે, તેમનામાં બાહ્ય પદાર્થનો સંગ કરવાનો પરિણામ અત્યંત તિરોધાન પામેલ હોય છે. તેથી કુવચનો દ્વારા કોઈ આક્રોશ કરે તો તે વચનો મને કહે છે,” તેવી સંગની બુદ્ધિ જેમને થતી નથી, પરંતુ સમભાવના પરિણામમાં ઉપયુક્ત હોવાથી તે વચનો સાથે સંશ્લેષ પામતા નથી. તેઓ ભાવભિક્ષુ છે. વળી વચનો કરતાં પણ દંડાદિ દ્વારા તાડન, સંગ પ્રત્યેનું પ્રબળ કારણ છે. આમ છતાં અસંગભાવમાં દઢ ઉપયોગવાળા અને શુદ્ધ આત્મતત્ત્વમાં નિરિશમાન મતિવાળા મુનિઓને, કોઈ દંડાદિથી તાડન કરે કે કોઈ ખડુગાદિથી છેદન કરે, તોપણ શુદ્ધ આત્મતત્ત્વના ઉપયોગને છોડીને તે તાડન સાથે કે છેદન સાથે જેઓ સંશ્લેષ પામતા નથી, આથી બાહ્યથી પણ તે પ્રવૃત્તિનો કોઈ પ્રતિકાર કરતા નથી અને અંતરંગ રીતે પણ તે પ્રવૃત્તિના પ્રતિકારના પરિણામને પ્રાપ્ત કરતા નથી, તેથી પૃથ્વી સમાન નિષ્પતિકર્મવાળા=પ્રતિકાર કરવાના અભાવવાળા, જે સાધુઓ છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૧૯) વ્યુત્કૃષ્ટ અને ત્યક્ત દેહવાળા ભાવસાધુ - જે સાધુ મહાત્માને દેહ પ્રત્યે ભાવથી લેશ પણ પ્રતિબંધ નથી, તેથી દેહ સાથે સંબંધ હોવા છતાં ભાવથી સંબંધ વગરના છે માટે દેહને વોસિરાવેલ છે. વળી વિભૂષા નહિ કરવા દ્વારા દેહનો ત્યાગ જે સાધુ મહાત્માએ કર્યો છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૨૦) નિદાનરહિત ભાવભિક્ષુઃ વચનાનુષ્ઠાનવાળા સાધુ મહાત્માઓને ભગવાનના વચનનું સ્મરણ કરીને પોતે જે સાધના કરે છે, તે સાધનાનું ભાવિમાં કોઈ સાંસારિક સુખોરૂપ ફળ મળે, તેવી આશંસા હોતી નથી, તે ભાવભિક્ષુ છે. અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓને તો મોક્ષની કે મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98