Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૧૬૭ થી ૧૬૯
વિશે પ્રશ્ન - સ્પષ્ટ છે, ફર્ક એ કે - બે તરફ માલ્યવંત અને ચિત્રકૂટ વક્ષસ્કારને સ્પષ્ટ છે - પૂર્વની કોટિથી પૂર્વના વક્ષસ્કાર પર્વતને, પશ્ચિમી કોટિથી પશ્ચિમી વક્ષસ્કારને સ્પર્શે છે. - ૪ - ભરતના વૈતાઢ્ય સર્દેશ છે કેમકે રજતમય અને રુચક સંસ્થાન સંસ્થિત છે. વિશેષ આ - બે બાહા, જીવા, ધનુઃપૃષ્ઠ ન કહેવા, કેમકે અવકક્ષેત્રવર્તી છે. લંબ ભાગ ભરતના વૈતાઢ્ય સમાન નથી, તેથી કહે છે વિજયના કચ્છાદિનો જે વિખુંભ તેના સદેશ લંબાઈ છે. અર્થાત્ વિજયનો જે વિખુંભ છે, તે આની લંબાઈ છે, યોજન-૫૦ વિખંભ, ૨૫-ઉંચો, ૨૫-ઉદ્વેધ ઉચ્ચત્વના પહેલાં ૧૦-યોજન જતાં વિધાધર શ્રેણી પૂર્વવત્ ફર્ક એ કે- ૫૫-૫૫ વિધાધર નગરાવાસ કહેલ છે. આભિયોગ્ય શ્રેણી પૂર્વવત્ જાણવી. - ૪ - સર્વ વૈતાઢ્ય આભિયોગ્ય શ્રેણિ વિશેષ –
-
૧૭૩
સીતાનદીની ઉત્તર દિશામાં રહેલ આભિયોગ્ય શ્રેણી ઈશાન ઈન્દ્રની છે, સીતા નદીની દક્ષિણમાં રહેલ શક્રેન્દ્રની છે. - ૪ - x - પછી કૂટની વક્તવ્યતા કહેલ છે. હવે તેના નામો કહે છે – પૂર્વમાં પહેલો સિદ્ધાયતનકૂટ, પછી પશ્ચિમ દિશાને આશ્રીને આ આઠે કૂટો કહેવા – બીજો દક્ષિણ કચ્છાદ્ધ ફૂટ, ત્રીજો ખંડપ્રપાતગુફાકૂટ, ચોથો માણિભદ્રકૂટ, બાકી વ્યક્ત છે. પરંતુ વિજય વૈતાઢ્યમાં બીજાથી આઠમાં બધાં કૂટોમાં પોત-પોતાની વિજયના નામે કૂટ છે, જેમકે દક્ષિણ કચ્છાદ્ધ કૂટ. બાકીના ભરત પૈતાઢ્યટ સમાન નામથી છે.
હવે ઉત્તરાદ્ધ કચ્છ - દક્ષિણાદ્ધ કચ્છવત્ જાણવી. હવે તેના અંતર્વર્તિ સિંધુકુંડની વક્તવ્યતા — સ્પષ્ટ છે. • - ૪ - ભરતના સિંધુડ સČશ બધું જાણવું. ગંગાના આલાવા મુજબ બધું કહેવું. તેમાં ઋષભકૂટની વક્તવ્યતા કહી, હવે ગંગાકુંડ પ્રસ્તાવનાર્થે કહે છે – સિંધુકુંડના આલાવો સંપૂર્ણ કહેવો. પરંતુ પછી ગંગાનદી ખંડપ્રપાત ગુફાની નીચેથી વૈતાઢ્યને ભેદીને દક્ષિણમાં સીતામાં પ્રવેશે છે.
[શંકા] ભરતમાં નદી મુખ્યત્વથી ગંગાને વર્ણવીને સિંધુને વર્ણવી, અહીં સિંધુને વર્ણવીને તે વર્ણવે છે, એ કઈ રીતે કહ્યું? [સમાધાન] અહીં માલ્યવંત વક્ષસ્કારથી વિજય પ્રરૂપણાના પ્રકારત્વથી તેના નીકટવર્તી સિંધુકુંડના પહેલા સિંધુ પ્રરૂપણા, પછી ગંગાની.
ભગવન્ ! તેને કચ્છ વિજય કેમ કહે છે ? [સૂત્રાર્થ મુજબ જાણવું]. વિશેષ આ - ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામે ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે, તે છ ખંડનો ભોક્તા છે. તેથી લોકમાં “કચ્છ” એમ કહેવાય છે. અહીં વર્તમાનકાળથી સર્વદા યથાસંભવ ચક્રવર્તીની ઉત્પત્તિ જાણવી, નિયત કાળથી નહીં. - ૪ - ૪ - નિષ્ક્રમણ અર્થાત્ પ્રવજ્યાનો સ્વીકાર વર્જીને કહેવો. ભરતચક્રીએ સર્વવિરતિ ગ્રહણ કરેલી, પણ કચ્છનો ચક્રી તે ગ્રહણ કરે, તેવો નિયમ નથી. અથવા અહીં ‘કચ્છ’ નામ દેવ છે, તેથી તેના અધિષ્ઠિતપણાથી કચ્છ વિજય કહે છે, યાવત્ આ નામ નિત્ય છે - x - હવે ચિત્રકૂટ વક્ષસ્કાર –
- સૂત્ર-૧૭૦ :
ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામે વક્ષસ્કાર પર્વત
ક્યાં કહેલ છે? ગૌતમ! સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે,
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
કચ્છવિજયની પૂર્વે, સુકચ્છ વિજયની પશ્ચિમે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો ૧૬,૫૯૨ યોજન, ૨-કળા લાંબો, ૫૦૦ યોજન પહોળો છે. નીલવંત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો અને ૪૦૦ ગાઉ ભૂમિગત છે. ત્યારપછી માત્રાથી ઉત્સેધ અને ઉદ્વેધની પરિવૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદી પાસે ૫૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, ૫૦૦ ગાઉ ભૂમિગત છે. તે અશ્વસ્કંધ સંસ્થાન સંસ્થિત, સર્વરત્નમય, સ્વચ્છ, લક્ષણ થાવત્ પ્રતિરૂપ છે. બંને પડખે બે પાવરવેદિકા અને બે વનખંડોથી તે પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવત્
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ ભેરો છે. ભગવન્ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતમાં કેટલાં છૂટો કહેલ છે ? ગૌતમ ! ચાર છૂટો કહ્યા છે - સિદ્ધાયતન ફૂટ, ચિત્રકૂટ, કચ્છફૂટ, સુકચ્છફૂટ. પરસ્પર ઉત્તર-દક્ષિણમાં સમાન છે. પહેલું સિદ્ધાયતન ફૂટ, સીતા નદીની ઉત્તરે, ચોથો સુકકૂટ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે અહીં ચિત્રકૂટ નામે મહકિ દેવની યાવત્ રાજધાની પૂર્વવત્ કહેવી.
૧૭૪
• વિવેચન-૧૩૭૦ :
સૂત્ર સુલભ છે. વિશેષ એ - લંબાઈ ૧૬,૦૦૦ યોજનાદિ, વિજયની સમાન જ છે. કેમકે વિજયના વિજય વક્ષસ્કાર તુલ્ય લંબાઈવાળા છે. વિખુંભ ૫૦૦ યોજન છે, તે વિશેષ. કેમકે જંબુદ્વીપના વિકુંભથી ૯૬,૦૦૦ બાદ કરતાં બાકીના ૪૦૦૦ને આઠ વક્ષસ્કારથી ભાંગતા, ૫૦૦ યોજન જ આવે. - ૪ - ૪ - [વૃત્તિનું શેષ ગણિત પૂર્વ સૂત્રમાં આવી ગયેલ છે, માટે અહીં ફરી નોધેલ નથી. તથા નીલવંત વર્ષધર પર્વત સમીપમાં ૪૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, ૪૦૦ ગાઉ ઉદ્વેધથી છે. પછી માત્રાની વૃદ્ધિથી ક્રમથી ઉત્સેધઉદ્વેધની વૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદીની પાસે ૫૦૦ યોજન થાય છે. - ૪ - તેથી અશ્વસ્કંધ સંસ્થાને રહેલ, ક્રમથી ઉંચો, સર્વ રત્નમય, બાકી પૂર્વવત્.
હવે આના શિખર સૌભાગ્યને કહે છે – ચિત્રકૂટ આદિ સ્પષ્ટ છે. હવે કૂટ સંખ્યા પૂછે છે આ ચાર કૂટો ઉત્તર-દક્ષિણ ભાવથી પરસ્પર તુલ્ય છે. પહેલું સિદ્ધાયતન કૂટ, બીજું ચિત્રકૂટ ઈત્યાદિ. તો સીતા નીલવંતથી કઈ દિશામાં છે ? સીતાની ઉત્તરથી ચોથો નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી, એમ સૂત્રપાઠોક્ત ક્રમ બલથી બીજો ચિત્ર નામે, પહેલાથી પછી જાણવો. - ૪ - ઈત્યાદિ. - X -
-
સંપ્રદાય-સૌથી પહેલો સિદ્ધાયતનકૂટ, મહાનદીની સમીપે ગણ્યમાન્યત્વથી દ્વિતીય સ્વસ્વ વક્ષસ્કાર નામક - ૪ - ઈત્યાદિ. હવે આનો નામાર્થ કહે છે – અહીં ચિત્રકૂટ નામે દેવ રહે છે, તેના યોગથી ચિત્રકૂટ નામ છે. આની રાજધાની મેરુની ઉત્તરે છે. એમ આગળના વક્ષસ્કારોમાં યથાસંભવ કહેવું. - - હવે બીજી વિજય– • સૂત્ર-૧૭૧ થી ૧૭૩ :
[૧૭] ભગવન્ ! જંબૂઢીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય કર્યાં કહેલ છે ? ગૌતમ ! સીતૌદા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગાથાપતિ મહાનદીની પશ્ચિમે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં