Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૫૧ થી ૩૫૫
૧૫
૧૯૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
સાધિક ૧૪ પલ્યોપમ કહેલી છે.
0 તાસ વિમાનમાં દેવોની જધન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉતકૃષ્ટ સ્થિતિ * પલ્યોપમ કહેલી છે.
તાસ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧/૮ પલ્યોપમ કહેલી છે.
• વિવેચન-૩૫૧ થી ૩૫૫ :
ચંદ્રની પ્રગ્નસૂત્ર સુગમ છે, ઉત્તર સૂત્રમાં ચાર અગ્રમહિષી તે આ પ્રમાણે ચંદ્રપ્રભા ઈત્યાદિ ચાર.
ચાર સંખ્યાના કથન પછી પરિવાર કથન - એકૈક દેવીનો ચાર-ચાર હજાર દેવીનો પરિવાર કહેલ છે. અર્થાત્ એક અણમહિષીની ચાર-ચાર હજાર પરાજ્ઞી છે. હવે વિદુર્વણા સામર્થ્ય -
તે આવા સ્વરૂપની અમહિણી પરિચારણા અવસરમાં તથાવિધ જ્યોતિકરાંજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને પોતાના સમાન રૂપવાળી હજાર દેવી વિકર્ષે છે. સ્વાભાવિક વળી ઉક્ત પ્રકારે જ છે. તેથી બધી મળીને ૧૬,000 દેવી ચંદ્રદેવની હોય છે.
અહીં જે રીતે ચમરેન્દ્રાદિની ગુટિક વક્તવ્યતાના અધિકારમાં સ્વ-સ્વ પરિવાર સંખ્યાનુસાર વિકુણીય સંખ્યા કહી, તે પ્રમાણે જ જીવાભિગમાદિમાં ચંદ્ર દેવની પણ ચાર-ચાર હજાર સ્વપરિવારનુસાર વિકુણા દેખાય છે. અહીં તેમ નથી, તે મતાંતર જાણવું. - ૪ -
આ ચંદ્રદેવની ગુટિક-અંતઃપુર છે ઈત્યાદિ. હવે ચૌદમા દ્વારનો પ્રશ્ન કરે છે –
ભગવદ્ ! શું જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાન મથે ચંદ્રા રાજધાનીમાં સુધમસિભામાં તપુર સાથે મહતુ ઈત્યાદિ પૂર્વવતું. વિહરવાને સમર્થ છે ? તેના ઉત્તર સૂરમાં કહે છે – ગૌતમ! આ અર્થ સમર્થ નથી [ન વિચરી શકે.]
કયા કારણે ભગવદ્ ! આ પ્રમાણે કહ્યું ? - જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાની સુધમસભામાં અંતઃપુર સાથે મહતું આહત ગીત-વાજિંત્રનૃત્યસહ ચાવતું દિવ્ય ભોગોપભાગ ભોગવવા સમર્થ છે ?
ગૌતમ ! જ્યોતિકેન્દ્ર ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમસભામાં માણવક નામે ચૈત્યવતુ પૂજય સ્તંભ છે, તેમાં વજમય ગોળ-વૃત સંપુટરૂપ ભાંડમાં ઘણાં જિન અસ્થિ સ્થાપિત હોય છે, તે ચંદ્રને તથા બીજા ઘણાં દેવો અને દેવીઓને ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્યનીય, પુષ્પો વડે પૂજનીય વસ્ત્રાદિ વડે સકારણીય, પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય છે તથા કલ્યાણબુદ્ધિથી પર્યાપાસનીય છે.
ઉક્ત કારણથી એમ કહેવાય છે કે ગૌતમ ! તે સમર્થ નથી. જિનેશ્વરની જેમ જિન અસ્થિમાં પણ તેમને બહુમાન હોવાથી તથા આશાતનાના ભયથી [સમર્થ નથી. કહ્યું.'
હવે એ પ્રમાણે કપાતીત દેવોની માફક આની પણ અપવિચારતા છે કે નહીં, તે આશંકાને દૂર કરવા કહે છે –
ચંદ્ર સુધર્માસભામાં ૪૦૦૦ સામાનિકો સાથે, ઉકત પ્રકારે ચાવતું શબ્દથી સપરિવાર ચાર અગ્રમહિષીઓ સાથે ઈત્યાદિ બધો જ લાવો અહીં કહેવો જોઈએ.
દિવ્ય ભોગને યોગ્ય જે ભોગ - શબ્દાદિ, તેને ભોગવીને વિહરવાને, અહીં વિશેષથી કહે છે - વન • પરિવાર-પરિકરની ઋદ્ધિ-સંપત્તિપણે, આ બધાં મારા પરિચારક છે, હું આમનો સ્વામી છું એ પ્રમાણે પોતાની ઋદ્ધિ વિશેષને દર્શાવવાથી આમ કહ્યું, પણ મૈથુન પ્રત્યય - કામક્રીડા નિમિતે ભોગ ભોગવી શકે નહીં, તે સિવાયના ભોગ ભોગવતો વિચારવા સમર્થ છે.
- હવે પ્રસ્તુત ઉપાંગના આદર્શ-પ્રતિમાં પણ દેખાય છે અને જીવાભિગમાદિ ઉપાંગોમાં પણ દેખાય છે તે સૂર્યાગ્રમહિષી કથન -
જ્યોતિરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ?
ગૌતમ! ચાર અગ્રમહિષી કહી છે – સૂર્યપભા, આતપ્રભા, અર્ચિમાલી, પ્રભંકરા. બાકી બધું ચંદ્રવત્ કહેવું. માત્ર સૂર્યાવર્તક વિમાનમાં સૂર્ય સીંહાસનમાં એમ બોલવું.
હવે ગ્રહાદિની અગ્રમહિણીનું કથન - ગ્રહાદિમાં આદિ શબ્દથી નક્ષત્ર અને તારાઓ પણ કહેવા. બધે વિજયાદિચાર જાણવી.
૧૭૬ ગ્રહોની - જંબૂદ્વીપવર્તી બે ચંદ્રના પરિવારભૂત ગ્રહોના બમણાં, ૮૮ x ૨ = ૧૩૬, આ અનંતરોક્ત વિજયાદિ અગ્રમહિષી કહેવી. • x • અહીં સૂકાદર્ભમાં પહેલાં કહેલ નક્ષત્રદેવતા સૂત્રની ઉપેક્ષા કરીને ક્રમ પ્રાધાન્યથી વ્યાખ્યાન કરવા પહેલાં ૮૮ ગ્રહો કહે છે -
(૧) અંગારક, (૨) વિકાલક, (3) લોહિતાંક, (૪) શનૈશ્ચર (૫) સાધુનિક, (૬) પ્રાધનિક. પછી કનક સાથે એક દેશથી સમાન નામ જેમના છે તે કનક સમાન પાંચ નામો છે તે આ -
(9) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક અને (૧૧) કણસંતાનક. પછી સોગં ગાથા કહે છે -
(૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશાસન, (૧૫) કાયપગ, (૧૬) કબુક, (૧) અજમક, (૧૮) દુંદુભક. શંખ સમાન નામો-શંક શબ્દાંકિતા ત્રણ છે, તે આ પ્રમાણે – (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ વણભ.
- X - X - સુગમાં યાવત શબ્દથી આ પ્રમાણે જાણવું -
o વૃત્તિકારશ્રીએ અહીં થી ૯ એ પ્રમાણે સાત ગાણાઓ નોંધેલી છે, જેમાં ૮૮ગ્રહોમાં ઉક્ત ૨૧ ગ્રહો સિવાયના, તેની પછીના નામો-અનુક્રમે જણાવેલાં છે, ત્યારપછી આ જ ગાળાની યાખ્યા કરતાં તે નામોને સંસ્કૃતમાં નોંધેલા છે, અમોએ અનુવાદ કરતાં તે offમોની ભાષાકીય પુનરુક્તિ ન કરતાં માત્ર ગુજરાતીમાં તે-તે ગ્રહોના effમો આવશ્યક વ્યાજ સહ નોંધેલ છે.
કંસ શબ્દથી ઉપલલિત ત્રણ નામો – (૨૨) કંસ, (૨૩) કંસ નાભ, (૨૪)