Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 290
________________ ૭/૨૭૫ ૧૧૭ ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વબાહ્ય મંડલમાં ઉપસંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે વિભાગ કરતાં આવે છે. આની ઉપપત્તિ - આ મંડલમાં પરિધિ પરિમાણ - ૩,૧૮,૩૧૫ છે. તેને ૨૨૧ વડે ગુણવામાં આવે છે. તેથી આવશે ૭,૦૩,૪૭,૬૧૫. આ સંખ્યાને ૧૩,૭૨૫ વડે ભાંગવામાં આવતા - પ્રાપ્ત સંખ્યા થશે - ૫૧૨૫, શેષ ભાગ રહેશે - ૬૯૯૦ અર્થાત્ ૫૧૨૫ - ૬૯૯૦/૧૩૭૨૫ હવે આ મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ત્યારે - સર્વ બાહ્યમંડલ ચરણકાળમાં અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનથી ચંદ્ર દૃષ્ટિપથમાં શીઘ્ર આવે છે. અહીં સૂર્યાધિકારોક્ત ૩/૬૦ ભાગ, એમ અધિક મંતવ્ય છે. ઉપપત્તિ પૂર્વવત્. હવે બીજું મંડલ - નવા હું ઈત્યાદિ. ભગવન્ ! જ્યારે સર્વ બાહ્યાનંતર દ્વિતીય ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ગૌતમ! ૫૧૨૧ યોજન અને ૧૧૦૬૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છેદીને થોક્ત સંખ્યા આવે. આની ઉપત્તિ આ પ્રમાણે છે – અહીં મંડલમાં પરિધિ ૩,૧૮,૦૯૫ છે. તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૯૬,૭૮૫. આને ૧૩,૭૨૫ વડે ભાગ દેતા પ્રાપ્ત સંખ્યા આવશે :- ૫૧૨૧ ૧૧૦૬૦/૧૩૭૨૫ હવે ત્રીજું મંડલ - નવા f૰ ઈત્યાદિ. ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૦૫ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છંદતા યથોક્ત સંખ્યા આવશે. આની ઉ૫પત્તિ - અહીં મંડલમાં પરિધિ પ્રમાણ - ૩,૧૭,૮૫૫ છે, તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૪૫,૯૫૫. તેને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૫૧૧૮ અને શેષ-૧૪૦૫ રહેશે. હવે ચતુર્થાદિ મંડલોમાં અતિદેશ કહે છે – આ ઉપાય વડે ચાવત્ શબ્દથી પ્રવેશતો ચંદ્ર તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં, સંક્રમણ કરતો-કરતો ૩-યોજન અને ૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને ઘટાડતો-ઘટાડતો સર્વ અત્યંતર મંડલમાં સંક્રમણ કરતો ચાર ચરે છે. - X - અહીં સર્વાત્યંતર અને સર્વબાહ્ય ચંદ્રમંડલની દૃષ્ટિપથ પ્રાપ્તતા દર્શાવી છે, બાકીના મંડલોમાં તો તે આ આગમમાં, ચંદ્રપ્રાપ્તિ આદિમાં કે પૂર્વે પણ કોઈએ દેખાડેલ નથી, તેથી અહીં પણ કહેતા નથી. હવે નક્ષત્ર અધિકાર કહે છે, તેમાં આઠ હારો છે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧) મંડલક્ષેત્ર ચાર પ્રરૂપણા, (૨) અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા, (3) નક્ષત્ર વિમાનોની લંબાઈ આદિની નિરૂપણા, (૪) મંડલ સંખ્યા પ્રરૂપણા, (૫) નક્ષત્ર મંડલોનું મેરુથી અબાધા નિરૂપણ, (૬) તેનું જ લંબાઈ આદિનું નિરુપણ, (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણ, (૮) નક્ષત્ર મંડલોનું ચંદ્ર મંડલ વડે સમવતાર નિરૂપણ. [આ પ્રમાણે આઠ દ્વાર છે.] તેમાં આદિમાં મંડલસંખ્યા પ્રરૂપણાનો પ્રશ્ન – ૧૧૪ - સૂત્ર-૨૭૬ : ભગવન્ ! નક્ષત્ર મંડલો કેટલાં કહેલા છે ? ગૌતમ ! આહ નક્ષત્ર મંડલો કહેલા છે. જંબુદ્વીપ દ્વીપમાં કેટલા ક્ષેત્રના અવગાહન કર્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો છે તેમ કહ્યું છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી અહીં બે નક્ષત્રમંડલ કહેલાં છે. ભગવન્ ! લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહન કર્યા પછી, કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી, અહીં છ નક્ષત્ર મંડલો કહેલા છે. આ પ્રમાણે બધાં મળીને જંબુદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! સાિંતર નક્ષત્ર મંડલથી કેટલા અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્રમંડલ હોય છે, તેમ કહેલ છે? ગૌતમ ! સત્યંતર નક્ષત્ર મંડલી ૫૧૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું આ કેટલું અબાધા અંતર છે, તેમ કહેલ છે ? ગૌતમ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું અબાધા અંતર બે યોજન હોવાનું કહેલ છે. ભગવન્ ! નક્ષત્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી અને કેટલાં બાહાથી કહેલ છે. ગૌતમ ! નક્ષત્ર મંડલ એક ગાઉ લાંબુ-પહોળું છે. તેનાથી ત્રણ ગુણાથી અધિક પરિધિ છે અને બાહલ્સ અદ્ધગાઉ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - દૂર સત્યંતર નક્ષત્રમંડલ કહેલ છે ? ગૌતમ ! મેરુથી ૪૪,૮૨૦ યોજનના અબાધા આંતરતી સવાિંતર નક્ષત્ર મંડલ કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336