________________
પ૦
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ (૧૫) બુદ્ધ - મુનિ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેના નિતારના ઉપાયભૂત સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણનારા હોવાથી=અવગત તત્ત્વવાળા હોવાથી બુદ્ધ છે.
(૧૭) પ્રવ્રજિત :- જે મુનિ ભગવંતો પ્રકૃષ્ટથી યોગમાર્ગમાં પ્રવર્તે છે, તે પ્રવ્રજિત છે, અને યોગમાર્ગ પાપથી નિષ્ક્રાંત અવસ્થાવાળો છે, તેથી મુનિ મન, વચન અને કાયાથી ગુપ્ત થઈને સાંસારિક ભાવોથી નિર્લેપ-નિર્લેપતર થવા માટે સતત ઉદ્યમવાળા હોય છે, માટે મુનિ પ્રવ્રજિત છે.
(૧૭) મુક્તઃ-મુનિ સંપૂર્ણ લોભરહિત છે; કેમ કે જીવની નિર્લોભ પ્રકૃતિ છે, તેને સ્કુરાયમાન કરવા માટે મુનિ સર્વ પ્રયત્નથી લોભનો નાશ કરવા અર્થે ઉદ્યમ કરી રહ્યા છે. આથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગપૂર્વક આત્માને નિર્લેપ ભાવનાથી ભાવિત કરે છે, અને “નશ્યમાન નષ્ટ એ નયની દૃષ્ટિથી જેમનો લોભ નાશ પામતો હોય તે નષ્ટ કહેવાય છે, તેથી મુનિ નિર્લોભ=મુક્ત છે.
(૧૮) અણગાર:- જીવને માટે પ્રતિબંધનું સ્થાન ગૃહ છે. તેથી ગૃહનો જેમણે ત્યાગ કર્યો છે તેવા મુનિ દ્રવ્યથી અગારશૂન્ય છે.
વળી જે મુનિ ભગવંતો નિર્દોષ વસતિની યાચના કરીને રહેલા હોય, અને સંયમયોગમાં ઉસ્થિત ન હોય તો તે વસતિ તેઓને નિવાસસ્થાનરૂપ બને છે અર્થાત્ શાતા અર્થે રહેવાનું સ્થાન બને છે. તેથી તે વસતિ મુનિનું ઘર બને છે, તેમ પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે “વિશતિવિંશિકામાં કહેલ છે. તેથી જે મુનિ ભગવંતો કેવલ સંયમની વૃદ્ધિના ઉપાયભૂત વસતિની યાચના કરીને તે વસતિમાં લેશ પણ પ્રતિબંધ વગર સંયમની વૃદ્ધિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ ભાવથી અગારશૂન્ય છે.
આ રીતે દ્રવ્ય અને ભાવથી જે મુનિ ભગવંતો ગૃહરહિત છે, તેઓ અણગાર છે. (૧૯) ચરક :- શ્લોક-૧૮માં કહેલ તે મુજબ જે મુનિ ભગવંતો આત્માને શુદ્ધ ભાવમાં સ્થિર કરવાના ઉદ્યમને અનુકૂળ સત્તર પ્રકારના સંયમની આચરણામાં યત્ન કરે છે તે મુનિ ચરક છે.
(૨૦) પાખંડી - કર્મરૂપી પાશથી જેઓ છૂટેલા છે, તેઓ પાખંડી કહેવાય છે, અને જે સાધુ ભગવંતો અપ્રમાદભાવથી શાસ્ત્રવચન દ્વારા આત્માને ભાવિત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org